SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩. ઉત્તરપ્રકૃતિ બંધના ભેદનું નિરૂપણ સૂ. ૫ ૧૭૭ વેદનીયકર્મના બે ભેદ છે. પ્રજ્ઞાપના સૂત્રના ૨૩માં ઉદ્દેશકમાં કહ્યું છે-સાતવેદનીય અને અસાતવેદનીય. મેહનીયકર્મ અઠયાવીસ પ્રકારના છે–પ્રજ્ઞાપનામાં ઉપર કહેલા સ્થળ પર જ કહ્યું છે પ્રશ્ન–ભગવંત! મેહનીય કર્મ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર–ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે જેમકે-દર્શનમેહનીય અને ચારિત્રમેહનીય. પ્રશ્ન-ભગવંત! દર્શન મેહનીય કર્મ કેટલા પ્રકારના છે? ઉત્તર–ગૌતમ! ત્રણ પ્રકારના કહ્યા છે–સમ્યકત્વ વેદનીય, મિથ્યાત્વ વેદનીય અને સમ્યક મિથ્યાત્વવેદનીય. પ્રશ્ન–ભગવંત! ચારિત્રમેહનીય કર્મ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? ઉત્તર–ગૌતમ! બે પ્રકારના કહ્યાં છે-કષાયવેદનીય અને નેકષાયવેદનીય. પ્રશ્ન–ભગવંત ! કષાયવેદનીય કેટલા પ્રકારના કહ્યાં છે ? ઉત્તર–ગૌતમ! સોળ પ્રકારના છે અનન્તાનુબંધી ક્રોધ, અનન્તાનુબંધી માન, અનન્તાનુબંધી માયા અને અનન્તાનુબંધી લેભ. અપ્રત્યાખ્યાન કોઇ અપ્રત્યાખ્યાન માન અપ્રત્યાખ્યાન - માયા અને અપ્રત્યાખ્યાન લેભ. પ્રત્યાખ્યાન કે. પ્રત્યાખ્યાન માન, પ્રત્યાખ્યાન માયા અને પ્રત્યાખ્યાન લેભ તથા સંજવલન કે સંજ્વલન માન, સંજ્વલન માયા અને સંજ્વલન લેભ. પ્રશ્ન-ભગવંત!નેકષાયનીય કર્મ કેટલા પ્રકારનાં છે ? ઉત્તર–ગતમ!નવ પ્રકારના છે જેમકે સ્ત્રીવેદવેદનીય, પુરુષવેદ વેદનીય. નપુંસકવેદ વેદનીય, હાસ્ય, રતિ, અરતિ ભય શેક અને જુગુપ્સા. આયુષ્ય કર્મના ત્યાં જ ચાર ભેદ કહ્યાં છે જેમકેપ્રશ્ન-ભગવંત! આયુષ્યકર્મ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર–ગૌતમ! ચાર પ્રકારના કહ્યાં છે–નરયિકાયુ, તિર્યગાયુ, મનુષ્પાયુ અને દેવાયુ. તે જ સ્થાને નામકર્મના બેંતાળીશ ભેદ કહ્યાં છેપ્રશ્ન-ભગવંત! નામકર્મ કેટલા પ્રકારના કહ્યાં છે? ઉત્તર–ગૌતમ ! બેંતાળીશ પ્રકારના કહ્યાં છે જેવા કે-(૧) ગતિનામ (૨) જાતિનામ (૩) શારીરનેમ (૪). શરીરનામ (૫) શરીર બધનનામ (૬) શરીર સંહનન નામ (૭) સંધાત નામ (૮) સંસ્થાન નામ (૯) વર્ણનામ (૧૦) ગંધનામ (૧૧) રસનામ (૧૨) સ્પર્શનામ (૧૩) અગુલધુનામ (૧૪) ઉપઘાતનામ (૧૫) પરાઘાતનામ (૧૬) આનુપૂર્વનામ (૧૭) ઉચ્છવાસનામ (૧૮) આતપનામ (૧૯) ઉદ્યોતનામ (૨૦) વિહાગતિનામ (૨૧) ત્રનામ (૨૨) સ્થાવરનામ (૨૩) સૂક્ષ્મનામ (૨૪) બાદરનામ (૨૫) પર્યાપ્ત નામ (૨૬) અપર્યાપ્ત નામ (૨૭) સાધારણ શરીરનામ (૨૮) પ્રત્યેક શરીરનામ (૨૯) સ્થિરનામ (૩૦) અસ્થિરનામ (૩૧) શુભનામ (૩૨) અશુભનામ (૩૩) સુભગનામ (૩૪) દુર્ભાગનામ (૩૫) સુસ્વરનામ (૩૬) દુઃસ્વરનામ (૩૭) અદેયનામ (૩૮) અનાદેયનામ (૩૯) યશકીર્તિનામ (૪૦ અયશેકીર્તિ નામ (૪૧) નિર્માણ નામ અને (૪૨) તીર્થકર નામ. ગોત્રકર્મ બે પ્રકારના કહ્યાં છે. ૨૩
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy