SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪૫) દિવ્ય આપતા હતા. તે વાતની ખબર મને તે અત્યારે તેના કર્તવ્ય અને બોલવા પરથી જ પડી! હા ! હા ! લેભાંધ મનુષ્યો કેવી જાળમાં ફસાય છે? તેના પર કેવી વિપત્તિ આવે છે? ખરે, થયું તે ખરું પણું હવે મારે કેવી રીતે મારા શીયળનું રક્ષણ કરવું ? આ વિચારમાં તેણી -થોડે વખત શૂન્ય થઈ ઊભી રહી. કેટલીક વખત જવા બાદ પ્રબળ વિચાર-ચાને દઢ સંકલ્પ કરો તેણી એકદમ મટે સ્વરે બોલી ઉઠી. - “ આજ પર્યત મારું શીયળ નિર્મળ યાને દઢ હોય તો તે દેવ! અગર દાનવી સત્યને મદદ કરનારા પવિત્ર આત્માઓ! મને શીયળ પાળવામાં અવશ્ય મદદ આપે. હમણાં જ મદદ આપો. સત્યને આધારે જ પૃથ્વી ટકી રહી છે. મને હમણા જ મદદ મળવી જોઈએ.” આ પ્રમાણે એક ધ્યાને અને પવિત્ર હદયે શીળમતીનું બોલવું પૂર્ણ થતાં જ સમાધિષ્ઠાત દેવી પ્રગટ થઈ દેહલને કહેવા લાગી. એ મૂઢ! દુરાચારી! આ શીળમતીને બહેન સમાન ગણી, તેના પતિને પાછી સોંપીશ તે જ તારૂં જીવિતવ્ય છે, નહિંતર યાદ રાખ, હમણાં જ તારું બલિદાન કરી નાખું છું. આ પ્રમાણે આકાશમાંથી આવતાં દેવીનાં વાક, સાંભળતાં જ, ભયબ્રાંત થયેલે દેહલ-પોતાના પ્રાણ બચાવવા માટે શીળમતીના ચરણમાં નમી પડયો. તરત જ તેણીને બહેનપણે અંગીકાર કરી, દેવીનું વચન માન્ય કર્યું. તે દિવસથી શીળવતીને બહેન સમાન ગણી, ભજન. આચ્છાદનાદિકની ચિંતા યાને ખબર રાખવા લાગ્યા, દેહલ અનુક્રમે સમુદ્રમાર્ગે પિતાને ઈચ્છિત બંદરે પહે, ત્યાંથી વેપારમાં ઘણું દ્રવ્ય ઉપા ન કરી પાછો ફર્યો. વહાણે પોતાના દેશ તરફ હંકાર્યો પણ પવન પ્રતિકૂળ થતાં તે વહાણે જયવર્ધનપુરના બંદરે આવી પહોંચ્યાં. વહાણ ઊભા રાખી, મોટું ભેટયું લઈ, એછી દેહલ રાજાને જઈ મળે. રાજાએ પણ તેનું વિશેષ પ્રકારે ગીરવ કર્યું. દીપાંતરમાં બનેલી -દીઠેલી અને સાંભળેલી વિગેરે વાર્તાલાપમાં, રાજા તે શોષી સાથે For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy