SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ તત્વાર્થસૂત્રને વગેરેમાં પણ ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના એટલી જ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના રત્નપ્રભામાં સાત ધનુષ્ય, ત્રણ હાથ અને છ આંગળની છે. આ પરિમાણ જે બતાવવામાં આવ્યું છે તેને તેનાથી અઠધા આંગળની અપેક્ષાથી સમજવું જોઈએ. પરમાણુ આદિના કમથી આઠ યવમધ્યને એક આંગળ કહે છે. વીસ આંગળને એક હાથ થાય છે અને ચાર હાથને એક ધનુષ્ય થાય છે. રત્નપ્રભા પૃવિમાં શરીરની જેટલી ઉત્કૃષ્ટ અવગાહના દર્શાવાઈ છે તેનાથી બમણી શર્કરાપ્રભામાં હોય છે. શર્કરામભાથી બમણી વાલુકાપ્રભામાં, એવી રીતે સાતમી પૃવિ સુધી બમણું– બમણું અવગાહના થતી જાય છે. નારકેના ઉત્તર વેકિય શરીર આ રીતના હોય છે–રત્નપ્રભા પૃવિમાં જઘન્ય આગળના સંખ્યામાં ભાગ પ્રમાણ અને શર્કરા પ્રભા વગેરેમાં પછીની છએ પૃથ્વિઓમાં પણ આંગળના સંખ્યાતમાં ભાગની જઘન્ય અવગાહના હોય છે. તાત્પર્ય એ છે કે નારક જીવ અગર નાનામાં નાના શરીરની વિકિયા કરે તો તે આગળના સંખ્યામાં ભાગની હોય છે ૧૩ છે 'अण्णमण्णोदोरियदुक्खाय' સૂવા –નારક જ અંદરો અંદર એકબીજાને દુઃખ ઉત્પન્ન કરતા રહે છે ૧૪ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં નારકના સ્વરૂપનું અને તેમને ઠંડી, ગરમીથી થતાં દુઃખનું પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે એ પ્રતિપાદિત કરીએ છીએ કે તેમને બીજી રીતે પણ દુઃખનો અનુભવ થાય છે– નારક જીવ પરસ્પરમાં પણ એક-બીજાને દુઃખ ઉપજાવતાં રહે છે. નારક જીવ શા માટે અન્ય દુઃખ ઉત્પન્ન કરે છે ? એવા પ્રશ્નનો જવાબ એ છે કે તેઓ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન દ્વારા અને મિથ્યાદર્શનના ઉદયથી વિલંગજ્ઞાન દ્વારા દૂરથી જ દુઃખના કારણેને જાણીને પરસ્પરમાં એક બીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. આવી જ રીતે જ્યારે એક નારક બીજા નારકની સમીપ આવે છે ત્યારે એકની બીજા ઉપર નજર પડતાંની સાથે જ તેને ક્રોધાગ્નિ ભડકે બળવા લાગે છે તેમને પૂર્વભવમાં બાંધેલા વેરનું સ્મરણ થઈ આવે છે, તેઓ પરસ્પર તીવ્ર વૈરભાવવાળા થઈ જાય છે અને તેઓ કુતરા અને શિયાળની જેમ તથા ઘોડા અને ભેંસની માફક પરસ્પરમાં આઘાત પ્રત્યાઘાત કરવા લાગે છે. પોતાની વિક્રિયાશક્તિ દ્વારા તેઓ તલવાર, ભાલા, બરછી, શક્તિ, તેમર કુન્ત તથા અઘન વગેરે શાની વિક્રિયા કરીને એક-બીજાને માંહોમાહે અત્યન્ત તીવ્ર દુઃખની ઉદીરણ કરે છે–દુઃખ ઉત્પન્ન કરે છે. મે ૧૪ તત્વાર્થનિયુકિત-આની પહેલાં નાક ની પ્રરૂપણ કરવામાં આવી. સાત નરકમળ્યું કે કેટલું તરકાવાસ છે, તેમનામાં કયાં અને કઈ જાતની અશુભ લેશ્યા હોય છે, તેમના સ્પર્શાદ પરિણામ ભવધારણીય અને ઉત્તર ક્રિય શરીર, તીવ્ર વેદના વિક્રિયા વગેરેનું નિરૂપણ કરી ગયા. હવે એ બતાવીએ છીએ કે નારક જીવ પૂર્વભવમાં બાંધેલા વેરનું સ્મરણ 2. * * ..* ત.? " - 9 છ નારક છવા આ પૃા આપસમાં એકબીજાને દુ:ખ ઉત્પન કરે છે. તામ્ય એ છે કે નરકક્ષેત્રના સ્વાભાવિક અનુભવથી ઉત્પન્ન થનારા અશુભ પુદ્ગલ પરિણામથી તથા પૂર્વભવમાં બાંધેલાં
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy