SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ શબ્દાદિ પણ પુદ્ગલના જ ભેદ હોવાનું નિરૂપણ સૂ. ૨૦ ૧૨૯ એ જ પ્રમાણે પરાગ, નીલમ, હીરા વગેરે મણિઓને ઉદ્યોત પણ પુલદ્રવ્યને જ પર્યાય છે કારણ કે તે અનુષ્ણ-અશીત (ન ગરમ ન શીતળ) હોય છે. દાખલા તરીકે પાણું વિશે એવી રીતે અન્ધકાર અને છાંયડે વગેરે મૂર્ણ દ્રવ્યનું કાર્ય હોવાથી તે પૌદ્ધગલિક છે. શંકા–અન્ધકાર પદ્ધતિક નથી કારણ કે તે દ્રવ્ય ગુણ અને કર્મથી વિલક્ષણ છે, તે ભાવાભાવ રૂપ છે અન્ધકાર જો દ્રવ્ય હેત તે અનિત્ય હોવાના સંબંધે ઘદ્ર આદિની જેમ તેની, પતિ થવી જોઈતી હતી પરંતુ દ્રવ્યની જેમ ઉત્પન્ન ન થવાના કારણે, અમૂર્ત હેવાથી સ્પર્શથી રહિત હોવાથી, પ્રકાશથી, વિરૂદ્ધ હોવાથી અને પરમાણુઓ દ્વારા ઉત્પન્ન ન થવાના કારણે તે પુલ, દ્રવ્યનું પરિણામ હોઈ શકે નહીં. અલ્પકાર ગુણ પણ ન હોઈ શકે કારણ કે તેને આધાર ઉપલબ્ધ થતું નથી. ગુણ દ્રવ્યને આશ્રીત જ હોય છે. પ્રકાશનું વિરેાધી હોવાથી પણ અન્ધકાર ગુણ થઈ શકે નહીં અલ્પકાર કર્મ પણ નથી કારણ કે કર્મ પણ કઈને કઈ દ્રવ્યને આશ્રિત જ હોય છે અને અન્યકારનો કઈ આશ્રય ઉપલબ્ધ થતું નથી. જે અન્ધકાર કિયારૂપ હોત તે તેને કઈ આશ્રય પણ પ્રતીત થાત પરંતુ તેને કેઈ આશ્રય ઉપલબ્ધ થતા નથી તેને કિયાં માની શકાય નહીં. જ્યાં તેજને અભાવ હોય છે ત્યાં જ અન્ધારાની પ્રતીતિ થાય છે. તેજ જ્યારે બીજા કોઈ દ્રવ્યથી ઢંકાઈ જાય છે ત્યારે અન્ધકાર હોય છે આથી એ સાબીત થાય છે કે અન્ધકાર પુદ્ગલનું પરિણામ નહીં પરંતુ તેને અભાવ જ છે. સમાધાન—આમ કહેવું એ ન્યાયબદ્ધ નથી. અન્ધકાર પૌગલિક છે કારણ કે તે વ્યવધાન ક્રિયામાં સમર્થ હોય છે, મૂર્ત છે, સ્પર્શવાન છે અને પરમાણુઓથી ઉપન્ન થાય છે જેમ દિવાળ. આથી અન્ધકાર અપગલિક સિદ્ધ કરવા માટે પ્રયુક્ત આપના અમૂર્તત્વ સ્પર્શ હિતત્વ અને પરમાણુ-અકૃતત્વ, આ ત્રણે હેતુ અસિદ્ધ છે. શંકા–જે અન્ધકાર મૂર્ત છે તે આપણને તેના સ્પર્શ આદિની પ્રતીતિ કેમ થતી નથી? સમાધાન–જેમ ગવાક્ષમાં રજકણું દેખાય છે પરંતુ તેમને સ્પર્શ પ્રતીત થતું નથી તેવી જ રીતે અન્ધકારનું પરિણમન એવું વિલક્ષણ છે કે આપણને તેના સ્પર્શની ખાત્રી થતી નથી. જેવી રીતે અગ્નિને પાણી સાથે તેવી જ રીતે પ્રકાશ સાથે અન્ધકારને વેર છે. કેઈ વરંડામાં સોલા દિપકના કિરણેને ઉપઘાત પુષ્ઠરાવ7 મેઘની મૂશ તેવી ધારાઓ પણ નથી કરી શક્તી આથી જળ તથા અશ્ચિને સર્વથા જ વિરોધ હોય એમ નથી તે પણ ઉદ્દગમ સ્થાનમાં • તેમને વિરોધ હોય છે. અગર અન્યકાર પૌગલિક ન હેત તે તેની સાથે પ્રકાશને વિરોધ પણ ન થઈ શક્ત. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનમાં કહ્યું છે— શબ્દ અન્ધકાર ઉદ્યોત પ્રભા, છાયા, આતપ, વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ આ બધાં પુદ્ગલેનાં લક્ષણ છે. પૃથકત્વ સંખ્યા સંસ્થાન, સંયોગ અને વિભાગ આ બધાં પર્યાનાં લક્ષણ છે. ૨૦ पोपला दुखिहा परमाणुणो संघा॥ મૂલણાથ–પુદ્ગલ એ પ્રકારના હોય છે. પરમાણું અને સ્કંધ. • ૨૧ ૧૭
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy