SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને ધર્માદિ દ્રવ્ય અનાદિસિદ્ધ પિતપતાના આ સ્વરૂપમર્યાદાનું અતિક્રમણ કરતાં નથી. કેઈ પણ દ્રવ્ય પોતાના સ્વાભાવિક ગુણને પરિત્યાગ કરીને બીજા દ્રવ્યના ગુણને ધારણ કરતાં નથી આથી એ દ્રવ્ય અવસ્થિત કહેવાય છે. એ પહેલાં જ કહેવાઈ ગયું છે કે છ દ્રવ્યમાંથી પુદ્ગલને છોડીને બાકીના પાંચ દ્રવ્ય અરૂપી–અમૂર્ત છે. - પુગલ સિવાય ધર્મ આદિ પાંચ દ્રવ્ય અમૂર્ત હોવાથી અરૂપી છે–તેમનામાં રૂપ નથી અને રૂપી ન હોવાને કારણે તેઓ આંખ વડે જોઈ શક્તા નથી. - ધર્માદિ દ્રવ્યોના નેત્ર ગ્રાહ્ય ન હવામાં અરૂપિત્વને હેતુ કહેલ નથી અન્યથા પુદ્ગલ પરમાણું પણ નેત્રોચર ન હોય તે તેને પણ અરૂપી માનવું પડે પણ તે અરૂપી નથી. આ રીતે ધર્મ આદિ પાંચ દ્રવ્યોમાં જ અરૂપત્યનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. રૂપને અર્થ મૂત્તિમૂર્તિ જ રૂપાદિ શબ્દો દ્વારા કહેવામાં આવે છે. તે મૃતિ રૂપાદિ આકારવાળી હોય છે. વૈશેષિક, દ્રવ્યનું સર્વવ્યાપક ન હોવું તેને મૂર્તવ માને છે અર્થાત તેમના કથન અનુસાર મૂર્તિ તે છે જે સર્વવ્યાપિ પરિણામવાળી ન હોય, પરંતુ આ માન્યતા અહીં સ્વીકારાઈ નથી કારણકે એમ માનવાથી આત્મા પણ મૂર્તિક થઈ જાય. લેક બધી તરફથી પરિમિત છે આથી આત્મા પણ પરિમિત જ છે. - લેક પરિમિત છે એને વૈશેષિકેએ પણ સ્વીકાર કરવો જોઈએ કારણ કે તેને એક વિશિષ્ટ આકાર છે. આ કારણથી રૂપને મૂર્તિ માનવું જ નિર્દોષ છે. - શંકા–જે રૂપને જ મૂતિ માનીએ તે મૂતિ શબ્દને વાચ એકલું ગુણ જ થશે આથી રૂપ જ મૂતિ નથી. સમાધાનદ્રવ્યાર્થિકનયના અભિપ્રાયે રૂપને મૂતિ કહેવામાં આવ્યું છે. દ્રવ્યના રૂપ આદિ તેનાથી ભિન્ન જણાતા નથી. આ કારણથી એજ મૂર્તિ દ્રવ્યસ્વભાવના આનયન ગ્રહણ વગેરેને પ્રાપ્ત કરીને રૂપ કહેવાય છે આથી સ્પર્શ વગેરે મૂર્તિના આશ્રિત કહેવાય છે સ્પર્શ આદિ મૂર્તિને પરિત્યાગ કરતા નથી કારણકે તેઓ એકબીજાના સહચર છે. જ્યાં રૂપ હોય છે ત્યાં સ્પર્શ રસ અને ગંધ પણ અવશ્ય રહે છે. આથી સ્પર્શ આદિ ચારે ય સહચર છે. - પરમાણુમાં પણ રૂપ આદિ ચારે ગુણ વિદ્યમાન રહે છે પરંતુ તે બધાં એકરૂપ થઈને રહે છે આથી પરમાણું ચતુર્ગુણ વગેરે જાતિભેદવાળા હોતા નથી. વિશેષતા માત્ર એજ છે કે કેઈ દ્રવ્ય ઉત્કટ ગુણપરિણતિને પ્રાપ્ત થઈને તેને ત્યજી દે છે. દાખલા તરીકે મીઠું અને હીંગ લે. જ્યારે તેઓ મિશ્ર રૂપે હોય છે તે નેત્ર, નાક તથા સ્પશેન્દ્રિયના વિષય હોય છે. પરંતુ જ્યારે પાણીમાં પ્રવેશે છે ત્યારે માત્ર જીભ અને નાકના જ વિષય રહે છે. વર્ણ અને સ્પર્શ તે તેમનામાં એ સમયે પણ રહે છે પણ તે ઇન્દ્રિય વડે ગ્રહણ કરી શકાતાં નથી. આ તેમના પરિણમનની વિશેષતા છે. એવી જ રીતે એક જાતીય પાર્થિવ, પાણીના, તેજના અને વાયુના પરમાણું પણ કયારે કઈ પરિણમનને પ્રાપ્ત થઈને બધી ઈન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય હોતા નથી. આથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જ વિશેષ પરિણામથી યુક્ત થઈને મૂતિ કહેવાય છે. ૩ ! : ‘જોના વિના મૂળસૂત્રાથ–પુદ્ગલ દ્રવ્ય રૂપી હોય છે ૪
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy