SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩. કર્મબંધના કારણનું નિરૂપણ સૂ૦ ૩ આદિ ચાર ગુણસ્થાનમાં છે. અને કષાય કારણ છે. ઉપશાંત કષાય, ક્ષીણ કષાય તથા સગી કેવળીમાં એકલે યોગ જ બધનું કારણ હોય છે. અગી-કેવળીમાં બન્ધનું કઈ કારણ ન રહેવાથી બન્ધ જ થતો નથી. ૩ તત્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં કર્મભાવબંધનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. હવે બન્ધના પાંચ હેતુઓનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ–બન્ધના પાંચ કારણ છે-મિથ્યાદર્શન અવિરતિ, પ્રમાદ, કષાય અને ગ. કમબન્ધના આ સામાન્ય કારણોમાં પહેલું મિથ્યાદર્શન છે. તત્વાર્થ શ્રદ્ધાન રૂ૫ સમ્યકદશનથી ઉ૯૮ તત્વાર્થનું અશ્રદ્ધાન મિથ્યાદર્શન કહેવાય છે. પાપસ્થાનેથી નિવૃત્તિને વિરતિ કહે છે તેનાથી જે ઉલટું હોય અથત પાપસ્થાનેથી નિવૃત્ત ન થાય, તેને અવિરતિ કહે છે. ઈન્દ્રિયના વિષયેમાં રાગ-દ્વેષપૂર્વક–પ્રવૃત્તિ કરવી વિકથાઓ કરવી ગાઢી તથા લાંબી ઉધ લેવી ઈન્દ્રિયના દેષથી મોક્ષમાર્ગમાં-શિથિલતા થવી અથવા સારા કાર્યોમાં આદરભાવ ન હવ-પ્રમાદ કહેવાય છે. અનન્તાનુબધી વગેરેના ભેદથી ચાર-ચાર પ્રકારના ક્રોધ માન માયા લેભ એ કષાય છે. માનસિક વાચનિક અને કાયિક વ્યાપાર યુગ કહેવાય છે. આ મિથ્યાદર્શન વગેરે પાંચ કર્મબન્ધના સામાન્ય કારણ છે. મિથ્યા અર્થાત અયથાર્થ–બટું દર્શન અથવા દૃષ્ટિ કહેવાને અભિપ્રાય એ છે કે અયથાર્થ શ્રદ્ધાન મિથ્યાદશન છે હિંસા આદિ પાપમય કૃત્યથી વિરત થવું વિરતિ અર્થાત સંયમ છે. વિરતિ ન થવી તે અવિરતિ અર્થાત્ અસંયમ છે જેનાથી કહેવા માગે છે કે હિંસા વગેરે નિંદવા ગ્ય કર્મોને ત્યાગ ન કરે. સાવધ ન રહેવું પ્રમાદ કહેવાય છે. કષની જેનાથી આયાત થતી હોય તે કષાય જીવ જ્યાં શારીરિક અને માનસિક વિટંબણાઓથી કસાય છે–દુખિત કરવામાં આવે છે તે સંસાર કષ છે અને તેના આય” અર્થાત્ આગમનના જે આભ્યન્તર કારણ છે તેમને કષાય કહે છે. ક્રોધ માન માયા અને લેભ કષાય છે. જે મન વચન તથા કાયાના વ્યાપાર દ્વારા કર્મથી યંગદ્રવ્યથી અગર વીર્યન્તરાય કમના ક્ષપશમથી ઉત્પન્ન વીર્ય પર્યાય દ્વારા જે યુક્ત કરવામાં આવે, તે યુગ છે. આમાથી મિથ્યાદર્શન બે પ્રકારના છે-અભિગૃહીત તથા અનભિગૃહીત. સંદિગ્ધ અનભિ ગૃહીત. મિથ્યાદર્શનને ભેદ છે. મતિજ્ઞાન વગેરે કઈ પણ વિષયને દૃષ્ટિમાં રાખીને અસભ્ય ને સ્વીકાર કરવો દા. ત. “આ જ સાચું છે. આ અભિગૃહીત મિથ્યાદર્શન કહેવાય છે, તેથી ભિન્ન મિથ્યાદર્શન અનભિગ્રહીત કહેવાય છે. કહેવાનું એ છે કે સંદિગ્ધ પણ અનભિગૃહીત મિથ્યાદર્શન જ છે. પ્રમાદના ત્રણ ભેદ છે–સ્મૃતિનું અનવસ્થાન સુભ કાર્યો પ્રત્યે અનાદર તથાનું દુષ્મણિધાન થ. - અગાઉ અનુભવેલી કઈ વસ્તુના વિષયમાં યાદગીરી ન રહેવી સ્મૃતિ અનવસ્થાન કહેવાય છે. વિકથા વગેરેમાં મનડું રમતું રહેવાના કારણે યાદ રહેતું નથી કે આ ર્યા બાદ આ કરવાનું છે. એવી જ રીતે આગમવિહીત ક્રિયાકલાપ અર્થાત્ અનુષ્ઠાનોમાં અનાદર–અનુત્સાહ અથવા પ્રવૃત્તિ ન હોવી એ પણ પ્રમાદ જ છે. મન વચન તથા કાયાને દૂષિત વ્યાપાર થવો, જેથી દશન
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy