SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir સૂરિ શિષ્ય સંવાદ. ૨૩ રહેવાને પ્રયત્ન કરે જોઈએ. જ્યારે સર્વત્ર શરદી પ્રસરી રહેલી હોય ત્યારે ગૃહસ્થોએ અંગે કેસરનું વિલેપન કરી, પવન અથવા જળને ઉપદ્રવ ન હોય તે સ્થળે ધગધગતા અંગારાવાળી સગડી પાસે બેસી, આસાએશ મેળવવી. આથી શિતને હૂમલે દૂર કરી શકાય છે. વર્ષાઋતુના સંબંધમાં કામ વિલાસી પુરૂનું એવું કથન છે કે જે પુરૂષ આ ઋતુમાં કેશાવલીને સુગંધી તેલ લગાડી સાફ કરી રાખે, રાતા તથા ચંદન-લેબાનના ધૂપથી સગંધિત બનેલાં વસ્ત્રોનું પરિધાન કરે તેમજ પરિ મિત ભજન કરે તેને સ્ત્રીઓ પોતાના અંતરના ઉમળકાથી ચાહ્યા વિના રહી શકતી નથી. શિષ્ય–શરઋતુને વૈદ્યોની માતાની ઉપમા આપવા માં આવી છે તે યથાર્થ જ છે. કારણ કે એ ઋતુમાં વૈદ્યકોને બહુ માટી કમાણું થાય છે. સૂરિ–શરતમાં આકરા સૂર્યના કિરણના તાપથી તપેલા મનુષ્યનું પિત્ત પ્રાય: કુપિત થાય છે અને તેથી સત્ર પિત્તજન્ય વિકારે ફાટી નીકળે છે. આવા વખતની અંદર ડાહ્યા મનુષ્યએ ક્ષુધા લાગે તે જ મધુર, હલકું, શિતળ, ડું કડવું તથા તીખું પથ્ય ભોજન લેવું. જેઓ મનને કાબુમાં રાખી શકે તેવા હેાય છે તેઓ આ કાળમાં પૂર્વ દિશાને પવન, દહીં, અતિ વ્યાયામ, તડકે, ખારી વસ્તુ તથા તેલાદિ સ્નિગ્ધ પદાથને યત્ન પૂર્વક પરિત્યાગ કરે છે. આમળાં, દુધ તથા શેલડીની સાકર કે ગોળ જેવી વસ્તુઓ પરિમિત પ્રમાણમાં પુષ્ટિ આપનારી થઈ પડે છે. કેટલાક ચિકિત્સકે આ વતુમાં ફસ For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy