SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ તત્વાર્થસૂત્રને આથી પ્રતિનિયત ઉપપાતક્ષેત્રમાં પ્રાપ્ત થવું જ આ જન્મનું કારણ છે આ જન્મ દેવો તથા નારકને હોય છે. ૨૮ તત્વાર્થનિયતિ–પ્રથમ કહેવામાં આવ્યું કે પૂર્વગ્રહીત દારિક અગર વૈક્રિય શરીરને ક્ષય થવાથી સંસારી જીવ ઋજુગતિ અગર વકગતિ કરીને પરભવ સમ્બન્ધી ઉત્પત્તિ ક્ષેત્રમાં જાય છે. પરંતુ ત્યાં જઈને કઈ રીતે ઉત્પન્ન થાય છે. તે વિષે કંઈજ કહેવામાં આવ્યું નથી, આથી તેનું કથન કરવામાં આવે છે-જન્મ ત્રણ પ્રકારના હોય છે– ગર્ભ સમૂચ્છન અને ઉપપાત સ્ત્રીની નિમાં ભેગા થયેલા શુકને જીવ ગ્રહણ કરે છે અને માતા દ્વારા લેવાયેલ આહારના રસથી પુષ્ટ થાય છે તે જીવને જન્મ ગર્ભ જન્મ કહેવાય છે. તેને ગર્ભ જ જન્મ સમજ જોઈએ. આગળ પર કહેવામાં આવનાર સંમૂશ્કેન જન્મના લક્ષણથી આ લક્ષણ ભિન્ન છે. આ જન્મમાં આગન્તુક (અન્ય જગ્યાએથી આવેલા) શુક તથા શાણિતને ગ્રહણ કરવામાં આવે છે. સ્ત્રીની નિ શુક-શેણિત સ્વરૂપવાળી હોતી નથી. જન્મ બે શરીરેથી સંબંધિત હોવાથી આત્માની પરિણતી વિશેષ છે. સંમૂચ્છ ને સંપૂર્ણન કહે છે. જે સ્થાનમાં જીવ ઉત્પન્ન થનારો હોય છે. ત્યાંના એકત્રિત દુગલેને ગ્રહણ કરીને શુઝ શોણિત વગર જ પિતાના શરીરનું નિર્માણ કરે તે સંપૂર્ચ્યુન જન્મ કહેવાય છે. આ રીતે સંમૂન જન્મ પિતાના ઉત્પત્તિ સ્થાનમાં રહેલાં પુદ્ગલેનાં સમૂહને ગ્રહણ કર્યા વિના થતો નથી. જેવી રીતે લેટ દારુના બીજ પાણુ વગેરેના સંમિશ્રણથી સુરાની ઉત્પત્તિ થાય છે. તેવી જ રીતે બાહ્ય તથા અંદરમાં પુદ્ગલેના ગ્રહણથી જે જન્મ થાય છે તે સંમૂર્ણન જન્મ કહેવાય છે. બાહ્ય પુદ્ગલેના ગ્રહણથી લાકડા વગેરેમાં ઘુણ-કીડાઓને જન્મ થાય છે તે જાણીતું છે જ લાકડાની છાલ તથા પાકા ફળ વગેરેમાં કૃમિ વગેરે જે જીવ ઉત્પન્ન થાય છે તે તેજ છાલ તથા ફળ વગેરેમાં રહેલા પુદ્ગલેને પિતાનું શરીર બનાવી લે છે. એવી રીતે જીવંત ગાય, ભેંસ, માણસ વગેરેના શરીરમાં ઉત્પન્ન થવા વાળા કીડા આદિ જીવ તેજ ગાય ભેંસ આદિના શરીરના અવયવોને ગ્રહણ કરીને પિતાના શરીર રૂપમાં પરિણુત કરી લે છે. આ કૃમિ વગેરેને સંપૂર્ણન જન્મ અંદરના પુત્રના ગ્રહણથી થાય છે તે પણ જાણીતી વાત છે. એવી જ રીતે પિતાના ઉત્પત્તિ ક્ષેત્રમાં પહોંચવાથી જ જે જન્મ થાય છે તે ઉપપાત જન્મ કહેવાય છે. જેવી રીતે દેવ. પાથરેલા વસ્ત્ર ઉપર અને દેવદુષ્યની નીચે–બંનેની વચમાં વિદ્યમાન પુદ્ગલેને વૈકિય શરીરના રૂપમાં ગ્રહણ કરતો થકે ઉત્પન્ન થાય છે. આ જન્મ પહેલાં કહેવામાં આવેલાં બંને જન્મના લક્ષણથી વિલક્ષણ છે કારણકે આનું કારણ ન તે નીચે અગર ઉપરના વસ્ત્રના પુગલે છે અથવા ન શુક-શોણિતના પગલે આ રીતે આ જન્મનું કારણ અમુક સ્થાનમાં પહોંચે જ છે. નારક જીવ નરક સૂચિઓમાં સ્થિત કુંભમાં ઉત્પન્ન થાય છે. કુંભી ઘણજ સાંકડા મોઢાની ગવાક્ષ જેવી હોય છે. તેમ આકાર પણ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. નારક જીવ ત્યાંના વૈદિય પુલોને ગ્રહણ કરતે થકે વજમય નરતલમાં પાણીની વચ્ચે ફેંકાયેલા પથ્થરની જેમ, ઘણુ વેગથી જઈને પડે છે અર્થાત્ ઉત્પન્ન થાય છે. આ જીના ત્રણ પ્રકારનાં જન્મ છે. એ વાત સમજી લેવી ઘટે કે, સંસારી જીવના વર્તન માન જીવનને જ્યારે અંત થાય છે અને પૂર્વગ્રહીત ઓદારિક અથવા વૈક્રિય શરીરને વિરહ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy