SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ એટલે દશને કે પચીશને દાણું પડી જાય, એટલે વ્યવહાર રાશિરૂપ પાટના પટમાં ફરવાને હક્ક મળે છે. એટલે કે પટમાં બેશે છે. જ્યાં સુધી ઉત્તમદાણ ન પડે ત્યાં સુધી અવ્યવહારરાશીને કહેવાય છે, અકામ નિર્જરારૂપ સારા ભાવ દાણું પડે, ત્યારે વ્યવહાર રાશીમાં આવે છે. એટલે કે સૂક્ષ્મ નિગોદમાંથી બાદર નિગદમાં આવે છે. તે પછી ધીરે ધીરે આગલ વધતાં વધતાં એકેદ્રિયમાંથી બે ઈ દ્રિય તે ઇંદ્રિય ચૌરિદ્રિયપણું પામે છે. એમ ચડે વલી પડે, વલી એમ કરતાં કરતાં અનંતા ફેરા થાય. વળી અસંજ્ઞીતિર્યંચ પંચેંદ્રિયમાં આવે. એમ કરતાં કરતાં ઘણું અકામ નિર્જરા થવા પામે ત્યારે સંજ્ઞીતિર્યંચ પંચેંદ્રિયમાં આવે. સમુઈિમ મનુષ્ય પણ થાય. અને તેમ કરતાં કરતાં ગર્ભજ. મનુષ્યપણું પામે. એમ ચારે કષાયેના વશથી ચારે ગતિમાં જીવ જન્મમરણ કર્યા કરે છે. ક્રોધ અને માનને ભાઈબંધી છે, માયા અને લેભને ભાઈબંધી છે. એટલે તેઓ ભેરુ કહેવાય છે. છતાં પિતાને સ્વાર્થ સાધવા માટે ભાઈબંધનું પણ ગળું કાપી નાંખે છે. ખરી રીતે તે કોધને મારવાનો છે. માનને તજવાનો છે. માયાને છોડવાની છે ને લેભને તજવાનો છે. જ્યાં સુધી એ ચારે કષાયે મરે નહિ ત્યાં સુધી ૮૪ લાખ યોનિમાં ભમવું જ પડે છે. હવે ફરતાં ફરતાં પિતાના પટના કુલ સુધી તો આવે છે, પણ પિતાના ઘરમાં જવાને સમર્થ થતું નથી. યથા પ્રવૃત્તિકરણ દ્વારા એ ત્યાં સુધી તે આવ્યા જ છે. પણ જ્યાં સુધી અપૂર્વકરણરૂપ પુરૂષાર્થ ફેરવે નહીં ત્યાં સુધી આગળ વધી શકાય નહિ. આયુકર્મ વજીને બાકીના સાતે કર્મોની એક કોડાકોડી સાગરોપમમાં પલ્યોપમને અસંખ્યાત ભાગ છે એટલી સ્થિતિ રહે ત્યાં For Private and Personal Use Only
SR No.020770
Book TitleSukhi Thavana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorKirtisagar
PublisherBidada Shwetambar Murtipujak Sangh
Publication Year1973
Total Pages175
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy