SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૪) તે દેશાવક શિક વ્રત. આ દિશિસંક્ષેપ રાત્રીએ અને દિવસે ઇચ્છાનુંસાર બે વાર કરે. ૧૦ ભોજનને ત્યાગ, શરીરની શુકવાનો ત્યાગ, વ્યવહારિક વ્યાપારને ત્યાગ અને મથુનનો ત્યાગ એમ ચાર પ્રકારના નિયમોથી આત્મગુણને પુષ્ટિ આપવી તે પૌષધશ્રત. ૧૧ અતિથિ શ્રમણોને સ્વશકયાનુસાર આહારાદિ દાન આપવું તે અતિથિવિભાગ. ૧૨ આ પ્રમાણે પહેલાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને છેલ્લાં ચાર શિક્ષાવત એમ ગૃહસ્થનાં બાર વતે છે. આ બાર વ્રત પાલન કરવાં તે ગૃહસ્થધમ કહેવાય છે. તે વળી ગૃહસ્થોએ મધ, મદિરા, માંસ, માખણ, પંચુંબરી (પાંચ પ્રકારના ટેટા) અને રાત્રિભોજનને ત્યાગ કરવું જોઈએ. - વાછવાદિ પદાર્થોને જાણું તેની સહણ કરવી જોઈએ. છવા જીવાદિ નવ પદાર્થોને જાણ્યા સિવાય વ્રત, તલ, નિયમાદિ જોઈએ તેવું ઉત્તમ ફળ આપતા નથી. વસ્તુધર્મને જાણ્યા સિવાય તેનું ગ્રહણ કે ત્યાગ એગ્ય રીતે બનવું અશક્ય છે. રાજન! તે માટે હું તમને જીવાજીવાદિ પદાર્થની સામાન્ય સમજુતી કરાવું છું. જીવ બે પ્રકારના છે. સંસારી તથા કર્મ બંધનથી મુકાયેલા. કર્મ બંધનથી મુકત થયેલા છે, જન્મ, મરણાદિ આધિ, વ્યાધિથી મુક્ત થઈ નિરંતર જ્ઞાનાનંદમાં મગ્ન રહે છે. તેઓને કોઈ પણ વખત જન્મ લેવું પડતું નથી, કેમકે જન્મનું કારણ કે બીજ છે. તે કર્મબીજ તેઓએ સર્વથા ભસ્મીભૂત કરેલ હેવાથી તેમાંથી ફરી જન્માંકરાઓ ઉત્પન્ન થઈ શકતા નથી. તેઓ મુક્તાત્મા કહેવાય છે. બીજો ભેદ જે સંસારી જવાનો છે, તે અષ્ટકર્મથી બંધા For Private and Personal Use Only
SR No.020767
Book TitleSudarshana Charitra
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherJotana Jain Sangh
Publication Year1951
Total Pages475
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy