SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ પરું તત્વાર્થસૂત્રને - નારકી, પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને દેવતાઓની નિ સંવૃત્ત અર્થાત્ ઢાંકેલી હોય છે. ગર્ભજ તિર્યો અને મનુષ્યની સંવૃત–વિવૃત અર્થાત્ ઢાંકેલી– ઉઘાડેલી નિ હોય છે. આ સિવાયના સમૃઈિમ, બેઈન્દ્રિત વગેરે તિર્યો અને મનુષ્યની વિવૃત એનિ કહેવામાં આવી છે, કારણકે તે તદન ઉઘાડી–ખુલ્લી હોય છે. જે સ્થાને જન્મના કારણભૂત દ્રવ્ય કાર્યણશરીરની સાથે મિશ્રિત હોય છે તેને નિ કહે છે અથવા જે સ્થાન આશ્રયના રૂપમાં મિશ્રિત કરવામાં આવે છે તે યોનિ છે. જીવનમાં પ્રદેશથી જોડાયેલ હોવાના કારણે કેઈ યોનિ સચિત કહેવાય છે અને એથી ઉલટું હોય તેને અચિત કહેવાય છે. બંને પ્રકારની સચિત્તાચિત કહેવાય છે. કાઠી યોનિ શીત, એથી વિપરીત હોય તે ઉષ્ણ જ્યારે બંને સ્વાભાવવાળી શીતષ્ણ કહેવાય છે. જે ઢાંકેલી હોય તે સંવૃત, ઉઘાડી હોય તે વિસ્તૃત જ્યારે બંને પ્રકારની હોય તે સંવૃત વિવૃત કહેવાય છે. પાથરેલા વસ્ત્ર અને દેવદુષ્યના વચ્ચેનું સ્થાન જીવપ્રદેશથી જોડાયેલું ન હોવાના કારણે દેવેની પેનિ અચિત માનવામાં આવી છે. નારકીના જીવની વજમય નરકક્ષેત્રમાં ગવાક્ષ જેવી, અનેક આકરોની કુંભી નિ અચેતન હોય છે. તિર્યંચ અને મનુષ્ય સ્ત્રીની નાભિથી નીચે પુષ્પમાળા વૈકલ્યના આકારની બે શિરાઓ હોય છે. એની હેઠળ અમુખ કેશના આકારની નિ હોય છે. તેની બહાર આંબાની કળીના આકારની માંસની મંજરિયો હોય છે. તે ઋતુકાળ વખતે ફૂટી જાય છે અને તેમાંથી લોહી વહે છે. તેમાંથી કેટલાંક લેહીના કણ કોશાકાર નિમાં પ્રવેશ કરીને સ્થિત થઈ જાય છે. પાછળથી વીર્યથી મિશ્રીત તે લેહીકણોને જીવ ગ્રહણ કરે છે. જે લેહીકણુ પિતાના સ્વરૂપમાં રહેતા નથી તે અચિત થઈ જાય છે. સમૂછિમ તિય અને મનુષ્યમાંથી ગાય કૃમિ વગેરે જેની નિ સચિત હોય છે અને લાકડાના કીડા વગેરેની નિ અચિત હોય છે. પૂર્વકૃત ઘાવમાં પેદા થનારા કઈ કઈ કીડાની નિ સચિતઅચિત (મિશ્ર) હોય છે. ગર્ભજ, તિર્યચ, મનુષ્ય અને દેવેની શીતષ્ણનિ હોય છે. આ સમ્મરિમ તિર્યંચે અને મનુષ્યમાં કેઈની શીત કેઈની ઉષ્ણ અને કેઈની શીતગણું નિ હોય છે. સ્થાન વિશેષના પ્રભાવથી આ નિભેદ થાય છે. પ્રથમ ત્રણ નરકમાં એની શીત અને કુંભીથી બહાર આવવા પર ક્ષેત્રવેદના ઉષ્ણ છે. ૬ ઠી ૭મીમાં યોનિ ઉષ્ણ છે, અને કુંભીથી બહાર આવવા પર ક્ષેત્રવેદના શીત છે. કુંભમાં તે છેડે વખત જ રહે છે. અને શેષ આયુષ્ય બહાર જ પુરું થાય છે અને તે ક્ષેત્ર તેમને પ્રતિકૂળ હોય છે. ઉષ્ણ વેદનાથી શીત વેદના ભયંકર હોય છે. આગમમાં ૮૪ લાખ પેનિઓ કહેવાઈ છે. આ રીતે–પૃથ્વી અપ તેજ અને વાયુકાય દરેકની ૭ લાખ મુજબ કુલ ૨૮ લાખ પ્રત્યેક વનસ્પતિની ૧૦ લાખ અને સાધારણ વનસ્પતિની ૧૪ લાખ બે ઈન્દ્રિક તે ઈન્દ્રિય અને ચતુરિન્દ્રીય દરેકની ૨ લાખ ઉપર મુજબ ગણતાં ૬ લાખ થાય છે. બાકીના તિર્યએ નારકી અને દેવતાની દરેકની ચાર ચાર લાખ મુજબ કુલ ૧૨ લાખ અને મનુષ્યની ૧૪ લાખ મળી કુલ્લે ૮૪ લાખ યોનિ થાય છે. આશંકા સહેજે થાય કે જે ૮૪ લાખ એનિઓ છે તે અહીં માત્ર નવ નિઓનું જ નિરૂપણ કેમ કર્યું ? આનું સમાધાન એ છે કે શાસ્ત્રમાં પ્રતિપાદિત ૮૪ લાખ યુનિઓને કહેલી નવ નિમાંજ સંગ્રહ થઈ જાય છે. ૮૪ લાખનું કથન વિસ્તારની અપેક્ષાથી છે દાખલા તરીકે પૃથ્વીકાયની જે યાનિ કહી છે તે જ જાતિ ભેદની. અપેક્ષાથી સાત લાખ પરિમાણવાળી છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy