SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mata Ardhana Kendra Acharya Shri Kalassagarsuri Gyanmandir પુષ્કરાર દ્વીપ હોધિ, મુકે પાતળી ખાક TER માનુ ષોત્તર પર્વત પરના શાશ્વત રમૈત્યોને વંદના ચૈત્ય ૪, પ્રતિમાજી ૪૮૦ ચ્ચે જંબૂ દ્વીપ, લવણ સમુદ્ર. ધાતકી ખંડ અને કાલોદધિ સમુદ્ર છે. સૌથી છેલ્લો અર્ધ પુષ્કરવર દ્વીપ છે અને તેને ફરતો વલયાકાર માનુષોત્તર પર્વત છે. આ પર્વત પર ચારે દિશામાં એક એક શાશ્વત જિન ચૈત્ય છે. દરેક જિનચૈત્યમાં ૧૨૦૧૨૦ જિન પ્રતિમાજી છે. અત્યંત દર્શનીય, આહલાદનીય પ્રતિમાઓ છે. દર્શન કરતા ખૂબ આનંદ થાય તેવા છે. ઋષભ, ચંદ્રાનન, વારિપેણ અને વર્ધમાન નામના તીર્થકર ભગવંતોની આ મૂર્તિઓ છે. ચારે મંદિરમાં થઈ કુલ ૪૮૦ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણું... માનુષોત્તર પર્વત વારિણ આ માનુષોત્તર પર્વત મનુષ્ય લોકની મર્યાદા બતાવનારો છે. આની અંદરનું ક્ષેત્ર એટલે જંબૂ દ્વીપ, લવણ સમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ સમુદ્ર અને અડધો પુષ્કરવર દ્વીપ આટલા ક્ષેત્રને (અઢી દ્વીપ અને વચ્ચે બે સમુદ્રને) મનુષ્યલોક કહેવાય છે. આની બહાર અડધો પુષ્કરવર દ્વીપ અને અસંખ્ય દ્વીપ સમુદ્રો એ મનુષ્યલોકની બહાર છે. મનુષ્યોની સ્થિતિ મુખ્યતયા મનુષ્યલોકમાં જ હોય છે. ક્યારેક લબ્ધિ વગેરેથી કે દેવતા અપહરણ કરીને લઈ જાય તો મનુષ્યલોકની બહાર મનુષ્ય જાય છે પણ ત્યાં જન્મ કે મરણ થઈ શકતા નથી, તે મનુષ્યલોકમાં જ થાય છે. વર્ધમાન | ત્રિલોક «lel ciદના 24 For Private and Personal Use Only
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy