SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ २४७ ગુજરાતી અનુવાદ અ. ૪ પચીસ ભાવનાઓનું નિરૂપણ માંદગી અવસ્થા આદિમાં મળ-મૂત્ર એકઠો કરવા માટેના પાત્ર રાખવા માટે, હાથ વગેરે દેવાના સ્થાન આદિ માટે ફરીવાર યાચના કરવી જોઈએ જેથી તેના સ્વામીના મનમાં કેઈ દુઃખ ન ઉપજે. આવી જ રીતે બધી બાજુએથી આટલી–આટલી જગ્યા અમે વાપરીશું એવું નક્કી કરીને તેની આજ્ઞા લેવી જોઈએ. (૧૩) પીઠ-ફલક અર્થત પાટો તથા ઓઠીંગણ વગેરે માટે પણ વૃક્ષ વગેરેનું છેદન ન કરવું અદત્તાદાનવ્રતની ત્રીજી ભાવના છે. (૧૪) જે આહાર સાધારણ હોય અર્થાત અનેક સાધુઓ માટેનું હોય, તેમાંથી લઈને વધારે ખાવું ન જોઈએ. જે અને જેટલા આહારને લેવાની ગુરુની આજ્ઞા હોય તેટલું જ ગ્રહણ કરવું જોઈએ. ગુરુની આજ્ઞાથી ગ્રહણ કરવામાં આવેલા આહારપાણને સૂત્રોક્ત વિધિ અનુસાર ઉપભેગ કર જોઈએ. આવી જ રીતે ઔધિક અને ઔપચાહિક ઉપધિ-વસ્ત્ર વગેરે બધું જ ગુરુની આજ્ઞાથી, વન્દનપૂર્વક, ગુરુના કહેવા મુજબ જ કામમાં લેવા જોઈએ. આ પ્રકારની ભાવનાવાળા અદાદાનવિરમણ વ્રતનું ઉલ્લંઘન કરતા નથી. (૧૫) હમેશાં સાધુની વૈયાવચ્ચ કરવી જોઈએ. (૧૬) બ્રહ્મચર્યવ્રતની પૂર્વોક્ત પાંચ ભાવનાઓમાંથી સ્ત્રી-પશુ-નપુંસક (ફાડા)થી રહિત સ્થાનને ઉપયોગ કરવાને આશય છે દેવ-મનુષ્ય સ્ત્રી, તિર્યંચજાતિ–ઘડી, ગાય, ભેંસ, બકરી, ઘેટાં વગેરેના સંપર્કવાળા આસન–શયન વગેરેને ત્યાગ કરવો. જે સ્થાનમાં આ બધાં હોય તેમાં નિવાસ કરવાથી અનેક હાનિઓ થાય છે. આથી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવા માટે આ ભાવનાથી આત્માને વાસિત કર જોઈએ. (૧૭) સ્ત્રી, પશુ, નપુંસકને સભાવ ન હોય તે પણ રાગયુક્ત થઈને સ્ત્રીકથા અર્થત સ્ત્રીઓ સંબંધી વાર્તાલાપને ત્યાગ કર જોઈએ. મેહજનિત રાગ રૂપ પરિણતિથી યુક્ત સ્ત્રીકથા જેમાં દેશ, જાતિ, કુળ, વેશભૂષા બોલ ચાલ, ગતિ, વિલાસ,વિભ્રમ, ભ્રમરે મટકાવવી, કટાક્ષ, હાસ્ય, લીલા, પ્રણયકલહ આદિ શૃંગાર રસ સમ્મિલિત છે તેનાથી પરિપૂર્ણ હોવાના કારણે વંટોળી આ જેવા ચિત્તરૂપી સમુદ્રને ક્ષુબ્ધ કરી નાખે છે આથી રાગ સંબંધિત સ્ત્રીકથાને ત્યાગ કરે જ શ્રેયસ્કર છે. (૧૮) સ્ત્રીઓની મને હર ઇન્દ્રિયેના અવલોકનથી પણ બચવું જોઈએ. તેમના મને રમ સ્તન આદિના-અવલોકનથી વિરત થવું જ શ્રેયસ્કર છે એવી ભાવના ભાવવી જોઈએ. (૧૯) પૂર્વકાળમાં ભગવેલા ભેગેનું સમરણ ન કરવું જોઈએ સાધુ–અવસ્થામાં ગૃહદશામાં ભગવેલા ભેગેનું સ્મરણ કરવાથી કામાગ્નિ પ્રજવલિત થાય છે. આથી તેમનું સ્મરણ છેડી દેવામાં જ કલ્યાણ છે. (૨૦) પ્રતિદિન કારણ વગરેપૌષ્ટિક ભજન પણ ન કરવું જોઈએ. બળ-વીર્યવર્ધક સ્નિગ્ધ મધુર આદિ રસનું સેવન કરવાથી તથા દૂધ, દહીં, ઘી, ગોળ તેલ વગેરેના સેવનથી મેદ, મજજા તથા વીર્ય વગેરે ધાતુઓને સંગ્રહ થાય છે અને એનાથી મેહની ઉત્પત્તિ થાય છે
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy