SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ mmmmmmmmmmm તત્વાર્થસૂત્રને ક્ષાપશમિક ભાવ શું છે? ક્ષાપશમિક ભાવ બે પ્રકારના કહેવામાં આવ્યા છે-ક્ષયપથમિક અને ક્ષપશમ નિષ્પન્ન ક્ષેપથમિક શું છે? ચાર ઘાતી કર્મોના અર્થાત્ જ્ઞાનાવરણીય મેહનીય અને અન્તરાય કર્મના ક્ષેપશમથી ક્ષયપશમિક ભાવ થાય છે. ક્ષયોપશમનિષ્પન્ન ભાવ શું છે? તે અનેક પ્રકારના કહેવામાં આવ્યા છે-ક્ષાપશમિક આભિનિબધિક જ્ઞાનલબ્ધિ જેવા કે ક્ષયોપથમિક મનઃ પર્યવજ્ઞાનલબ્ધિ ક્ષયોપથમિક મત્યજ્ઞાનલબ્ધિ ક્ષાપશમિક કૃતારાનલબ્ધિ ક્ષાપશમિક વિભંગજ્ઞાનલબ્ધિ ક્ષાપશમિક ચક્ષુદર્શનલબ્ધિ અવધિદર્શન લબ્ધિ આ રીતે સમ્યગદર્શન લબ્ધિ મિથ્યા દર્શનલબ્ધિ સમ્યફ મિથ્યાદર્શન લબ્ધિ ક્ષાપશમિક ચારિત્ર લબ્ધિ છેદપસ્થાપનીય લબ્ધિ પરિવાર વિશુદ્ધિ લબ્ધિ સૂમ સાંપરાયિક લબ્ધિ ચારિત્રાચારિત્રલબ્ધિ ક્ષાપશમિક દાનલબ્ધિ લાયોપથમિક લાભલબ્ધિ ભેગલબ્ધિ ઉપગલબ્ધિ વીર્યલબ્ધિ પંડિતવીર્યલબ્ધિ બાળવીયલબ્ધિ બાળપંડિતવીર્યલબ્ધિ ક્ષાપશમિક શ્રોત્રેન્દ્રિયલબ્ધિ ક્ષાપશમિક સ્પર્શેન્દ્રિયલબ્ધિ. ક્ષાપશમિક આચારાંગધર, એવી જ રીતે સૂત્રકૃતાંગધર, સ્થાનાંગધર, સમવાયાંગધર, વિવાહપ્રજ્ઞપ્તિધર, જ્ઞાતાધર્મકથાધર, ઉપાસકદશાંગધર, અન્તકૃદશાંગધર, અનુત્તરૌપપાતિકદશાંગધર, પ્રશ્નવ્યાકરણધર, વિપાકકૃતધર, ક્ષાયોપથમિક દૃષ્ટિવાદધર, ક્ષાપશમિક નવપૂવિ લાયોપશમિક અને ચતુર્દશપૂવી ક્ષાપશમિક ગણી ક્ષાયોપથમિક વાચક આ તમામ ક્ષયોપશમનિષ્પન્નના ભેદ કહેવામાં આવ્યા છે. પારિણામિક ભાવ ત્રણ પ્રકારના હોય છે—જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. જીવને ભાવ અર્થાત્ જીવપણું, જીવત્વ કહેવાય છે અર્થાત્ અસંખ્યાતા પ્રદેશમય ચૈતન્ય. જે જીવ સિદ્ધિગમન ને પાત્ર હોય તે ભવ્ય અને જે સિદ્ધિગમનને યોગ્ય ન હોય ને અભવ્ય કહેવાય છે. એમના ભાવને ભવ્યત્વ અને અભવ્યત્વ કહેવામાં આવ્યા છે. જીવના આ ત્રણેય ભાવો સ્વાભાવિક જ છે, કર્મકૃત નહીં અર્થાત્ કઈ કર્મના ઉદય, ઉપનામ, ક્ષય અગર ક્ષપશમથી ઉત્પન્ન થતાં નથી. આત્મા પોતાના સ્વભાવથી જ જીવત્વ, ભવ્યત્વ, અગર અભવ્યત્વ રૂપથી પરિણતશીલ થાય છે. જે કે અસ્તિત્વ અન્યત્વ, કર્તૃત્વ, ભેતૃત્વ, ગુણત્વ, અસર્વજ્ઞત્વ અનાદિકમસન્તાન બદ્ધત્વ, પ્રદેશવ, અરૂપિ– નિત્ય વગેરે પણ જીવના અનાદિ પરિણામિક ભાવ છે અને અનુ ગદ્વાર સૂત્રમાં, છ ભાવના પ્રકરણમાં અન્ય ઘણા જ ભેદો પણ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તેમ છતાં અત્રે સંક્ષેપમાં જ પરિણામિક ભાવનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આથી આ આ ત્રણ ભેદોમાં જ એ સર્વને સમાવેશ થઈ જાય છે. અનુગદ્વારમાં કહ્યું છે.– પરિણામિક ભાવ એટલે શું ? પરિણામિક ભાવ બે પ્રકારના છે–સાદિ પરિણામિક અને અનાદિ પરિણામિક સાદિ પરિણામિક ભાવ શું છે ? તે અનેક પ્રકારના છે જેવા કેઉલ્કાપાત, દિશાદાહ. ગર્જના, વિધુત-નિર્ધાત ભૂપદા, યક્ષાદિત્ય, ધૂમિકા, મિહિકા, રજ ઉદ્દઘાત, ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચન્દ્રપરિષ, સૂર્ય પરિષ, પ્રતિચન્દ્ર, પ્રતિસૂર્ય ઈન્દ્રધનુષ્ય ઉદકમસ્ય, કપિહસિત, અમેઘવર્ષ, વર્ષધારા, ગ્રામ, નગર, ગ્રહ, પર્વત, પાતાળ, ભવન, નરક, રત્નપ્રભા, શર્કરપ્રભા, વલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમ પ્રભા, સૌધર્મ યાવત્ અર્ચ્યુત, રૈવેયક, અનુત્તર વિમાન, ઈષત્ પ્રાગભારા પૃથ્વી પરમાણુપુદ્ગલ, દિપ્રદેશિકકંધ અનન્તપ્રદેશિક કંધ આ સર્વ સાદિ પરિણામિક ભાવ છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy