SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ ગુજરાતી અનુવાદ કાર્મણશરીરનું નિરૂપણ સૂ. ૩૬ શરીર એકી સાથે મળી આવે છે. આ રીતે વધુમાં વધુ એક જીવમાં ચાર શરીરને સંભવ છે, પાંચને નહીં કારણકે જ્યારે વૈકિય શરીર હોય છે તે આહારક શરીર ન હોય અને આહારક હોય તે વૈઝિય શરીર હેતું નથી એનું પણ કારણ એ છે કે એકી સાથે આ બંને લબ્ધિઓ, હેતી નથી. રૂપા 'कम्मए सम्वेसिं' ॥सू० ३६॥ મૂળસૂત્રાર્થ-કામણ શરીર બધાં શરીરનું કારણ છે ૩૬ તત્વાર્થદીપિકા પહેલાં આહારક શરીરનું નિરૂપણ કર્યું હવે છેલ્લા કામણ શરીરનું નિરૂપણ કરીએ છીએ. કર્મ દ્વારા નિર્મિત અથવા કર્મનું કાર્ય કામણ શરીર, ઔદારિક વગેરે બધાં શરીરનું કારણ છે. જીવ જ્યારે એક શરીરને ત્યાગ કરીને બીજા શરીરને પ્રાપ્ત કરવા માટે ગમન કરે છે યાનિ વિગ્રહ ગતિમાં હોય છે તે સમયે કામણ શરીર દ્વારા જ તેને વેગ અર્થાત્ પ્રયત્ન હોય છે. કાર્પણ શરીર દ્વારા થનારા પ્રયત્નથી જ તે બીજી ગતિમાં જાય છે. આ રીતે કામણ શરીર અન્ય બધાં શરીરને ઉત્પન્ન કરનાર બીજ સમાન છે. તે જ્ઞાના વરણ વગેરે કર્મો સિવાય તેનું બીજું કોઈ કારણ નથી. હકીકતમાં કામણ શરીર કર્મ સ્વરૂપ જ છે. આ શરીર સમસ્ત સંસારી જીને પ્રાપ્ત થાય છે. વેગને અર્થ છે-વચન, મન, કાયાના નિમિત્તથી આત્માના પ્રદેશમાં થનારું હલનચલન ૩૬ તત્વાર્થનિર્યુક્તિ કામણ શરીર ઔદારિક વગેરે બધાં શરીરનું કારણ છે. જેમ ચિત્રકાર્યને આધાર દિવાલ હોય છે તેમ આ કર્મ સકળ શક્તિને આધાર છે. ભવપરપરાનાં કારણભૂત આ કર્મને જ્યારે સમૂળગે ઉચ્છેદ થઈ જાય છે જ્યારે બધાં પાપ ધોવાઈ જાય છે અને જીવ પછી કઈપણ શરીરને ધારણ કરતું નથી. આ કાર્મણ શરીર જ્ઞાનાવરણીય કર્મોથી ઉત્પન્ન થાય છે. એનું બીજું કોઈ કારણ નથી. જ્ઞાનાવરણ વગેરે કર્મ કામણ શરીર રૂપ હોવાથી કામણ શરીરનાં કારણ છે. તેમનામાં સૂર્યનાં પ્રકાશની જેમ અંદરોઅંદર ક્રિયાને વિરોધ નથી. જેમ સૂર્ય પોતાનાં મંડળને પણ પ્રકા શિત કરે છે અને ઘટ પટ વગેરે બીજા પદાર્થોને પણ પ્રકાશિત કરે છે–સૂર્યમંડળને પ્રકાશિત કરવા માટે કે અન્ય પ્રકાશની જરૂર પડતી નથી. જે સૂર્યમંડળને પ્રકાશિત કરવા માટે બીજા પ્રકાશની આવશ્યક્તા સ્વીકારીએ તે અનવસ્થાદોષને પ્રસંગ આવે છે. આમ માનીએ તે ક્યાંય પણ વિરામ જ રહે નહિ. આ રીતે જ્ઞાનાવરણ વગેરે કર્મોથી ભિન્ન કામણ શરીરનું કોઈ કારણ નથી. કાર્પણ શરીર કર્મસ્વરૂપ જ છે, કર્મ સમુદાયરૂપ જ છે. ૩૬ 'वेए तिविहे' ॥सू० ३७॥ મૂળસૂવાથ–વેદ ત્રણ પ્રકારનાં છે. આવા તત્વાર્થદીપિકા–પ્રથમ દારિક વગેરે પાંચ શરીરની પ્રરૂપણ કરી હવે એ કહીએ છીએ કે તે શરીરને ધારણ કરનારા જે પૈકી કઈ સ્ત્રીવેદવાળું. તે કોઈ પુરુષવેદવાળું હોય છે. પહેલા વેદના ભેદ બતાવવામાં આવે છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy