SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1017
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ તત્વાર્થસૂત્રને - કર્મોના ક્ષપણ કરવા માટે આ ભૂમિઓ અનુકૂળ છે તે કર્મભૂમિ કહેવાય છે. સમસ્ત કર્મરૂપી અગ્નિને શમાવવા માટે અથવા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઉપર્યુક્ત ભૂમિએ કર્મભૂમિ છે. તે છે–ભરત, ઐરવત અને વિદેહુ ક્ષેત્ર. અગાઉ કહેવામાં આવ્યું છે તેમ જમ્બુદ્વીપમાં એક ભરત, એક અરવત અને એક વિદેહ ક્ષેત્ર છે. ધાતકીખડમાં અને અર્ધપુષ્કર દ્વીપમાં બે-બે ભરત અરવત અને વિદેહ ક્ષેત્ર છેઆ રીતે પાંચ ભરત, પાંચ અરવત અને પાંચ વિદેહ, આ પંદર ક્ષેત્ર કર્મભૂમિ કહેવાય છે. આ સિવાય હૈિમવત, હરિવર્ષ, રમ્યવર્ષ અને હેરસ્વત વર્ષ પાંચપાંચ હોવાથી વીસ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ તથા છપનું અન્તદ્વીપ આ બધી અકર્મભૂમિ છે. આ પંદર ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં નરકાદિ રૂપ દુર્ગમ સંસાર–અટવીને નાશ કરનારા, સમ્યફદર્શન-જ્ઞાન-ચરિત્ર રૂપ મેક્ષમાર્ગના જ્ઞાતા પ્રણેતા અને પ્રદર્શક, પરમ ઋષિ ભગવાન તીર્થકર ઉત્પન્ન થાય છે. આ જ કર્મભૂમિમાં ઉત્પન ભવ્યજી સકળ કર્મોને ખપાવીને મોક્ષધામ પ્રાપ્ત કરે છે. હમવત આદિ ક્ષેત્રમાં ઉત્પન્ન જીવ મેક્ષ પ્રાપ્ત કરતાં નથી કારણકે તે અકર્મભૂમિ છે. ત્યાં તીર્થકર દેતા નથી. પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદના ૩૨માં સૂત્રમાં કહ્યું છે– પ્રશ્ન-કર્મભૂમિએ કેટલા પ્રકારની છે ? ઉત્તર–કર્મભૂમિઓ પંદર પ્રકારની છે–પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ. પ્રશ્ન–અકર્મભૂમિએ કેટલા પ્રકારની છે ? ઉત્તર–અકર્મભૂમિએ ત્રીસ પ્રકારની છે-પાંચ હૈમવત પાંચ હરિવર્ષ પાંચ રમ્યકવર્ષ પાંચ હૈરણ્યવત, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ. આ અકર્મભૂમિઓ છે ૩૩ રણ મજુસ્કાળ રિતિકોળિયાળ' ઇત્યાદિ સવાઈ–ભરત આદિ ક્ષેત્રમાં મનુષ્ય અને તિર્યંચની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યાપની અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે ૩૪ . તત્વાર્થદીપિક–આની અગાઉ જમ્બુદ્વીપ આદિ અઢી દ્વીપમાં વિદ્યમાન ભારત આદિ ક્ષેત્રમાં મનુષ્યની ઉત્પત્તિની પ્રરૂપણ કરવામાં આવી છે હવે આ ક્ષેત્રના મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચનું આયુષ્ય કેટલું હોય છે એવી જિજ્ઞાસાનું સમાધાન કરીએ છીએ પૂર્વોક્ત ભરત આદિ ક્ષેત્રમાં મનુષ્યની અને ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર તિયના આયુષ્ય રૂપ સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું અને જઘન્ય અન્તર્મુહૂર્તનું હોય છે ૩૪ 'તત્વાર્થનિર્યુકિત–પહેલા ભરત આદિ ક્ષેત્રમાં મનુષ્યની ઉત્પત્તિનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તે ક્ષેત્રોમાં ઉત્પન્ન થનારા મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચોનું આયુષ્ય કેટલું હોય છે એ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ – છે તે ભરત વગેરે ક્ષેત્રોમાં મનુષ્યનું તથા ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યચોનું આયુષ્ય ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનું અને જઘન્ય અનતમૂહુર્તાનું હોય છે,
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy