SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ભવાતીતાર્થચાયીઓનું લક્ષણ બતાવે છે હડસેલી દીધા છે. આગમને માત્ર જ્ઞાત નહીં, પણ આત્મસાત્ કર્યા છે. આગમની વાત એની સ્વબુદ્ધિ રૂપ થઇ ગઇ છે. અર્થાત્ હવે એને આગમનો રેફરન્સ નથી લેવો પડતો, એ જે સહજ રીતે આરાધના કરે છે, એમાં જ આગમાર્થ ટપકતો હોય છે. અસંમોહની આ દશામાં જ ખરેખર જીવ ‘જીવે છે’ એમ કહેવાય. કેમકે અસંમોહ દશામાં રહેલો જીવ ‘ક્રોધ કરવો એ મોત છે, ક્ષમા એ જ જીવન છે. અહંકાર–મદ –અભિમાન મોત છે. નમ્રતા વિનય એ જ જીવન છે. કષાયો એ મરણરૂપ છે, ઉપશમભાવ જીવનરૂપ છે, ઇન્દ્રિયોની આસક્તિ વિવેચન : શબ્દાદિ વિષયો જડ-પુગળ પ્રકૃતિના ભાવો છે. તેથી પ્રાકૃત ગણાય છે. આ વિષયો બુદ્ધિના સ્તર સુધી ગ્રાહ્ય બનતાં હોય છે. ઇન્દ્રિયાર્થગ્રાહી બુદ્ધિ પણ આવા જડ-પ્રાકૃતવિષયોને પડતી હોવાથી જડપ્રકૃતિરૂપ છે. કેમકે એ બુદ્ધિથી દોરવાયેલો અને ઇન્દ્રિયના વિષયભૂત મોતરૂપ છે, ઉત્કટ વિરાગદશા એ જ જીવન છે.’શબ્દાદિમાં રાચતો આત્મા પણ જડ જેવો બની જાય છે. આ દષ્ટિને પામી ગયો છે. એનું ગણિત એ છે, કે જેમાં આત્મા, આત્માના ગુણો ધબકતાં હોય, તે જીવન. જેમાં આત્મગુણોની કતલ થાય, તે મરણ આ અસંમોહદશાની તરત નજીકમાં છે પરમાત્મદશા. પરમ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ. આ ભવાતીતાર્થયાયી અસંમોહી જીવોનું લક્ષણ શું હશે ? એવી જિજ્ઞાસામાં કહે છે... एतेषामेव लक्षणमाह- प्राकृतेष्विह भावेषु, येषां चेतो निरुत्सुकम् । મવમો વિરાસ્તે, મવાતીતાર્થયાવિનઃ ।।૧૨।। પ્રાપ્તેવિટ્ટુ ભાવેષુ-રાજ્વાવિજી વુદ્ધિપર્યવસાનેપુ, ચેષાં ચેતો નિરુત્તુ નિઃસજ્જતાસમાવેશાત્, ભવો વિસ્તે-મૂતા નીવા મુત્ત્તત્ત્પા મવાતીતાર્થયાયિન ૩જ્યન્તે, મન્વિત્તાઽ(ન્તાઽ) संस्पर्शादिति ॥१२७॥ ભવાતીતાર્થયાયીઓનું લક્ષણ બતાવે છે ગાથાર્થ : અહીં જેઓનું ચિત્ત પ્રાકૃત ભાવોમાં નિરુત્સુક બન્યું છે, તે ભવભોગવિરક્ત જીવો ભવાતીતાર્થયાયી છે. 169 ટીકાર્થ: પ્રાકૃત = તુચ્છ શબ્દાદિ વિષયો કે જે બુદ્ધિ સુધી પહોંચી શકે છે, તેઓમાં જેઓનું ચિત્ત નિઃ સંગતાના સમાવેશથી ઉત્સુકતાથી રહિત બન્યું છે. અને જેઓ સંસારગત ભોગોથી વિરક્ત થયા છે, આવા જીવો મુક્તજીવો જેવા છે. ભવસંબંધી વિચારોથી સ્પર્શાયેલા ન હોવાથી તેઓ ભવાતીતાર્થયાયી કહેવાયા છે. શુદ્ધ ચેતનવંતા આત્મતત્ત્વની લગન જેને લાગી ગઈ છે, તે જીવને આ પ્રાકૃત શબ્દાદિ વિષયો તરફ જરા પણ આકર્ષણ થતું નથી. આમ ભવાતીતાર્થયાયીનું પ્રથમ લક્ષણ એ છે, કે એ જીવોને ઉપરોક્ત પ્રાકૃતરાખ્વાદિ વિષયોતરફ જરા પણ ઉત્સુક્તા થતી નથી. કારણ કે તેઓ નિઃસંગદા પામ્યા છે. નિઃસંગતાનો સમાવેશ થયો છે. એથી અસંમોહદશામાં એ જીવ આવ્યો છે. હવે એ બદ્ધિએ બતાવેલું માનતો નથી, બુદ્ધિ પર શ્રદ્ધા રાખતો નથી, પણ આગમે બતાવેલું માને છે, એના પર શ્રદ્ધા રાખે છે. બુદ્ધિએ જે વિષયોને સારા માન્યા છે, આગમે તે જ વિષયોને હેય- છોડવા જેવા કહ્યા છે. તેથી આગમજ્ઞાતા એ મહાનુભાવ વિષયોના સંગમાં આવતો નથી. આમ નિઃસંગતા પ્રગટ થાય છે. અને એના પ્રભાવે હવે ચિત્તમાં શબ્દાદિ વિષયોઅંગે કોઇ પ્રકારની ઉત્સુકતા જ જાગતી નથી. વિષયોથી અલિપ્ત રહેવાના ઉપાય પૂછો, પ્રાકૃત શબ્દાદિ ભાવોની વચ્ચે રહી લેશમાત્ર ઉત્સુકતા રાખવાની નહીં, આકેમ બને?
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy