SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा कर्क २ जानां दानपत्र રૂક ઓને વશ કર્યા હતા, તેણે પુરાતન નૃપ જે પરદેશમાં ગમન કરતા તેમને યશ હરી લીધે. ખરે ! તે નૃપ ભાગ્યનું અનુકરણ કરતે; મહાન નૃપના વંશ ઉખેડી નાંખતે, દીન સેવકને મહાન ભૂપ બનાવો અને ઈચ્છા અનુસાર સર્વ કરો. ક્ષણવારમાં ગજના પગ બાંધવામાં વપરાતી સાંકળના રણકારવાળા તેના શત્રુઓના ચરણ બનાવી તેણે અદભુત કાર્ય કર્યું. ખરેખર ! ત્રિભુવનમાં સર્વથી મહાન વીર પાથે પણ આટલી વરાથી તેના શત્રુઓને સંહાર કર્યો નહતો. શત્રુની મહાન ગજસેના જે તેના સામે યુદ્ધમાં આવતી ને તેનાથી છેડેલાં પ્રતાપી બાપુની વૃષ્ટિથી આગળ હંકાતી તે, પ્રલયસમય ઉદ્દભવતા પવનથી અહીં અને ત્યાં સહેલાઈથી ડેલતા કુલશૈલ પર્વતનું અનુકરણ કરતી. (પંકિત ૩૦ ) તેને ભાઈ, ઈદ્ર સમાન પરાક્રમી, ભૂમિ પર વિખ્યાત નૃપ, અદ્ભુત યશનું મળ રાજ, તેને તેણે (ગોવિંદરાજે) આપેલા લોટેશ્વર મંડળનો રાજ્યકર્તા થયા. આજે પણ તેના ગુણના પક્ષપાતથી, જાણે કે પિતાના ગૃહમાં હોય તેવી રીતે પિતાની સહચરીની છાતી પર કર નાંખતા દે, કિન્નરો, સિદ્ધો, સાળે અને વિદ્યાધરોના અધિપતિએ કુંદકુસુમની શ્રીવાળા તેના યશનું ગાન કરે છે. તે એકલે હતે છતાં તેણે, શૌર્યથી શિર ઉંચું કરી, યુદ્ધમાં તૈયારી કરી આવેલા ગૂર્જરોના અધિપતિઓના નાયકને તે હરણ હોય તેમ સત્વર દૂરના દેશોમાં નસાડી મૂ; અને દક્ષિણના મહાસામન્તના જુથે ભય પામી, અને એકત્ર ન રહી તેમના વૈભવ તેમની પાસેથી શ્રી વલલભથી લઈ લેવાતા હોવાથી માન દેખાડી તેનું રક્ષણ મેળવ્યું. (પંક્તિ. ૩૫) તેને પુત્ર શ્રી કાજ સદા પરાક્રમ માટે વિખ્યાત શત્રુઓ પાસેથી બળથી લમી હરી લઈ કિર્તિ પ્રાપ્ત કરે છે, જેઓ તેને આશ્રય લે છે તેમની અભિલાષ તે પૂર્ણ કરે છે અને શાસ્ત્રાર્થના જ્ઞાનથી સર્વ જનેને રક્ષે છે. તેના રાજ્યમાં ચોરને વાસ નથી, અને વ્યાધિની ઉત્પત્તિ નાશ પામી છે, દુકાળ નથી, દુર્ભિક્ષ નથી અને વિભ્રમનું અસ્તિત્વ નથી. સર્વ દેષ અદશ્ય થયા છે. તેના સર્વ શત્રુઓ તેના પ્રતાપથી નમ્યા છે. અને વિદ્વાનેને દુઃખ આપવા દુષ્ટજનમાં કર મતિ પણ નથી. અને નીચે પાડી નાંખેલા માલવપતિના રક્ષણ માટે નિજ કરને, ગડ અને વંગના અધિપતિઓને જિતી ગવી થએલા ગુર્જરીના અધિપતિના દેશના દ્વારની સાંકળ બનાવી તેને સ્વામિ (કરને સ્વામિ) આમ અન્ય કરને રાજ્યનાં સર્વ ફળ માફક ઉપભોગ કરે છે. (પ. ૪૦) જીવિત વિદ્યુત સમાન ચંચળ છે અને ભૂમિદાન સવત્તમ કાર્ય છે એવું જોઈને તેનાથી આ ધર્મદાન થયું છે (૫. ૪૬ ) સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર, મહાસામંતને અધિપતિ, લોટેશ્વર સુવર્ણવર્ષ શ્રી કર્કરાજદેવ સમસ્ત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, અધિકારિક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર જાહેર કરે છે -- (પં. ૪૩) તમને જાહેર થાઓ છે, શ્રી સિદ્ધશમી પુરીમાં નિવાસ કરી, મારા માતપિતા અને મારા આલેકમાં તેમ જ પરલેકમાં પુણ્યની વૃદ્ધિ માટે શક નૃપના કાળ પછી સંવત ૭૩૪, વૈિશાખ, પૂર્ણિમાને દિને વડપટ્ટક નામનું ગામ જે અંક ૮૪ ગામમાં આવેલું છે, જેની સીમા પૂર્વે જખુવાવિકા ગામ, દક્ષિણે મહાનિક સરોવર, પશ્ચિમે અંકેક ગામ અને ઉત્તરે વાચ્છ ગામ છે તે આ ચાર સીમાવાળું ગામ ઉદ્વેગ, ઉ૫રિકર, ભૂતવાતપ્રત્યાય, દડની સત્તા, દશ અપરાધના દડની આવક સહિત, ઉદ્ભવતી વેઠના હક્ક સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, ચંદ્ર, સૂર્ય, સાગર, સરિતાઓ અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્રેના ઉપગ માટે પૂર્વ દે અને દ્વિજોને કરેલાં દાન વર્ષ કરી ભૂમિછદ્રના ન્યાયથી, સ્નાન કરી બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિના પંચમહાયજ્ઞ અને અન્ય વિધિના અનુષ્ઠાન માટે ચતુર્વેદિ મધ્યેના શ્રી વલભીથી આવેલા, વાત્સ્યાયન ગેત્રના, માધ્યન્દિન સબ્રહ્મચારી ભટ્ટ સામાદિત્યના પુત્ર બ્રાહ્મણ ભાનુને પાણીના અર્થથી મેં આપ્યું છે. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy