SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૪ વિવેક વિલાસ. —ખ્રસ્તની શુદ્ધિ ઉપર જ શરીરની તમામ શુદ્ધિઆના આધાર છે. જો અજીર્ણાદિ વિકાર ન હોય તેા મળમૂત્ર ત્યાગ કર્યો પછી ક્ષણમાત્રમાં નાસિકા આદિ દ્વારા તથા હૃદય પણ વિશુદ્ધ થઈ જાય છે. પાચનશક્તિ ખરાબર હોય તે ઇંદ્રિયે પાત પેાતાનું કાર્ય બહુ સરળતાથી અને ઉત્સાહથી કરી શકે છે. શિષ્ય-પાચનક્રિયામાં કાઈ જાતની વિકૃતી ન થાય એટલા માટે ભાજનના સમય તેમજ તેની વિધિ દરેક માણસે જાણી લેવાં જોઇએ. તે સંબ ંધમાં આજે આપ કઇંક કહે। એવી મ્હારી પ્રાર્થના છે. www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir - સૂરિ—આપણે ધીમે ધીમે તેજ વિષય ઉપર આવીશુ ભોજન કયારે કરવું એ વાત હું એકવાર આગળ કહી ગયો છું. પણ તે એક સામાન્ય નિયમ હતા. શિષ્ય—જઠરાગ્નિ પ્રદીપ્ત હેાય ત્યારે જ ભોજન લેવુ જોઇએ એવા આપના ઉપદેશ મને બરાબર યાદ રહી ગયા છે. સૂરિ—તેની સાથે ભોજન કયારે ન કરવું એ વિષય પણ જાણી લેવા જોઇએ. સવારમાં બહુ વહેલ, સંધ્યાકાળે, રાત્રીએ, હાલતાં-ચાલતાં, અન્નની નિંદા કરતાં તથા અવ્યવસ્થિ તપણે એસીને ભાજન નહીં કરવુ જોઇએ. શિષ્ય આપને કહેવાના અશય એવા હાવા જોઇએ કે પ્રાત:કાળે બહુ વ્હેલા ભાજન લેવાથી જઠર ઉપર જો વધી પડે છે. જઠર પોતાનું જુનુ કાર્ય ઉકેલે તે પહેલાં તેના ઉપર વધારાના એજો નાંખવાથી તે સુસ્ત થઈ જાય છે. સાંજે અથવા For Private And Personal
SR No.020914
Book TitleVivek Vilas
Original Sutra AuthorN/A
AuthorBhimji Harjivan
PublisherMeghji Hirji
Publication Year1920
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy