SearchBrowseAboutContactDonate
Page Preview
Page 973
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ તત્ત્વાર્થસૂત્રને તત્વાર્થનિર્યુકિત-જીવ અજીવ આદિ નવ તત્ત્વોથી ક્રમ પ્રાપ્ત પાપતત્વને આ પાંચમાં અધ્યાયમાં પ્રરૂપિત હોવાના પ્રસ્તાવથી દુ:ખરૂપ તેના ફળભેગના તીવ્ર વિપાક સ્થાન હોવાથી રત્નપ્રભા આદિ સાત–નરકાસૂમિઓની પ્રરૂપણ કરવામાં આવે છે– રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમપ્રભા આ સાત નરકમૂનિઓ ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશના આધારે રહેલી છે અને નીચે નીચે, પછી પછીની પૃથ્વિ પહોળી થતી જાય છે. આ સાતે પૃથ્વિઓ પોત-પોતાના નામને સાર્થક કરે છે જેવી રીતે રત્નની પ્રભાવાળી રત્નપ્રભા (૧) શર્કરા-તીણ કાંકરાની પ્રભાવાળી શકરપ્રભા (૨) એવી જ રીતે વાલુકા પંક, ધૂમ, તમઃ, તમસ્તમઃ પ્રભા એ પાચેના સંબંધમાં સમજી લેવું. આ સાતે પૃથ્વિ ઘદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ ઉપર રહેલી છે જેમકે—સૌથી નીચે પ્રથમ આકાશ છે, તેની ઉપર તનુવાત-સૂમ વાયુ છે, તેની ઉપર ઘનવાત કહેતાં ઘનિષ્ઠ વાયુ છે, તેની ઉપર ઘોદધિ-ઘન–વા સમાન જામેલું પાણી છે તેની ઉપર સાતમી તમસ્તમ પ્રભા પૃથ્વિ ટકેલી છે. એવી જ રીતે તેની ઉપર પાછા આ કમથી આકાશ તનુવાત, ઘનવાત ઘોદધિ છે તે ઘોદધિ પર છઠી તમારપ્રભા પૃથ્વિ પ્રતિષ્ઠિત છે. આવી જ રીતે દરેક વિના અન્તરાળમાં આકાશ આદિ ચાર બોલ હોય છે, પ્રત્યેક ચાર બોલની ઉપર દઠી, ૫મી, ૪થી, ૩જી, રજીઅને ૧લી રત્નપ્રભા પૃથ્વિ પ્રતિષ્ઠિત છે તથા રત્નપ્રભાથી લઈને ઉત્તરોત્તર પૃથ્વિ ઉપર-ઉપરની અપેક્ષાથી નીચે નીચેની પૃવિઓ પહેલી હોય છે આ સાતે પૃથ્વિઓ એક-એકની નીચે-નીચે હોય છે. જેવી રીતે રત્નપ્રભાની નીચે શર્કરા પ્રભા પૃથ્વિ રત્નપ્રભાની અપેક્ષા પહોળી છે (૨) અને શર્કરામભાની અપેક્ષા તેની નીચેની વાલુકા પ્રભા પૃથ્વિ પહોળી છે (૩) તેની નીચે પંકપ્રભા પૃથ્વિ વાલુકાપ્રભા પૃશ્વિની અપેક્ષા પહેલી છે (૪) પંકપ્રભા પૃથ્વિની અપેક્ષા એની નીચેની ધૂમપ્રભા પૃથ્વિ પહોળી છે (૫) ધૂમપ્રભાની અપેક્ષા એની નીચેની તમ પ્રભા શિવ પહેલી છે (૬) તમ પ્રભાની અપેક્ષા તેની નીચેની તમસ્તમપ્રભા પૃથ્વિ પહોળી છે. (૭) આવી રીતે સાતે પૃથ્વિ ઘોદધિ વલય પર પ્રતિષ્ઠિત છે. ઘને દધિવલય ઘનવાતવલય પર પ્રતિષ્ઠિત છે. ઘનવાતવલય તનુવાતવલય પર પ્રતિષ્ઠિત છે. તનુવાતવલય આકાશ પ્રતિષ્ઠિત છે. આ બધા વલયાકાર હોવાથી વલય શબ્દથી કહેવામાં આવ્યા છે. આ પૃથ્વિઓને પરસ્પર કેટલે અન્તરાળ છે તે કહીએ છીએ–રત્નપ્રભાની નીચે અસંખ્યાત કરોડ જન જવાથી શર્કરપ્રભા પૃથ્વિ આવે છે (૨) શર્કરા પ્રભા વૃશ્વિની નીચે અસંખ્યાત કરોડા કરેડ જન જઈએ તે વાલુકાપ્રભા પૃથ્વિ આવે છે. આવી જ રીતે બાકીની પંકપ્રભા આદિ પૃથ્વિએ પણ એક-એકની નીચે અસંખ્યાત કરોડા કડજનની અન્તરાળથી આવેલી છે – અહીં ઘન શબ્દના પ્રયોગથી તે પાણી ઘનીભૂત છે નહીં કે દ્રવીભૂત અર્થાત તે પાણી વજ માફક જામી ગયેલ ઘનરૂપ છે પરંતુ દ્રવ માફક પ્રવાહી નથી એવો ભાવ સમજ. એની હેઠળને વાયુ બંને પ્રકાર છે. પ્રથમ ઘન અને બીજો તનુની માફક પ્રવાહી છે. ઘોદધિ અસંખ્યાત હજાર જનની પહોળાઈવાળા ઘનવાત પર આવેલ છે, ઘનવાત અસંખ્યાત
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy