SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ વિશિષ્ટતાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રને ખરાખર અનુસરતી અને યથાવિહિત ક્રિયામાટે જરૂરી તમામ કારણોની હાજરી-કારણસમુદાયની પૂર્ણ હાજરીથી જે ક્રિયા થાય, તે વિશિષ્ટક્રિયા છે. જેમકે, ‘અહિંસા’ યમમાટે શાસ્ત્રમાં જે વિધિ- આચારો બતાવ્યા છે, એ તમામ વિધિ- આચારોને પૂર્ણતયા વફાદાર રહીને પાલવા, એ અહિંસાયમ પ્રવૃત્તિયમ રૂપ બન્યો ગણાય. જેમકે અહિંસાવ્રતનું પાલન. (૧) મનોગુપ્તિ ભાવના - મનને જરા પણ દુષ્ટ વિચારોમાં નહીં લઇ જવાદ્વારા મનથી અહિંસા પાળવી. (૨) એષણાસમિતિ - પોતાના માટે રાંધવાવગેરે આરંભ નથીથયો ને ઇત્યાદિ ચોકસાઇ રાખવારૂપે એષણાસમિતિ પાળવી (૩) આઠાનભંડમત્તનિક્ષેપણા સમિતિ – વસ્ત્ર, પાત્ર, દાંડો વગેરે લેતા-મુક્તા, બારી-બારણા વગેરે ખોલ-બંધ વગેરે કરવાનો અવસર આવે ત્યારે ઇત્યાદિ પ્રસંગોમાં સતત પ્રમાર્જન-પડિલેહણના સૂક્ષ્મ ઉપયોગપૂર્વક પ્રવર્તન કરવું. (૪) સર્વત્ર-સામાન્યેન શમસાર તુ-૩પશમસામેવઈર્યાસમિતિ : આહાર, વિહાર, નિહારમાટે જતાં યુન્દ્રિયાવિશિષ્ટ યમપાનનં, પ્રવૃત્તિષિ વિજ્ઞેયા આવતાં આંખથી દેખાઇ શકતી (સૂર્ય કિરણોથી યમેવુ, દ્વિતીયો યમ વ તત્-પ્રવૃત્તિયમ ત્યર્થ: પ્રકાશિત થયેલી અને ચાદરવગેરેથી નહીં ઢંકાયેલી) ભૂમિપર અને તે પણ લોકોના અવર-જવરથી ખેડાયેલી હોય (જેથી તે ભૂમિ અચિત્ત થયેલી હોય) એવી ભૂમિપર સાડાત્રણ હાથ જેટલી ભૂમિનું દૃષ્ટિ પડિલેહણકરતાકરતા સતત પડિલેહિત થાય, એ રીતે જવું- આવવું. અને (૫) ગૃહસ્થો ગોચરી વહોરાવે, ત્યારે ગોચરી માટે લવાતા અન્ન- પાણી જ્યાંથી લવાય, ત્યાંથી માંડી પોતાને વહોરાવે ત્યાં સુધીની બધી ક્રિયા પોતે જોઇ શકતો હોય, અને અન્ન-પાણી પણ જીવયુક્ત નથી ને ઇત્યાદિરીતે જોવાયેલા હોય, પછી જ ગ્રહણ થાય. આ રીતે દૃષ્ટાન્નપાનગ્રહણ.... આમ પાંચ ભાવનાઓ વગેરેથી સહિત અહિંસાપાલન પ્રવૃત્તિયમ બને. सर्वत्र शमसारं तु यमपालनमेव यत् । પ્રવૃત્તિરિહ વિશેયા દ્વિતીયો યમ વ તર રા 314 તેની વિકલતા રહે છે. જેમકે અત્યારના કાલરૂપ કારણ- અંગનો કથંચિત અભાવ માનવામાં આવે છે. મહોપાધ્યાય યશોવિજય મહારાજે શ્રી સંભવનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે ને ‘કાલ લબ્ધિ મુજ મતિ ગણો...’ તો આ રીતે દ્રવ્યથી પોતાનું સંઘયણબળ છેલ્લું, ક્ષેત્રથી (પાંચમા આરાથી દૂષિત) ભરત ક્ષેત્ર, કાલથી પાંચમો આરો, અને ભાવથી નબળા મનોબળો, વિશિષ્ટ શ્રુતબળનો અભાવવગેરે કારણો ગણી શકાય. આમ કારણ સમુદાયનો અભાવ હોવા છતાં શાસ્ત્રમાં વિહિત કરેલી પદ્ધતિમુજબ જ સ્થાનાદિપ્રસ્તુતમાં અહિંસાદિ યમ) માટેની તીવ્ર ઇચ્છાથી વર્તમાનકાલીન પોતાની શક્તિમુજબ જે સ્થાનાદિ (પ્રસ્તુતમાં અહિંસાદિ)નું આચરણ થાય, તે ઇચ્છાયમ છે. તથા તથા, પ્રવૃત્તિયમ ગાથાર્થ : સર્વત્ર શમસાર જ જે યમપાલન છે. તે ‘પ્રવૃત્તિ’ સમજવી. આ પ્રવૃત્તિ બીજો યમ છે. ટીકાર્યં : સર્વત્ર = સામાન્યથી બધે જ બધા વિષયમાં – પ્રસંગમાં અને વ્યક્તિઓઅંગે ઉપશમ ભાવને જ મુખ્ય કરીને જે ક્રિયાવિશિષ્ટ યમપાલન છે તે બીજો પ્રવૃત્તિયમ સમજવો. વિવેચન : • પ્રસ્તુત યમમાં ‘ક્રિયાવિશિષ્ટતા' અને ઉપરામભાવપ્રધાનતા મુખ્ય છે. ક્રિયા
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy