SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख સમય સંબંધી કાંઈ વધુ વિગત પ્રાપ્ત નથી. ચામુંડ અને દુર્લભરાજ અને સ્વામી થએલા અને તેમાંથી એક કાશી ગયા ત્યારે તેમનું માળવાના રાજાએ અપમાન કર્યું તેથી માળવા સાથે વૈરભાવ ઉત્પન્ન થયો. ભીમદેવ ૨ જાના વિ. સં. ૧૨૬૬ ના તામ્રપત્રમાં વલભરાજનું નામ નથી, પણ આ પતરાંમાંથી નં. ૪ થી ૧૦ બધામાં તેનું નામ છે તેથી અટકળ થાય છે કે તેના ટૂંકા સમયને લીધે અમુકમાં નામ નહીં લખાયું હોય. બીજી બાબત એટલે કે ગુજરાતની દંતકથાઓ અને આઈને અકબરી વિગેરે ગ્રંથ વચ્ચે સાલનો ગડબડાટ વધારે ગંભીર છે. જે ચામુંડને ૧૦૧૦ ને બદલે ઈ. સ. ૧૦૨૪માં મુકીએ તે. ગુજરાતી ગ્રંથકારોની સાલો બધી વીંખાઈ જાય છે. મી. ફાર્બસનું તે સંબંધી પ્રકરણું બહ ગોટાળાભરેલું છે, કારણ કે મુસલમાની અસલ ગ્રંથને અને ભીમદેવના લેખેને બારીકીથી અભ્યાસ થયે નહોતા. સર એચ. ઇલીઅટના હિંદુસ્તાનના ઈતિહાસના છે. ૨ પા. ૪૨૯ મે (પુરવણીમાં) મહમુદની હિંદ ઉપરની ચઢાઈનું પૂરું વર્ણન આપ્યું છે. સોમનાથની ચઢાઈનું સૌથી પ્રાચીન વર્ણન ઇન્ આસીર પા. ૪૬૯ મે આપેલ છે. તેમાં લખેલ છે કે અણહિલવાડને રાજા ભીમ ભાગીને અમુક કિલ્લામાં ભરાણે. પછી તેમનાથ ઉપર દબલવારા દ્વારા ચઢાઈનું અને મંદિર સર કર્યાનું વર્ણન છે. પછી મહમદને ખબર મળી કે ભીમ કદહતના કિલ્લામાં ભરાણો છે તેથી તે ત્યાં ગયો. ભરતી વસ્તુ ખાડી ઓળંગી અને દુશ્મનને ત્યાંથી હાંકી કાઢયે. ત્યાંથી મનસુરા જવા પાછો વળે. આ વર્ણનમાં ભીમનું નામ બે વાર આવે છે. તેથી ગુજરાતી ગ્રંથકારનાં લખાણ અનુસાર ઈ. સ. ૧૦૨૪ માં ભીમ ગાદી ઉપર હતે. વળી તેમાં મુસલમાની ગુજરાતમાં લાંબા વખત સુધીની સ્થિતિ અગર દાબક્ષીમના વંશજને અણહિલવાડની ગાદી ઉપર સ્થાપ્યા બાબત સહેજ પણ ઈસા નથી. તે હકીકત તેમ જ ગુજરાતની અખૂટ દેલત વિગેરેને ઉલેખ મીરખાન્દના ઇતિહાસમાં પ્રથમ જોવામાં આવે છે, તેથી અનુમાન થાય છે કે પાછળના મુસલમાની ગ્રંથકારાએ તે પાછળથી ઘુસાવી દીધેલ હશે. ભીમનું કન્દહત ( કંથકોટ ) ભાગી જવું પણ તદ્દન સંભવિત છે, કારણુ મૂલરાજ પણ ત્યાં ભાગી ગયા હતા. કંથકોટ પાસે દરિયો હોવાનું વર્ણન કાં તે તે વસ્તુની સ્થિતિફેરને લીધે અગરતો મુસલમાની ગ્રંથકારોના અજ્ઞાનને લીધે હશે. ભીમદેવના લેખો પણ ઉપરના અનુમાનને અને ગુજરાતી ગ્રંથકારના લખાણને સમર્થન કરે છે. તેમાં લખેલ છે કે ભીમદેવ વિ. સં. ૧૦૮૬ અને ૧૦૯૩ માં એટલે કે ઈ. સ. ૧૦ ૨૯ અને ૧૯૩૬ માં રાજ્ય કરતા હતા. તે ઉપરથી સમજાય છે કે મહમુદની ચઢાઈ પછી તુરત તે પાછો અણહિલવાડ આવ્યો હશે. પરિણામે ગુજરાતી ગ્રંથકારો અનુસાર ભીમદેવ વિ.સં ૧૦૫૮ ઈ. સ. ૧૦૨૨માં ગાદીએ આવ્યા. મહમુદ આવ્યા ત્યારે તે રાજ્ય કરતા હતા અને ભાગીને કથકોટ ગયે. મહમુદે તેને ત્યાંથી હાંકી કાઢયે અને મનસુરે તરફ ગયે. ભીમદેવ તરત અણુહિલવાડ પાછો ફર્યો અને વધુ પચાસ વર્ષ સુધી રાજ કર્યું. આપણા આ લેખમાંથી ભીમદેવના છેવટના ભાગ સંબંધી તેમ જ તેના દીકરા કર્ણ ૧ લા વિ. સ. ૧૧૨૮-૫૦ (ઈ. સ. ૧૦૭૨ થી ૧૦૯૩-૯૪) સંબંધી કાંઈ પણ હકીકત મળતી નથી. માત્ર તેનું બિરૂદ ત્રાયમલ આપેલું છે. કર્ણના પુત્ર જયાસિંહ સંબંધી નં. ૫ માંની વંશાવળી તેને અવન્તિનાથ અને વરકજીષ્ણુ લખે છે. નં. ૩ માં તેમજ નં. ૬ થી ૧૦ સુધીનામાં આ બે બિરૂદ વચ્ચે ત્રિભુવનગંડ લખેલ છે. દ્વયાશ્રય કેશમાં બર્બરને રાક્ષસને નેતા લખે છે અને શ્રી સ્થલ સિદ્ધપુરના બ્રાહ્મણને તે ત્રાસ દેતે હતેા. જયાસિંહે તેને હરાવ્યું, પણ તેની સ્ત્રી પિંગલિકાની આજીજીથી તેને જીવતે રાખે. બર્બરે જયસિંહને અનેક ભેટે આપી. મી. ફિબસે બર્બરને માલવાનો રાજા માન્ય છે તે ભુલ અવન્વિનાથ અને પર્વરક જીણુ એ બેને ભેળાં વાંચવાથી થએલ હશે. કાર્તિકૌમુદીમાં બબરકને ભૂાના ઉપરી લખ્યા છે અને તેને મકાનમાં For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy