SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩ મેહનીય નામનીમૂળ કર્મપ્રકૃતિના ભેદનું નિરૂપણ સૂ. ૯ ૧૮૩ નારકી તિર્થચ, મનુષ્ય અને દેવ રૂપ ચાર ગતિ તથા જન્મ જરા મરણરૂપ અનન્ત સંસાર ને અનુબન્ધ કરવાવાળો કષાય અનન્તાનુબન્ધી કહેવાય છે. ક્રોધ, માન, માયા, અને લોભ એના ચાર ભેદ હોય છે. આમાંથી કેધનું લક્ષણ અપ્રીતિ છે. માનનું લક્ષણ ગર્વ છે, માયાનું લક્ષણ લુચ્ચાઈ છે અને લેભનું લક્ષણ લાભ-આસક્તિ છે. કહ્યું પણ છે– જે કષાય જીવને અનન્ત ભાથી સંજિત કરે છે તેને અનન્તાનુબંધી અથવા સંજના કવાય કહે છે કે ૨ અનન્તાનુબન્ધી કક્ષાના પર્વતમાં પડેલી ફાટ, પથ્થર, વાંસની જડ અને કરમી રંગ એ ચાર ઉદાહરણ છે. કહેવાનું એ છે કે જેમ પર્વતની ફાટ કદી પણ સંધાતી નથી તેમ જ ક્રોધ જીવનપર્યત કયારે પણ ન મટે તેને અનન્તાનુબધી ક્રોધ સમજવું જોઈએ. જેમ પથ્થર કદી પણ નમતું નથી તેવી રીતે જે માન આજીવન દૂર ન થાય તે અનન્તાનુબન્ધી માને છે. જેવી રીતે વાંસની જડમાં અત્યન્ત વક્રતા હોય છે તેવી જ રીતની વક્રતા અનન્તાનુબન્ધી માયામાં હોય છે. જેમ વસ્ત્રમાં લાગેલે કરમીએ રંગ અન્ત સુધી દૂર થતો નથી તેવી જ રીતે જે લેભા જીવનના અન્ત સમય સુધી ન છૂટે તે અનન્તાનુબધી લભ કહેવાય છે અર્થાત અનન્તાનુબંન્ધી ક્રોધને સ્વભાવ પથરાની લકીર બરાબર, માનને સ્વભાવ વાના થાંભલા, માયાને સ્વભાવ વાંસની જડ તથા લેભને સ્વભાવ કરમીઆ રંગ જે હેય છે. અપ્રત્યાખ્યાન કષાય પણ ક્રોધ આદિના ભેદથી ચાર પ્રકારના છે. પ્રત્યાખ્યાન બે પ્રકારના હોય છે—દેશવિરતિ રૂપ અને સર્વવિરતિરૂપ. આમાંથી દેશવિરતિ પ્રત્યાખ્યાન અ૫ હેવાના કારણે અપ્રત્યાખ્યાન કહેવાય છે તેને આવૃત કરનાર અર્થાત ઉત્પન્ન ન થવા દેનાર કષાય અપ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. જે કષાય સ્વલ્પ પ્રત્યાખ્યાન પણ થવા દેતું નથી તે સર્વવિરતિપ્રત્યાખ્યાન ને પણ અટકાવે છે એમાં કેઈ આશ્ચર્યની બાબત નથી. કહ્યું પણ છે-જે કષાય જીવના સ્વલ્પ (એકદેશીય) પ્રત્યાખ્યાનને પણ રેકે છે તે સામાન્યતયા અત્યાખ્યાનાવરણ કષાય કહેવાય છે. ૧ આ અપ્રત્યાખ્યાનાવરણ કષાયોને ઉદય થવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થવા છતાં પણ સર્વ વિરતિ અથવા દેશવિરતિ પ્રત્યાખ્યાન થતું નથી. જે કષાય સર્વવિરતિ પ્રત્યાખ્યાનનું આવરણ કરે છે અર્થાત્ સર્વવિરતિ ચરિત્ર થવા દેતું નથી તે પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવાય છે. હું કોઈ પણ જીવની આજીવન, મન, વચન અને કાયાના યોગથી હીંસા કરીશ નહીં, કરાવીશ નહીં તેમજ કઈ કરતું હશે તેને અનમેદન ટેકે) આપીશ નહીં આ પ્રકારનું પ્રત્યાખ્યાન (પચ્ચખાણુ) સર્વવિરતિ પ્રત્યાખ્યાન કહેવાય છે. આને જે ઉત્પન્ન ન થવા દેતે પ્રત્યાખ્યાનાવરણ કષાય છે. કહ્યું પણ છે જેમાં કષાયના ઉદ્યમથી જીવ ઈચ્છવા છતાં પણ સર્વવિરતિ પ્રત્યાખ્યાન કરી શક્યું નથી, તે સામાન્યતયા પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવાય છે કે ૧ છે સંવલન કષાય સમસ્ત પાપસ્થાનોથી વિરત સર્વવિરતિથી સમ્પન્ન સાધુને પણ ટક્કર પરીષહ આવવાથી એકદમ સંજવલિત (કષાયાવિષ્ટ) કરી નાખે છે આથી તેને–સંજ્વલને કપાય કહે છે-કહ્યું પણ છે
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy