SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્રને અત્યન્ત શુભ, શક્તિ, તથા વિશુદ્ધ દ્રવ્યોથી નિર્મિત હોય છે. વિશેષ પ્રજનથી બનાવાય છે તેમજ અન્તર્મુહૂર્તની સ્થિતિવાળું હોય છે. પ્રમતસંયત મુનિ જ આ શરીરને નિષ્પન્ન કરે છે. - જ્યારે પ્રમત્તસંવતને કઈ ઊંડા તત્ત્વમાં અથવા સંયમના વિષયમાં શંકા ઊભી થાય છે, ત્યારે તીર્થકર તથા કેવળી ભગવાનની પાસે શંકાને દૂર કરવા અર્થે તાલુપ્રદેશના છિદ્રથી નિકળીને એક હાથનું પુતળું ત્યાં જાય છે, જઈને તીર્થકર વગેરેને પૂછી કરીને પાછું ફરે છે અને તેજ તાલુના છિદ્રથી પ્રમત્તસંયતના શરીરમાં પેસી જાય છે. આવું કરવાથી તેની શંકા દૂર થઈ જાય છે. તેજથી જે શરીર ઉત્પન્ન થાય છે તે તેજસ કહેવાય છે. કર્મ દ્વારા નિષ્પન્ન શરીરને કાર્મણ શરીર કહે છે. જેવી રીતે બેર વગેરેને આધાર કુંડ હોય છે તેજ પ્રકારે આ કાર્પણ શરીર સમસ્ત કર્મરાશિને આધાર છે અથવા જે શરીર કર્મોનું કાર્ય છે તે કાર્મણ કહેવાય છે. તે સમસ્ત કર્મોને ઉત્પન્ન કરવામાં સમર્થ હોય છે. ર૯ / તત્વાર્થનિર્યુકિતઃ–પૂર્વોક્ત જન્મમાં, પૂર્વોત નિઓવાળા જીવોના ક્યા અને કેટલા શરીર હોય છે ? તે શરીરના લક્ષણ ક્યા છે ? આ બતાવવા માટે કહીએ છીએશરીર પાંચ છે. ઔદારિક વૈક્રિય-આહારક-તેજસ અને કાર્પણ - ક્ષણે ક્ષણે શીર્ણ-જીર્ણ, નાશવંત હોવાથી તેમજ ચય અને અપચય વાળું હોવાથી “શરીર સંજ્ઞા પ્રદાન કરવામાં આવી છે. શરીર ઉપર મુજબ પાંચ છે. - આ પાંચ શરીર નરક વગેરે ચાર ગતિના ને જ હોય છે, સિદ્ધ ઇવેને હોતા નથી. સિદ્ધ જીવ સમસ્ત કર્મોથી રહિત હોવાથી સમસ્ત શરીરથી પણ રહિત હોય છે. આ સત્યને પ્રકટ કરવા માટે સૂત્રની શરૂઆતમાં “શરીર” શબ્દને પ્રયોગ કરવામાં આવ્યો છે. શરીરશબ્દને અર્થ છે–જે નાશવંત હોય, પળ-પળે બદલાતું રહે. આવું નાશવંત શરીર સિદ્ધમાં મળી આવતું નથી. આજ કારણ છે કે શરીર શબ્દની અપેક્ષા “કાય” શબ્દ નાખે છે અને જે તેને પ્રયાગ કર્યો હોત તે સૂત્રમાં લઘુતા આવત આમ છતાં અત્રે કાય શબ્દ પ્રયોગ કરવામાં આવ્યું નથી. શરીર શબ્દને મોટા હોવાના કારણેજ પ્રવેશ કરવામાં આવ્યું છે તે તેની વિનશ્વરતા પ્રકટ કરવા માટે જ. તાત્પર્ય એ છે કે સંસારી જીનાં ઔદારિક વૈકિય. આહારક તેજસ અને કોર્પણ વગેરે પાંચ પ્રકારના શરીર હોય છે. પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં શરીરપદમાં કહેલ છે– પ્રશ્ન–ભગવદ્ ! શરીર કેટલા કહેલાં છે? ઉત્તર–ગૌતમપાંચ શરીર છે. (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) આહારક (૪) તેજસ (૫) કામણ. - જે શરીર ધૂળ અને અસાર પુગલદ્રવ્યોથી બન્યું હોય તે દારિક કહેવાય છે. વિકિયા શકિતથી ઉત્પન્ન થયું હોય તે વૈક્રિય કહેવાય છે. વિકિયા. વિકાર અનેક રૂપતા અથવા એકના અનેક રૂપો બનાવવા એ સર્વ સમાન અર્થવાલા શબ્દ છે જે શરીર વિક્રિયાથી બનેલ હોય નાનાપ્રકારના રૂપ અને અભૂત હેય. નાના પ્રકારના ગુણોથી યુક્ત પુદ્ગલવર્ગણાથી બનેલ હોય તે વિકિય કહેવાય છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy