SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ તત્વાર્થસૂત્રને " આ પ્રકારે જમ્બુદ્વીપમાં ધાતકીખન્ડ દ્વીપમાં તથા અધ પુષ્કરદ્વીપમાં, એમ અઢી દ્વીપ પરિમિત મનુષ્ય-ક્ષેત્રમાં, માનુષત્તર પર્વતની અંદર-અંદરના વિસ્તારમાં જ ચન્દ્ર સૂર્ય વગેરે ચાલે છે તેનાથી આગળ ભ્રમણ કરતાં નથી-અવસ્થિત રહે છે. ધ્રુવ નામને તારો અવિચળ છે. તે મેરૂની પ્રદક્ષિણા કરતે થકે સંચાર કરતે નથી પરંતુ તેના સિવાયના બીજા બધા તારા અને ચન્દ્ર સૂર્ય આદિ મેરૂની પરિક્રમા કરતા થકા જ સંચાર કરે છે, તેમને જ કેન્દ્રમાં રાખીને ગતિની પ્રરૂપણ કરી છે. અથવા—ચન્દ્ર સૂર્ય આદિ કઈ-કઈ તિષ્ક મેરૂની પ્રદક્ષિણ કરતા થકા નિરન્તર ગતિશીલ છે તથા કઈ-કઈ ધ્રુવતાર વગેરે તિષ્ક મેરૂની પ્રદક્ષિણા ન કરતા થકા જ નિત્ય ગતિશીલ છે કારણ કે તે પણ પિતાની પરિધિમાં સંચાર કરતા રહે છે. જમ્બુદ્વીપમાં બે સૂર્ય છે, લવણસમુદ્રમાં ચાર સૂર્ય છે, ધાતકીખંડ દ્વીપમાં બાર સૂર્ય છે અને કાલેદધિ સમુદ્રમાં બેંતાળીસ, સૂર્ય છે. અર્ધ પુષ્કર દ્વીપમાં તેર સૂર્ય છે આમ બધાં મળીને મનુષ્યલકમાં ૧૩૨ સૂર્ય છે. મનુષ્યલેકમાં ચન્દ્રમાઓની પણ એટલી જ સંખ્યા છે. ભસ્મરાશિ આદિ ગ્રહ ૮૮ છે નક્ષત્ર ૨૮ છે. એક એક ચદ્રમાના-પરિવાર રૂપ તારા (૬૬૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) છાસઠ હજાર નવસો પંચોતેર કેડાડી છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા આ બધાં તિષ્ક તિછલેકમાં જ રહેલાં છે. સૂર્ય પિતાના તાપથી પ્રકાશિત થતા તેમજ મેરૂની પ્રદક્ષિણા કરેત થકો સંચાર કરે છે. પ્રત્યેક સૂર્યનું તાપક્ષેત્ર અન્દરની બાજુ સંકેચાયેલું અને બહારની તરફ વિશાળ કલંબુ નામના કુલના આકારનું હોય છે. જમ્બુદ્વીપમાં સૂર્યનું વધુમાં વધુ તાપક્ષેત્ર પરિમાણુ સુડતાળીસ હજાર બસો તેસઠ જન–અને એજનને એકવીસ સાઈઠાંશ ભાગ (૪૭૨૬૩૨) હેય છે. સૂર્યને એક ચોરાશી મંડળ છે. સૂર્યને સર્વ ઉત્તરમાં અને સર્વ દક્ષિણમાં ઉદય થવાથી પાંચ દશ (૫૧૦) જનનું અંતર થાય છે. આ અંતર એકસો એંશી (૧૦૦) જન જમ્બુદ્વીપમાં અને ૩૩૦ યોજન લવણસમુદ્રમાં દેખી શકાય છે. ચન્દ્રમાના મંડળ પંદર (૧૫) છે જમ્બુદ્વીપમાં સૂર્ય અને ચન્દ્ર જ્યારે સૌથી અંદરના મંડળમાં હોય છે ત્યારે તેમનામાં નવ્વાણું હજાર છસો ચાળીશ (૯,૬૪૦) જનનું અંતર હોય છે. સૂર્યના મંડળની લંબાઈ-પહોળાઈ એક યેાજનના એકસઠ ભાગમાંથી અડતાળીશ ભાગ છે. (૬૬) મનુષ્યલકની બહારના સૂર્યના વિમાન-મંડળનો વિસ્તાર ચોવીસ જન અને એકસઠ ભાગ (૨) છે. મનુષ્યલકની બહાર સૂર્યના વિમાન મંડળનો વિસ્તાર બાર એજન અને એક યેાજનને એકસઠ ભાગ (૧૨) છે. ચન્દ્રમાના વિમાનમંડળને વિસ્તાર પર છપ્પન્ન એકસાઠાંશ ભાગ છે. ગ્રહના વિમાનમંડળને વિસ્તાર અર્ધા યેાજનને છે. નક્ષત્રોના વિમાનમંડળને વિસ્તાર એક ગાઉને હોય છે. સૌથી મોટા તારાના વિમાનમંડળને વિસ્તાર અર્ધા ગાઉને છે અને સહુથી નાના તારાના વિમાનમંડળને વિસ્તાર પાંચસો ધનુષ્ય છે. પરંતુ મનુષ્ય ક્ષેત્રથી બહાર અર્થાત્ માનુષત્તર પર્વતના બ્રહદ્ દેશમાં જે સૂર્ય વગેરે તિષ્ક છે તેઓ અવસ્થિત હોય છે, ભ્રમણ કરતાં નથી. તેમના વિમાનપ્રદેશ પણ અવસ્થિત'
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy