SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ બોધરોગ, શમાપાય કુતર્ક જીવના ગુણિયલ અંતઃકરણપ્રત્યે વાસ્તવમાં અનેક પ્રકારે શત્રુનું કામ કરે છે, કેમકે એ ગુણોનો ઉપઘાત કરનારો-ગુણોને હાનિ પહોંચાડનારો બને છે. દા.ત. 105 (૧) બોધરોગઃ કુતર્ક સમ્યગ્દ્બોધને માટે રોગ સમાન છે, કેમકે કુતર્ક ઉઠે એટલે સમ્યગ્ બોધનું જે આરોગ્ય-યથાવસ્થિતતા-યથાર્થતા એ હણાય છે. કુતર્ક ઊઠે ત્યાં બોધ યથાર્થ રહે નહિ. જીવ સંસારમાંથી ઓછા જ થવાના છે, ને નવા ઉત્પન્ન થવાના નથી. તો કોઇવાર તો સંસાર ખાલી થઈ જ જાય ને ? પછી સંસાર અનંત ક્યાં રહ્યો ? એનો અંત આવી જવાનો. બસ પત્યું, આકુતર્કથી શાસ્ત્ર કરાવેલ બોધ મંદ પડી જાય. કુતર્ક એબોધનો રોગ છે. બોધનેયથાસ્થિત સમ્યક્ ન રહેવા દે. ત્યારે જીવને ભાન નથી કે તારી સ્થૂલબુદ્ધિના કુતર્ક ઉઠાવતો રહીશ, તો સમ્યગ્દ્બોધ ગુમાવીશ. પૂર્વના દા.ત. ‘‘જૈનશાસ્ત્રો મુજબ નિગોદ અનંત-મહાપુરુષો પ્રખર વિદ્વાન છતાં કુતર્ક નહોતા ઉઠાવતા, કેમકે એ સમજતા કે શાસ્ત્રો કોના કહેલા છે ? અતીન્દ્રિય પદાર્થોને પણ પ્રત્યક્ષ જોઇ શકનાર અને ભૂત-ભવિષ્ય – અનંતકાળના પદાર્થને જોઇ શકનાર અનંતઃજ્ઞાનીના કહેલા છે, ત્યાં આપણે ચર્મ ચક્ષુથીજ માત્ર સ્થૂલ પદાર્થને જોઇ શકનારના કુતર્ક શા કામ લાગે ? તેથી સર્વજ્ઞકથિત વચનમાં કુતર્ક નહોતા ઉઠાવતા. વનસ્પતિકાયના એકેક શરીરમાં અનંત જીવો હોય છે, એમ સમ્યગ્ યથાર્થ બોધ થયો. પરંતુ હવે જો ત્યાં મનમાં કુતર્ક ઊઠે કે, જૈનશૈલીમાં કાંઈ એવું નથી કે પૂર્વભવમાંથી નવા ભવમાં જનમ લેનાર જીવ અહીં કોઈ તૈયાર શરીરમાં આવીને પેસી જાય, જેથી કહી શકાય કે એક તૈયાર શરીરમાં અનંતા જીવો આવીને પેસી ગયા. તેથી અનંતનું એક શરીર બન્યું. કિન્તુ જૈનશૈલી મુજબ તો નવા ભવમાં આવતાં જીવ આહાર લેતો જાય છે, ને એમાંથી આત્મપ્રદેશસાથે ખીર નીરની જેમ એકમેક થતું શરીર બનતું જાય છે. તો જે અનંત જીવોને એક શરીર ધારણ કરવું છે, એ દરેક જીવ પોતાનાં આહારથી પોતાનું સ્વતંત્ર શરીર બનાવવાનો, તો અનંતા જીવોનું એક સાધારણ શરીર બની જ શી રીતે શકે ?'' જૈનશાસ્ત્ર કહે છે, આ સંસાર અનાદિ છે, એમ અનંત છે, કદી એનો અંત નહિ, કદી ખાલી થવાનો નહિ, એનાપર કુતર્ક કરે કે, સંસારમાંથી જીવોનું મોક્ષે જવાનું ચાલુ રહેવાનું છે. તેથી એટલા (૨) શમાપાય :- કુતર્ક દિલના રામને શાંત-સૌમ્યભાવને અનર્થરૂપ છે, શમનો ઘાતકરનાર છે. એનું કારણ એ કે કુતર્કથી દિલમાં અભિનિવેશ ઊભો થાય છે. કુતર્ક કરનારને પોતાની બુદ્ધિઅક્કલ ઉપર મદાર બંધાય છે, એના મનને એમ થાય છે કે મારી બુદ્ધિમાં આમ બેસે છે એ ખોટું શાનું હોય ? મને જે લાગે છે એ સાચું જ છે. એમ હઠવાદ પકડાઈ જાય છે. એ અસત્ અભિનિવેશ છે. એ આવ્યો ત્યાં દિલમાંથી શમ-શાંતતા ગઈ. આ કુતર્ક ઊઠે, પછી આગમથી નિગોદના એકેક શરીરમાં અનંતા જીવનો થયેલો બોધ હવે ડગમગ થઈ જાય. ઉક્ત કુતર્કથી મનને એમ થવાનું આવા હઠવાદવાળા જીવો હોંશિયાર હોય છે. કે, ‘એક શરીરમાં અનંતા જીવ હોઈ જ કેમ શકે ?’દેખાવમાં ખૂબ શાંતતા દેખાડે. આવા જીવને પત્યું શાસ્ત્રબોધ માંદો મંદ પડી જાય. એમ, કુતર્કનો બીજો દાખલો સમજાવવા બેસો, છતાં એ ધરાર સાચું માનવા તૈયાર ન હોય. ત્યાં જો તમે સહેજ ડક થઈ બોલો, તો એ જરાય ગુસ્સો નહિ કરે, અને હસતાં હસતાં કહેશે ‘જોયું? ખોટું પડ્યું છે ને સાબિત કરીશકતા નથી એટલે ગુસ્સો કરે છે,’ પરંતુ આવી એ કુતર્કીઓની શાન્તિ દેખાવની હોય છે. વાસ્તવમાં
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy