SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कपडवंजनुं कृष्ण २ जानुं दानपत्र १२१ ૧૬ પવનપુત્ર(હનુમાન) જે ધવલબ્ધ છે, જેણે સઘળા શત્રુઓને જિયા, જેનું નામ બહુ પ્રસિદ્ધ થયું અને જેણે યશ વડે જગને ધવલ કર્યું ૧૭ યશ મેળવવાની ઈરછાવાળા જે ધવલ પે સિંહ સમાન બનીને શત્રુને તાકીદે હણ્ય અને એ શત્રુથી ખુંચવી લેવામાં આવતું રાજ્ય પિતાના સ્વામીને આપ્યું ૧૮ એને પુત્ર પ્રચંડ થયે, જે રણમાં કીર્તિલંપટ હતો; અને અકકુવ પણ થયો, જે નિર્મલ અને ખવડે પૃથ્વીમાં વિખ્યાત હતે. ૧૯ શેલના જેવા લલિત હાથવાળા સેલવિદ્યાધરે પણ લડાઈમાં શત્રુઓને હણીને યા વડે કુલને અલંકૃત કયુ. - ૨૦ શ્રીમાન વલ્લભરાજ અકાલવર્ષ શ્રીહલપુરથી ઓળખાતાં સાડા સાત ગામો ભગવે છે. પંકિત ૩૧ આવનારા ભવિષ્યમાં થનારા) બધા ભદ્ર નૃપતિઓને, મહાસામન્તોને, અમાત્યને લકરના અધિકારીઓને, જીહલાના હાકેમને અને મોટેરાઓને (વડા મુખીઓને ) (એ રાજા) જ ગણાવે છે. તમારે જાણવું જે, શ્રી ખેટક, હર્ષપુર અને કાદ્રહનાં હાડા સાતસે ગામોમાં જ્યારે પંચમહાશબ્દને પામેલા મહાસામન્ત પ્રચંડના દંડનાયક શ્રી ચન્દ્રગુપ્ત હતા ત્યારે, મેં હર્ષપુરનાં હાડા સાત ( ગામો)ની અંદર આવેલી કર્પટવાણિજ્ય રાશીમાં રહેલ સૂરિદ્ધા દશકમાં આવતું બાઘાસ ગામ, વૃક્ષમાલા સહિત, દંડની અને દશ-અપરાધની શિક્ષાની સત્તા સાથે, સીમા સુદ્ધાં, કાઈ, તૃણુ, કૂપ, તડાળ સમેત, ભેગ અને ભાગ સહિત, સુવર્ણ સહિત, ચાર સીમા સાથે, ઘાસ તૃણુ સુદ્ધાં, લખી આપ્યું છે. સીમા લખવામાં આવે છેઃ પૂર્વે પંડા ગામ અને વિખાવલી, દક્ષિણે કેરડવલ્લો ગામ અને અરધુવક ગામ, પશ્ચિમે નાપાલિકા અને અપૂ. વલ્લી, અને ઉત્તરે અમ્યાઉંચ ગામ; એવી ચતુઃસીમાથી એાળખાતું વલૂરિકા ગામ, ભટ્ટ નિવાસી ભારદ્વાજ ગોત્ર વાજિમાધ્યદિન(શાખા) ભણનાર, વવના પુત્ર, બ્રાહ્મણ બ્રહ્મભટને, બાલ, ચરૂ, અને વિશ્વદેવ અર્થે. સ્નાન ઉદક ત્યાગપૂર્વક, દાનમાં આપવામાં આવે છે. માટે અમે આપેલું ધર્મદાન બધા ભાવિ રાજાઓએ, અમારું ઉલંઘન કર્યા વગર, પાળવું અને માન્ય રાખવું. પં. ૪૪ અને વ્યાસ ઋષિએ કહ્યું છે કે ( રિવાજ મુજબના બાર શ્લોક છે) પ. ૫૯ શ્રી ધવલ૫ પુત્ર શ્રી અક્કનો આ સ્વહસ્ત (દત) છે. શક સંવત ૮૩૨, વિશાખ શુદ્ધ પૂર્ણિમાએ, મહાવૈશાખી તિથિએ, પૂર્વે કરાયેલા દેવદાન કે બ્રહ્મદાનને અપવાદ રાખીને, દાન કર્યું છે. નેમાદિત્યના પુત્ર કુલપુત્રક અમેયકે આ શાસન લખ્યું છે. આમાં જ્યાં અક્ષર ઊન કે અધિક હોય તે સઘળું પ્રમાણ છે; વ્યાસ જેવા પણ ભૂલે છે. શ્રી ચન્દ્રગુપ્તને આ સ્વહસ્ત(દસ્કત) છે. ૧ આ પ્રચંડ અને આકવિને ભાઈ હશે. ૨ દ૬ ૨ ના ખાનો, ( ઈ. એ . ૧૧, ૫ ૧૧૭ ) લા દાનપામાંનું કામ મારલીમ સાથે સર For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy