SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૨ ધર્માદિ દ્રવ્યના અવગાહનું નિરૂપણ સૂ. ૧૦ ओगाहो लोगागासे नो अलोगागासे મૂળસૂત્રાર્થ-અવગાહ લેકાકાશમાં થાય છે. અલકાકાશમાં નહીં. તત્વાર્થદીપિકા–પૂર્વોકત ધર્મ આદિ દ્રવ્યનાં અવગાહન, અવગાહ પ્રવેશ, પ્રતિષ્ઠા અગર વ્યાપના કાકાશમાં જ થાય છે, કાકાશથી બહાર અલકાકાશમાં નહીં. જ્યાં ધર્મ આદિ પદાર્થ જોઈ શકાય છે તે લેક કહેવાય છે અને લેક સંબંધી આકાશ કાકાશ કહેવાય છે કે ૧૦ છે તત્વાર્થનિર્યુકિત-ધર્મ આદિ દ્રવ્યને અવગાહ અથવા સ્થિતિ કાકાશમાં છે. તે કાકાશ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી વ્યાપ્ત છે. આ બંને દ્રવ્ય અનાદિકાળથી એક બીજા સાથે મળેલાં લેકમાં અવસ્થિત છે. પુદ્ગલે અને જેની અવગાહના પણ કાકાશમાં અનાદિકાલીન છે પરંતુ તેમનામાં ગતિકિયા હોવાથી તે ધર્મ, અધર્મની માફક અવસ્થિત નથી. તેમની અવગાહના કયારેક કેઈ આકાશપ્રદેશ સાથે હોય છે. અને કદી કેઈ અન્ય પ્રદેશની સાથે. લેકથી ભિન્ન અલકાકાશમાં જીવાદિ હોતાં નથી કારણ કે ત્યાં અધર્મ દ્રવ્ય નથી અને તે જ ગતિ તથા સ્થિતિનાં નિમિત્ત હોય છે. શંકા–અલકાકાશમાં ગતિને ઉપગ્રાહક ધર્મ તથા સ્થિતિને ઉપગ્રાહક અધર્મ કેમ નથી ? સમાધાન-ધર્મ અને અધર્મને સ્વભાવ જ એ છે કે તેઓ અલકાકાશમાં રહેતાં નથી. સ્વભાવના વિષયમાં પ્રશ્નને કંઈ અવકાશ જ અત્રે નથી. આથી જ કહ્યું છે ધર્મ આદિને અવગાહ કાકાશમાં જ છે. શંકા-ધર્માદિ દ્રવ્યનો લેકાકાશમાં અવગાહ હોવાથી જે કાકાશ ધર્માદિને આધાર છે તે લેકાકાશને આધાર ક્યો ? સમાધાન–કાકાશ પોતે જ પોતાના સહારે ટકેલો છે તેના માટે બીજા કોઈ આધારની આવશ્યકતા નથી. શંકા–જેમ આકાશ પોતે જ પોતાના સહારે રહેલ છે તેવી જ રીતે ધર્માદિ પણ પિતાના સહારે રહી શકે છે તેમને આધાર આકાશ માનવાની શું જરૂરીયાત છે ? જે ધર્માદિને જુદે આધાર–આકાશ સ્વીકાર કરવામાં આવે તે આકાશને પણ બીજો આધાર માનવો જોઈએ નહીં ? આવી સ્થિતિમાં અનવસ્થા દોષને પ્રસંગ થશે. સમાધાન–આકાશથી અધિક પરિમાણવાળું અન્ય કઈ દ્રવ્ય નથી કે જેને આકાશને આધાર માની શકાય. આકાશ ચારે તરફથી અન્તરહિત છે આથી વ્યવહારનય અનુસાર આકાશ ધર્માદિ દ્રવ્યને આધાર મનાય છે પરંતુ-નિશ્ચયનયરૂપ તથા ભૂતનયની અપેક્ષાએ બધાં જ દ્રવ્ય સ્વપ્રતિષ્ઠિત છે અર્થાત્ બધાં પિત–પિતાનાં પ્રદેશમાં રહી ગયા છે. આ કારણે જ જ્યારે આપ ક્યાં રહો છો ?” એ કઈ પ્રશ્ન કરે તે જવાબમાં કહીએ છીએ. “અમારી અંદર જ” ધર્માદિ દ્રવ્ય લેકાકાશથી બહાર રહેતા નથી પરંતુ કાકાશમાં જ રહે છે. બસ આ કારણથી જ તેમનામાં આધાર-આધેયભાવની કલ્પના કરવામાં આવે છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy