SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨. સ્કંધના બંધત્વનું નિરૂપણ સૂ. ર૭ અવસ્થાઓ છે. પરમાણુઓમાંથી એક સ્નિગ્ધ અને બીજું રૂક્ષ હોય છે અને તે સ્નિગ્ધતા તથા રૂક્ષતા જ્યારે વિસદશ માત્રામાં થાય છે ત્યારે તેમને પરસ્પર બંધ થઈ જાય છે. - આ રીતે વિભિન્ન માત્રા (અંશ) વાળા પરસ્પરમાં સંયુક્ત સ્નિગ્ધતા અને રૂક્ષ પરમાણુ આદિ પુદ્ગલેના એક પરિણમન રૂ૫ બન્ધનથી દ્વયક આદિ સ્કંધ ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે એક જગ્યાએથી વિજોગ પામે છે અને બીજી જગ્યાને પૂરે છે. બીજામાં મીલન થાય છે, આ રીતે પૂરણ અને ગલનનું કારણ તે પુદ્ગલ કહેવાય છે. પૂરક થઈને તે સ્કધને ઉત્પન્ન કરે છે અને ગલન કરીને સ્કંધમાં ભેદ ઉત્પન્ન કરે છે. જેટલાં પણ બન્ધન છે. બધા સંગપૂર્વક જ થાય છે. સ્નિગ્ધતા અને રૂક્ષતાની વિશેષતાના કારણે પરમાણુને બીજા પરમાણુ સાથે સંલેષરૂપ બંધ થાય છે. બધા પરમાણુઓમાં સ્નિગ્ધતા એક સરખી હોતી નથી. કેઈમાં એક ગુણ (ડિગ્રી) સ્નિગ્ધતા હોય છે, કેઈમાં અસંખ્યાત ગુણ અને કઈમાં અનન્તા ગુણ પણ સ્નિગ્ધતા હોય છે. પાણીમાં થોડી સ્નિગ્ધતા છે તેની અપેક્ષા બકરીના દૂધમાં વધારે છે અને પછી ગાય ભેંસ ઊંટડી તથા ઘેટીના દૂધમાં ક્રમશઃ વધુ-વધુ સ્નિગ્ધતા (ચિકાસપણું) જોવામાં આવે છે. ઘીમાં તેથી પણ વિશેષ હોય છે. એવી જ રીતે રૂક્ષતા પણ ઓછા વધુ માત્રામાં વિદ્યમાન રહે છે. કઇ પુલહીન રૂક્ષતાવાળે કઈ મધ્યમ રૂક્ષતાવાળે કોઈ ઉત્કૃષ્ટ રૂક્ષતાવાળો હોય છે. કેઈમાં સંખ્યાત, કઈમાં અસંખ્યાત અને કઈમાં અનન્ત ગુણ રુક્ષતા હોય છે. આ રીતે સ્નિગ્ધતા (ચિકણપણુ) અને રુક્ષતા (લૂખાપણું)ના કારણે પરમાણુઓમાં સંશ્લેષ થાય છે અને તેઓ એકમેકની સાથે બંધાઈ જાય છે. બદ્ધ થવા પર અંધની ઉત્પત્તિ થાય છે પગલદ્રનો આ રીતે બન્ધ થવો પ્રત્યક્ષથી સિદ્ધ છે. સ્થળ જે ઘટ પટ આદિ પુદ્ગલ સ્કંધ છે અને જે પ્રત્યક્ષથી પ્રતીત થાય છે તે જ પરમાણુઓના બધના અનુમાપક છે અર્થાત્ તેમને જેવાથી પરમાણુઓના બજૂનું અનુમાન કરી શકાય છે કારણ કે પરમાણુઓને સંઘાત થવા વગર મહાન આકાર ઉત્પન્ન થઈ શકતા નથી. આ રીતે પ્રત્યક્ષથી સિદ્ધ ઘટ આદિ પિન્ડોથી પરમાણુઓના સંજોગ બન્ધનું અનુમાન થાય છે આથી એવું સમજવું જોઈએ કે સ્નેહ ગુણવાળા અને રૂક્ષ ગુણવાળા-પરમાણુઓનો બન્ધ થાય છે. પરંતુ એ નિયમ નથી કે બધા સ્નિગ્ધતા ગુણવાળા પુદ્ગલેને બધા રુક્ષ પગની સાથે બબ્ધ થઈ જ જાય છે. જે કઈ પુદ્ગલમાં એક ગુણ સ્નિગ્ધતા છે તે એક ગુણ રુક્ષતવાળા પુદ્ગલની સાથે તેનો બધ થતું નથી કારણ કે બંને જ પુદ્ગલ જઘન્ય ગુણવાળા છે આથી તેમનામાં ગુણની વિસદૃશતા અર્થાત્ વિષમ પરિમાણ નથી. સ્વસ્થાનની અપેક્ષાથી સ્નિગ્ધ પુદ્ગલને સ્નિગ્ધ પુદ્ગલની સાથે બન્ધ થતું નથી એવી જ રીતે એક ગુણ સ્નિગ્ધ પદગલને એક ગુણ રુક્ષ પુગલ સાથે બધ થતું નથી એક ગુણ સ્નિગ્ધ અને એક ગુણ રુક્ષ પગલે સંયોગ થવા છતાં પણ તથા તેમાં સ્નિગ્ધતા તથા રુક્ષતા હોવા છતાં પણ પરસ્પર બન્ધ થતો નથી. આ પગલોનો બન્ધ ન થવાનું કારણ તે તેમાં તે રૂપમાં પરિણત થવાની શક્તિને અભાવ જ પ્રતીત થાય છે. પુદ્ગલમાં પરિણમન કરવાની શક્તિઓ ક્ષેત્ર અને કાળ અનુસાર
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy