SearchBrowseAboutContactDonate
Page Preview
Page 857
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ તત્વાર્થસૂત્રને જુદા જુદા પ્રકારની પ્રકૃતિઓ અર્થાત જ્ઞાનાદિ ગુણોને આવૃત્ત કરવાના વિભિન્ન સ્વભાવેનુ ઉત્પન્ન થઈ જવું પ્રકૃતિબન્ધ છે. ૨. સ્થિતિબન્ધ–-પરિણામ વિશેષ દ્વારા ગ્રહણ કરેલા કર્મના દલિકની આત્માની સાથે બંધાયેલા રહેવાની કાળ મર્યાદાને સ્થિતિબન્ધ કહે છે અથવા જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ પ્રકૃતિના જઘન્ય આદિ ભેદથી ભિન્ન અવસ્થાનનું નિવેતન સ્થિતિબન્ધ કહેવાય છે. ૩. અનુભાગબન્યું--અનુભાગ અર્થાત ગૃહીત કર્મ દલિડેમાં ઉત્પન્ન થનાર તીવ્ર અગર મંદ રસ, તેને બન્ધ અનુભાગબન્ધ કહેવાય છે. ૪. પ્રદેશ બન્ય-જીવપ્રદેશમાં, કમપ્રદેશમાં અનન્ત કર્મપ્રદેશનું પ્રત્યેક પ્રકૃતિમાં નિયત પરિમાણુના રૂપમાં સંબંધ કે પ્રદેશ બન્ધ છે. કમંદલિકેન સંચય પ્રદેશબન્ધ કહેવાય છે. આથી સ્થિતિ અને રસની અપેક્ષા ન રાખતા દલિકેની સંખ્યાની પ્રધાનતાથી જ જે બન્ય થાય તેને પ્રદેશઅન્ય સમજવો જોઈએ. કહ્યું પણ છે. પરિણામને પ્રકૃતિ કહે છે કાળની અવધિને સ્થિતિ કહે છે, રસને અનુભાગ અને દલિના. સમૂહને પ્રદેશ કહે છે. આ ચાર પ્રકારના બોમાં પ્રકૃતિ અને પ્રદેશબધ યોગના નિમિત્તથી થાય છે તથા સ્થિતિબન્ધ તથા અનુભાગબન્ધ કષાયના નિમિત્તથી થાય છે. પેગ અને કયાયની તીવ્રતા અને મન્દતાના ભેદથી બધુમાં જુદાઈ થઈ જાય છે કહ્યું પણ છે–ગથી પ્રકૃતિ અને પ્રદેશબન્ય તથા કષાયથી સ્થિતિ અને અનુભાગઅન્ય જીવ કરે છે. જે જીવને યોગ અને કષાય અપરિણત હોય છે અથવા નાશ પામે છે, તેને વિશેષ સ્થિતિબન્ધનું કારણ રહેતું નથી. ઉપશાન્ત કષાય વીતરાગ અર્થાત્ ૧૧ માં ગુણસ્થાનકના જીવ અપરિણત એગ કષાયવાળા કહેવાય છે અને ક્ષીણ કવાય આદિ જીવ વિનષ્ટ ગ–કષાયવાળા કહેવાય છે. આવા જીવને જે કર્મબન્ધ થાય છે તેમાં બે સમયથી અધિક સ્થિતિ પડતી નથી. સૂ. ૨ ! તત્વાર્થનિયતિ–પાછલા સૂત્રોમાં પ્રતિપાદિત બન્ય શું એક પ્રકારને છે કે અનેક પ્રકારને ? એવી આશંકા થવા પર કહીએ છીએ– મૂકત કર્મબન્ધ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. (૧) પ્રકૃતિબા (૨) સ્થિતિ બન્ય (એ અનુભાગબન્ધ (૪) પ્રદેશઅન્ય પ્રકૃતિને અર્થ છે મૂળ કારણ અહીં તેને આશય સ્વભાવ છે. જેમ-શીતળતા એ પાણીને સ્વભાવ છે અથવા આ પુરૂષ દુષ્ટ પ્રકૃતિ છે એનો અર્થ છે આ, પુરૂષ નઠારા સ્વભાવવાળો છે એવી ઉકિતલેકમાં પ્રસિદ્ધ છે. નાનાવરણ કર્મની પ્રકૃતિ અથવા સ્વભાવ જ્ઞાનને આચ્છાદિત કરે છે આ કારણે જ્ઞાનાવરણ કર્મના ઉદયથી પદાર્થોના જ્ઞાનને અભાવ હોય છે ! દશનાવરણ કર્મના ઉદયથી પદાર્થોના . લેચન (સામાન્ય જ્ઞાન)નો અભાવ હોય છે, એજ પ્રકારે વેદનીય આદિ કર્મોની પણ વિભિન્ન પ્રકૃતિએ સમજી લેવી જોઈએ સ્વભાવને વાચક પ્રકૃતિ શબ્દ સ્વભાવને સાધક છે. પ્રકૃતિરૂપ બંધને પ્રકૃતિ બંધ કહેવાય છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy