SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપુરુષોના માર્ગે ચાલો એ કર્મો જશે. ઓછા થશે. વળી આ રોગ ભોગવવાએ પાપનો ઉદય નથી પણ મારા પાપનો ક્ષય છે. પાપ ઉદયમાં આવ્યા’ એમ વિચારવાથી દીનતા આવવાની સંભાવના છે, પાપ નાશ પામી રહ્યા છે’ એમ વિચારવાથી ખુમારી અને સત્ત્વ વધે છે. અને પાપનો ક્ષય કર્મનો ક્ષય કરે જ છે. માટે ભોગવે રાખો ! આ સનતકુમાર ચક્રવર્તીએ હિસાબ રાખ્યો, તો સાતસો વર્ષ સુધી મજાથી રોગની વેદના ભોગવી. રોગ આવ્યે આવા મહાપુરુષો નજર સામે રાખવાના છે. મહાપુરુષોના માર્ગે ચાલો યત વન્- तदत्र महतां वर्त्म, समाश्रित्य विचक्षणैः । વર્તિતાં યથાન્યાય, તવૃતિમવિિતઃ ॥૪॥ તન્ન-વ્યતિરે, મહતાં વનું સમાશ્રિત્યઅન્નીનૃત્ય વિચક્ષળ:-ઙિતે, વર્જિતવ્યં યથાન્યાય-ન્યાયાલૢાં, તતિમવનિતૈ:-મહદાંતિવારરહિત ।।૬૪।। આમ હોવાથી ગાથાર્થ : તેથી આ પ્રસંગમાં મહાપુરુષોના માર્ગનો આશ્રય કરી, એમને તૈયાર કરેલા માર્ગમાં તેમાં અતિક્રમ ન લાગે એ રીતે યથાન્યાય વર્તવું જોઇએ. ટીકાર્યં તેથી આ વ્યતિકરમાં મહાપુરુષોનો માર્ગ સ્વીકારીને પંડિત પુરુષોએ મોટા માણસના માર્ગને અતિચાર ન લાગે એ રીતે ન્યાયને અનુરૂપ વર્તવું. વિવેચન : યથાન્યાયં વર્જિતવ્યમ્-ન્યાય એટલે પોતોંની સમાધિમાટે જે યોગ્ય હોય એ રીતે. ચિત્તની સમાધિ એટલે ? જેથી રાગ-દ્વેષ, હર્ષશોક ઓછા થાય એ રીતે રહેવું. જ્ઞાનીના વચનોને આંખસામે રાખી વર્તવું, એ સમાધિ છે. ભગવાનના 199 વચનો – મહાપુરુષોએ ચીંધેલો માર્ગ આપણામાટે આગળ વધવાનો માર્ગ છે. એ માર્ગે ચાલવું એ આપણી સાધના છે. એ સાધના ભગવાને બતાવેલા અતિચારથી મુક્ત હોવી જોઇએ. દરેક સાધના અતિચાર વિનાની કરવાની ટેક જોઇએ. સાધનામાં અતિચાર લાગવાનું એક મુખ્ય કારણ છે, વીર્ય ગોપવવું. યથાશક્તિ નહીં થનારી સાધના સાતિચાર થાય છે. અને વીર્ય ગોપાવવાનું મન થયું એ પણ એક પ્રકારની માયા છે. આમ સાધનામાં અતિચાર લગાડીએ, તો માયા અને વીર્યાન્તરાયના દોષયુક્ત કર્મબંધ થાય છે. આ અતિચાર અને માયાથી અટકવા મહાપુરુષોને નજરસામે રાખવા જોઇએ. એમના આલંબને આપણું સાધનાનું વહાણ પતનના ખરાબે ચઢતું નથી. એટલું જ નહીં, ન્યાય- પુરસ્કર વ્યવહાર સહજ બને છે, જેથી ખોટી પકડનો ત્યાગ થાય છે. તàવાદ- परपीडेह सूक्ष्मापि, वर्जनीया प्रयत्नतः । तद्वत्तदुपकारेऽपि, यतितव्यं सदैव हि ॥ १५० ॥ परपीडा-परबाधा इह-लोके, सूक्ष्माप्यास्तां મહતીતિ, જિમિત્યાહ્ન વર્ગનીયા-પરિત્યર્તાવ્યા, પ્રયત્નતઃ:-સૂક્ષ્મામોળેન તદત્-પ્રયત્નત વ તદ્રુપરેપિ-પરોપજારેપ, તિતવ્યમ-નુષ્ઠાનદારેખ, સદૈવ રીતિ।૯૦ની - આ જ – મહાપુરુષોનો માર્ગ બતાવે છે – ગાથાર્થ : અહીં પ્રયત્નપૂર્વક સૂક્ષ્મ પણ પરપીડા વર્જવી. તેજ પ્રમાણે તેના ઉપકારમાં પણ હંમેશા પ્રયત્ન કરવો. ટીકાર્થ પ્રયત્નપૂર્વક=સૂક્ષ્મોપયોગરાખીને બીજાની મોટી તો શું, નાની પીડા પણ છોડવી જોઇએ. એટલું જ નહીં, બલ્કે શુભ પ્રવૃત્તિઓદ્વારા હંમેશા બીજાઓ પ્રત્યે ઉપકાર કરવા પણ ઉઘત થવું જોઇએ.
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy