SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક સંપ્રદાયનું સંગમસ્થાન ૩૧ - ~- ~~ ~--- ----- - -- 'पुराणन्यायमीमांसाधर्मशास्त्राङ्गमिश्रितः । वेदाः स्थानानि विद्यानां धर्मस्य च चतुर्दश' ॥ इति ચાર વેદ, છ અંગ અને ચાર ઉપાંગ મળી ચૌદ વિદ્યાઓ જાણવી; ચાર ઉપવેદોને એમાં સ્થાન નથી; પરંતુ અહીં તો ઉપપુરાણોને પુરાણોમાં, વૈશેષિક શાસ્ત્રનો ન્યાયમાં, વેદાંતશાસ્ત્રનો મીમાંસામાં અને રામાયણ, મહાભારત તથા સાંખ્ય, પાતંજલ, પાશુપત, વૈષ્ણવ વગેરેને ધર્મશાસ્ત્રમાં સમાવેશ જાણી લેવો. ઉપર ગણાવેલાં બધાં શાસ્ત્રો આસ્તિકો માટે છે. એ સિવાય માધ્યમિક, યોગાચાર, સત્રાંતિક, વૈભાષિક, ચાર્વાક અને દિગંબર એવાં છ શાસ્ત્રો–પ્રસ્થાન નાસ્તિકોનાં છે. આ નાસ્તિક—શાસ્ત્રો વેદબાહ્ય છે, જેથી આસ્તિકોએ સર્વને નિરુપયોગી જાણી લેવાં. હવે ઉપર્યુકત વેદાનુકૂળ શાસ્ત્રોનું એક પરમાત્મામાં જ કેવી રીતે પર્યવસાન થાય છે, તે જુઓ. પારાશર સ્મૃતિમાં કહ્યું છે કે: 'न कश्चिद्वेदकर्ता स्याद्वेदस्मर्ता चतुर्मुखः । वेदो नारायणः साक्षात्स्वयंभूरिति शुश्रुम ।। વેદ સાક્ષાત નારાયણસ્વરૂપ છે, તેમ જ તે અનાદિ છે. તેમને કોઈ કર્તા નથી, પણ તેમનું સ્મરણ કરનાર ચતુર્મુખ બ્રહ્મા) છે. તે ચારે વેદોમાં કર્મ, ઉપાસના તથા જ્ઞાન, એ ત્રણ કાંડ મુખ્ય છે. જ્ઞાનકાંડ તે સ્પષ્ટપણે જીવ–બ્રહ્મની એકતાનો બોધ કરે છે; જ્યારે કર્મકાંડ અને ઉપાસનાકાંડ અંત:કરણની શુદ્ધિ કરાવીને એકાગ્રતા દ્વારા અંતે જીવ—શિવની એકતાના જ્ઞાનમાં પરિણમે છે. For Private and Personal Use Only
SR No.020716
Book TitleShiv Mahimna Stotra
Original Sutra AuthorN/A
AuthorPushpdant, Lalji Naraynji Bramhabhatt
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1988
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy