SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ. અ. ૪. પાંચ મહાવ્રત–આણુવ્રતનું કથન સૂ. ૧૦-૧૧ ૨૪૩ કરવી ચારિત્રનું લક્ષણ છે. મન, વચન કાયા દ્વારા કરેલું, કરાવેલું અને અનમેદન–આપવાના ભેદથી તે અનેક પ્રકારના છે. સ્થાનાંગ સૂત્રના પાંચમા સ્થાનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે--મહાવ્રત પાંચ કહેવામાં આવ્યા છે તે આ મુજબ છે–સમસ્ત--પ્રાણાતિપાતથી વિરત થવું અર્થાત્ સમસ્ત પરિગ્રહથી વિરત થવું. આવશ્યક અને દશવૈકાલિકસૂત્રમાં પણ મહાવ્રત પાંચ જ કહેવામાં આવ્યા છે ૧ “Torgવાતો તો' ઇત્યાદિ સૂત્રાર્થ–પ્રાણાતિપાત આદિ એકદેશથી વિરત થવું પંચ અણુવ્રત છે ૧૧ તાવાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં પ્રાણાતિપાત આદિથી પૂર્ણ રૂપથી વિરત થવા રૂપ પાંચ મહાવ્રતનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે એ બતાવવા માગીએ છીએ કે તે જ પ્રાણાતિપાત આદિથી આંશિક રૂપથી વિરત થવું પાંચ અણુવ્રત છે— પ્રાણાતિપાત આદિ પાંચ પાપથી દેશથી વિરત થવું પાંચ અણુવ્રત છે પ્રાણવ્યપરોપણ અથવા જીવહિંસાને પ્રાણાતિપાત કહે છે. સૂત્રમાં વાપરેલ “આદિ શબ્દથી અસત્યભાષણ, સ્તેય, મૈથુન અને પરિગ્રહ સમજવાના છે. આ પાંચમાંથી એક દેશથી વિરત થવું પાંચે અણુવ્રત છે અર્થાત સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ અને સ્થળ પરિગ્રહવિરમણ અર્થાત્ પરિગ્રહ પરિમાણ આ પાંચ અણુવ્રત છે ૧૧ તત્વાર્થનિર્યતિ–પ્રથમ સંપૂર્ણ પ્રાણિઓની જીવહિંસાથી નિવૃત્તિ સંપૂર્ણ મૃષાવાદથી, સંપૂર્ણ અદત્તાદાનથી, સંપૂર્ણ અબ્રહ્મચર્યથી તથા સંપૂર્ણ પરિગ્રહથી નિવૃત્તિ રૂપ પાંચ મહાવ્રતનું-નિરૂપણ કરવામાં આવ્યું હવે સ્થૂળ પ્રાણાતિપાત આદિથી નિવૃત્તિ રૂપ પાંચ અણુવ્રતનું કથન કરીએ છીએ. પ્રાણાતિપાત આદિને આંશિક રૂપથી ત્યાગ કર પાંચ અણુવ્રત કહેવાય છે. હિંસા બે પ્રકારની છે. સંક૯પની અને આરમ્ભની અથવા સૂક્ષ્મ અને સ્થૂળના ભેદથી પણ હિંસાના બે ભેદ છે. સંપૂર્ણ પ્રાણાતિપાતથી વિરત ન થવું પરંતુ એકદેશથી જ વિરત થવું કેવળ સ્થૂળ રૂપ સંકલ્પની હિંસાને ત્યાગ કરવો શૂળપ્રાણાતિપાત વિરતિ નામનું આણુવ્રત છે. આવી જ રીતે બધા પ્રકારના મૃષાવાદને ત્યાગ ન કરતાં માત્ર એકદેશથી અર્થાત્ જુઠી સાક્ષી આપવી વગેરે રૂપ અસત્યભાષણથી નિવૃત્ત થવું સ્થળ મૃષાવાદવિરતિ અણુવ્રત છે આ આયુવ્રતમાં સ્થૂળ અસત્યને જ ત્યાગ કરવામાં આવે છે, સૂમ મૃષાવાદને નહીં. એ જ પ્રમાણે સ્થળ અદત્તાદાનનો ત્યાગ કરે અદત્તાદાન વિરમણ અણુવ્રત કહેવાય છે. આ અણુવ્રતમાં બધાં પ્રકારના અદત્તાદાનને ત્યાગ થતું નથી પરંતુ સ્થૂળ અદત્તાદાનને જ ત્યાગ કરવામાં આવે છે. જે અદત્તાદાનથી આ લેક તથા પલકમાં ચોરીને દેષ લાગે છે જેનાથી સામાન્યતયા ચેરી કહી શકાય છે અને જે ચોરી રાજ્ય દ્વારા દડનીય હોય છે જે કારણથી કારાગૃહ અને નરકના પાત્ર બનવું પડે છે તેને ધૂળ ચેરી સમજવી. ઠઠ્ઠામશ્કરીમાં કેઈની ચીજ લઈ લેવી અથવા સંતાડી દેવી સ્થૂળ ચેરી નહીં પણ સૂમ ચારી છે. ગૃહસ્થો આવી ચારીને ત્યાગ કરતા હોતાં નથી.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy