SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०६ गुजरातना ऐतिहासिक लेख . દાન આપનાર રાજા કૃષ્ણરાજ ૨ જ હતું. તેનું બીજું નામ અકાલવર્ષ હતું. તે અંકુલેશ્વરમાં રહેતા હતા. શક સંવત ૮૧૦ ના ચૈત્ર વદ અમાવાસ્યાને દિવસે સૂર્ય ગ્રહ સમયે તેણે બે બ્રાહ્મણને કવિઠશાધિ ગામ દાનમાં આપ્યું હતું. એ કાંકણુ પ્રાંતમાં આવ્યું હતું. તેની પશ્ચિમે વરિઅવિ બંદર, ઉત્તરે વસુહારિક ગામ આપ્યાં હતાં. - પહેલાંના રાષ્ટ્રકટો અને આ કૃષ્ણ વચ્ચે શું સંબંધ હતો, એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તે કઈ નવીન શાખાને હા જોઈએ, કારણ કે જ્યારે છેલ્લા બે ગુર્જર રાઠોડ રાજાઓ, જેઓના લેખે આપણી પાસે છે, તેઓ ભરૂચમાં રહેતા હતા, ત્યારે આ કુષ્ણુ અંકુલેશ્વરમાં રહેતા હતા. પરંતુ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેનું તદ્દન ઘેટું અંતર, તથા એ બે રાજાઓમાંને બીજો તેઓની રાજધાની અંકલેશ્વરથી ઉત્તરમાં આવેલી હતી છતાં અંકલેશ્વરની દક્ષિણે ઘણે દૂર એક ગામનું દાન કરી શક્યો હતો, એ હકીકત ધ્યાનમાં લેતાં જણાય છે કે કૃષ્ણ ૨ જે અકાલવર્ષ, ધ્રુવ ૩ જાને સીધે વંશજ હશે અને ધ્રુવ ૩ જાના સમય પછી, ભરૂચ ગુજરાતના રાઠેડાનું મુખ્ય શહેર મટી ગયું હતું. એટલે રાજા દક્તિવર્મન જે કૃષ્ણ ૨ જાને પિતા હવે જોઈએ, તેણે શક ૭૮૯, નં. ૩ ની તારીખ, અને શક ૮૧૦ આ દાનપત્રની તારીખ વચ્ચેના સમયમાં રાજ્ય કર્યું હોવું જોઈએ. ઉજજૈન ઉપર એક ગુર્જર રાઠોડ રાજાએ – ઘણે ભાગે કૃષ્ણ ૨ જાએ પોતે– કરેલી ચઢાઈ પણુ એ જ સમયમાં હોવી જોઈએ, અને તે પરમાર ઉજજૈનની ગાદીએ આવ્યા તેની પણ પહેલાં કદાચ હોય. રાજા વલ્લભને આ લડાઈને પ્રેક્ષક તરીકે બતાવ્યું છે એથી દેખાય છે કે કચ્છ પિતાના પૂર્વગામીઓની માફક કેઈ ચક્રવર્તિ સત્તા– કદાચ માન્યખેટ અગર મા ખેડના રાષ્ટ્રકટ–નો સામંત હતા. અસંખ્ય શબ્દ તથા ભૂલે ઉપરથી આ દાનપત્રના ખરાપણ વિષે શંકા થાય એવું છે, પરંતુ મન્સ્ટરના પ્રેફેસર જેકેબીએ ગણત્રી કરી બતાવી આપ્યું છે કે દાનપત્ર જાહેર થયાની તારીખે તદ્દન સ્પષ્ટ રીતે નજરે પડતું સૂર્યગ્રહણ થયું હતું. એટલે આ દાનપત્રનું ખરાપણું નિઃસંશય પણ સાબીત થાય છે, શāલોપ સ્થળસંકોચને લીધે હાય, અને ભૂલે લેખકના અધુરા જ્ઞાનને લીધે હોય, એમ પણ સંભવિત છે. ૧ આ ઉપનામ ઇતિદુર્ગાનું કહ્યું હતું. ૨ હાલનું અંકલેશ્વર. સ્વર “ ઊ ' દીર્ધની ભૂલ કોતરનારની નથી, પણ તે શહેરના જૂના નામની સૂચના કરે છે, જે અક્ષરેશ્વર હતુ એમ છે. બ્યુહર જણાવે છે. ૩ મા પ્રહણ ઈ. સ. ૮૮૮ ના એપ્રીલ તા. ૧૫ મી એ હતુ. ૪ મારી પાસેના નકશામાં આ ગામે હું શોધી શકતું નથી. પણ પ્રો. ખુલહર જણાવે છે તેમ વરિઆવિ સુરત પાસે તાપી ઉપરનું એક મોટું નામ શું હાલનું વઆિવ છે; જ્યારે વસહારિક રાવસાહેબ મોહનલાલ, બાર ઝવેરી હાલ વપારી સાથે મેળ ખાતે છે For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy