SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને શક્તિ પોતાના વિશુદ્ધ પરિપૂર્ણ અને સ્વાભાવિક રૂપમાં પ્રગટ થઈ જાય છે. આ વખતે એ કોઈ ય પદાર્થ હોતો નથી કે જે કેવળજ્ઞાન વિષય ન હોય. ધર્મ, અધર્મ, આકાશ કાળ, પુદ્ગલ અને જીવ આ બધાં દ્રવ્યમાં પ્રતિક્ષણે ઉત્પાદ, વ્યય તથા ધ્રૌવ્ય રહે છે. જે પણ સત્ પદાર્થ છે તે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક જ હોય છે. કેઈ વસ્ત્રને વેતવર્ણ નાશ થાય છે તેમાં ત્રણ વર્ણને ઉત્પાદ હોય છે પરંતુ વસ્ત્ર દ્રવ્ય બંને અવસ્થાઓમાં કાયમ રહે છે. આવી જ રીતે પૂર્વ પર્યાયને વિનાશ અને ઉત્તર પર્યાયને ઉત્પાદ થવાથી પણ દ્રવ્ય-પ્રવ–જેવું ને તેવું જ રહે છે. જેમ જીવ દેવ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે, મનુષ્ય પર્યાય રૂપે વિનાશ પામે છે પરંતુ જીવના રૂપે હમેશાં અવસ્થિત રહે છે. આ બધાં પર્યાને કેવળજ્ઞાન સાક્ષાત જાણે છે. આવી જ રીતે આકાશ અને કાળ જેવા અપૂર્વ દ્રવ્ય પણ કેવળજ્ઞાન દ્વારા જાણી શકાય છે. આથી કેવળજ્ઞાન પરિપૂર્ણ સમગ્ર અસાધારણ, નિરપેક્ષ વિશુદ્ધ સર્વભાવને ક્ષાપક, કલેકને વિષય કરવાવાળું અને અનન્ત પર્યાયવાળું છે. એક-એક યની સ્વ-પર પર્યાની ગણના કરવામાં આવે છે તે અનન્તાનન્ત છે. એવા અનન્તાનન્ત પર્યાયવાળા અનન્તાનન્ત શેય પદાર્થ કેવળજ્ઞાન વિષય છે. એવી સ્થિતિમાં કેવળજ્ઞાનના અનન્તાનન્ત પર્યાય છે, આ સમજવું મુશ્કેલ નથી. અનુયોગ દ્વારના ૧૪૧માં સૂત્રમાં કહ્યું છે. પ્રશ્ન–ભગવંત ! દ્રવ્ય કેટલા પ્રકારના કહ્યા છે ! ઉત્તર–ગૌતમ ! દ્રવ્ય બે પ્રકારના કહ્યા છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય. ઉત્તરાધ્યયનના અધ્યયન ૨૮ ની આઠમી ગાથામાં કહે છે– ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્યો એક-એક રૂપ છે અને કાળ, પુદ્ગલ તથા જીવ એ ત્રણ દ્રવ્ય અનન્ત-અનન્ત છે. રા 'निच्चावहियाणि अरूपाणि ये મૂળસૂત્રાર્થ-પૂર્વોક્ત દ્રવ્ય નિત્ય, અવસ્થિત અને અરૂપી છેારા તત્વાર્થદીપિકા–ધર્મ અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છએ દ્રવ્ય નિત્ય અને અવસ્થિત છે. આમાંથી કયારેય પણ કેઈ ન હોય એવું નથી. અર્થાત્ એ હમેશાં રહે છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યના રૂપમાં પરિણત થતું નથી. આમાંથી ધર્મ, અધર્મ આકાશ કાળ અને જીવ એ પાંચ દ્રવ્ય અરૂપી છે અર્થાત રૂપ-રસ આદિથી રહિત છે. આ રીતે છે એ દ્રવ્ય નિત્ય અને અવસ્થિત છે તથા પુદ્ગલ સિવાયના શેષ પાંચ દ્રવ્યો અરૂરી છે. કા તત્વાર્થનિયંતિ–પૂર્વસૂત્રમાં ધર્માદિ દ દ્રવ્યો કહ્યાં હવે આ દ્રવ્ય શું પિતાના સ્વભાવથી કયારે યુત થાય છે? શું કયારે પણ વધે ઘટે છે ? તેઓ મૂર્ણ છે કે અમૂર્ત? આ ત્રણ પ્રશ્નના સમાધાન માટે કહીએ છીએ ધર્મ આદિ છે એ દ્રવ્ય નિત્ય અને અવસ્થિત છે નિત્યને અર્થ એ છે કે આ દ્રવ્ય કોઈ વાર પણ પોતપોતાના સ્વભાવને ત્યાગ કરતા નથી અને અવસ્થિતને ભાવ એ છે કે એમની સંખ્યા કયારે પણ વધતી-ધટતી નથી અર્થાત્ આ તમામ દ્રવ્ય અનાદિ નિધન છે અને નિયત સંખ્યાવાળા છે કયારેય પણ પોતાના સ્વરૂપને ત્યાગ કરતા નથી. આમાં પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્યો અરૂપી છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy