SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ શ્રીશિવમહિમ્ર સ્તોત્ર હે પ્રભો! મધ જેવી મધુર અને પરમ અમૃત સમાન (અલંકારવાળી) વેદવાણી તમે ઉત્પન્ન કરો છો, તો પછી બ્રહ્માજીની વાણી પણ આપને શું આશ્ચર્યકારક લાગે? (ન જ લાગે.) છતાં આપના ગુણોનું વર્ણન કરવાના પુણ્ય વડે હે મહાદેવ! મારી આ વાણીને હું પવિત્ર કરું, એ હેતુથી જ આ (સ્તુતિરૂપ) કામમાં મારી મતિ તત્પર થયેલી છે. ૩ હે પુરમથન ! તમે શબ્દાલંકાર અને અર્થાલંકારવાળી અતિ કોમળ તેમ જ મધુર, અમૃત સમાન આનંદ આપનારી વેદવાણી, શ્વાસોચ્છવાસની જેમ અનાયાસે ઉત્પન્ન કરો છો, તો પછી તમને બ્રહ્માજીની વાણી પણ શી રીતે વિસ્મય કરશે?” “જ્ઞા પત્ર ન Tષ્યન્ત માનાં તુ જ કથા છે જ્યાં હાથીઓને પણ હિસાબ નથી ત્યાં મગતરાં બિચારાં કોણ માત્ર?' એ ન્યાયે જ્યાં બ્રહ્માજીની વાણી પણ ફીકી પડે, ત્યાં મારી પામર વાણીનું શું ગજું? એમ કહેવાનો આશય છે; છતાં હે ત્રિપુરાંતક! તમારા ગુણોના વર્ણનથી થયેલા પુણ્ય હું મારી વાણીને પવિત્ર કરું અને એ અભિપ્રાયથી જ મારી મતિ આપની સ્તુતિ કરવા પ્રેરાયેલી છે. અહીં પરમાત્માની વેદવાણી માંહેના શબ્દના માધુને મધની તથા અર્થના માધુર્યને અમૃતની ઉપમા આપેલી છે, એ ઉપરથી એમ પણ સમજાઈ આવે છે કે, જે વાણીમાં શબ્દાલંકાર કરતાં અર્થાલંકારની અધિકતા હોય તે જ ઉત્તમ વાણી છે. For Private and Personal Use Only
SR No.020716
Book TitleShiv Mahimna Stotra
Original Sutra AuthorN/A
AuthorPushpdant, Lalji Naraynji Bramhabhatt
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1988
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy