SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ શત્રુંજય માહાત્મ્ય. ' [સર્ગ ૨ જો. બે પેાતાનું અને રણકાંતિનું પૂર્વે બનેલું વૃત્તાંત તેને નિવેદન કર્યું, બુદ્ધિના બળથી મહીપાળે જાણ્યું કે, ‘રત્નપ્રભના તેના ભાઈ ઉપર સ્નેહ થયેલા છે' એટલે તેઓની પ્રીતિ દૃઢ કરવાના ઉપાયને માટે તેણે કહ્યું કે “ભાઈ રતપ્રભ ! આ જગમાં પૂવેના પુણ્યથીજ સહેાદર-બંધુનું દર્શન થાયછે. સુખને ઇચ્છનારા પુરૂષાએ સહેાદર ભાઇને પેાતાના બીજા હાથની પેઠે પાળવા જોઇએ. સંપત્તિ અને સ્રીએ જ્યાં જઇએ ત્યાં મેળવી શકાયછે, પણ માતાના ઉત્તરવિના સહેાદર ભાઇનું દર્શન થતું નથી. જેએ લવમાત્ર લક્ષ્મીને માટે પેાતાના સહેાદર-ભાઇના દ્વેષ કરેછે તે મૂઢ અને ભાગ્યહીન પુરુષો શ્વાનની તુલ્યતાને પામેછે. જે અભાગીઆએ રાજ્યાદિકને માટે સહેાદર ભાઈઓને હણેછે, તેઓ પેાતાનાજ પક્ષના છૈઢનારા છે એમ હું માનુંછું. જેએ એક ત્રાસના ભાગના ગર્વ ધરી પેાતાના ભાઇને છેતરેછે, તેએને ખીજા સાથે સંપ કરીને ત્રાસ લેનારા કાગડાએ પણ હસે છે. આવી અમૃતે ભરેલી મહીપાળ કુમારના મુખચંદ્રથી ઝરતી વાણી સાંભળીને રલપ્રભના નેત્રમણિમાંથી ધણાં અશ્રુબિંદુ પડવા લાગ્યાં. નિશ્વાસથી અને ગળતાં અશ્રુથી જેના કંઠ રૂંધાઈ ગયાછે એવા તે વિદ્યાધર મહીપાળની પાસે જઈ ગદ્ગદ્ વાણીથી કહેવા લાગ્યા હે પરમ બંધુ ! એ મારા નાના ભાઈ રણકાંતિ મુળથી ઉદ્ધૃત છે, તેને મેં કાઈ દિવસ રીસાવ્યા નથી. તે પેાતાની મેળેજ કાંઈક વિકલ્પ કરી ચિત્તમાં અવળું વિચારીને ચાહ્યા ગયા છે. હિતકારી વાયામૃત વડે મંત્રીઓએ તેને વાર્યો અને મેં પણ આગ્રહથી અટકાવ્યા, તે છતાં તે અવળું સમજી ચાહ્યા ગયા હતા. હે ભાઈ ! આ વખતે તેના વિના સુખ અને દુઃખ આપનારૂં આ રાજાપણું વિષમિશ્રિત અમૃત જેવું હું જાણુંછું. ” રલપ્રભનાં વચન સાંભળી મહીપાળે કહ્યું, હે ભાઈ ! ‘હવે તેના ખેદ કરા નહીં; દેહ અને દેહી ( પ્રાણી ) ના સંગમ જેમ કર્મ કરાવે તેમ તમારા બન્ને ભાઇના સંગમ હું કરાવીશ. એવું કુમારનું વચન સાંભળી તેને સ્વીકાર કરી સ્વચ્છ મનવાળા રલપ્રભ પેાતાના અનુજ અંધુને જોવામાં ઉત્સુક થઈ રહ્યો. મહીપાળ કુમારે રાજપુત્રીની સાથે સંગીત શાસ્રના આનંદથી અને ઈષ્ટજનના સંગમથી કેટલાએક દિવસ નિર્ગમન કર્યાં. તેવામાં તે તેને અકસ્માત પૂર્વકર્મના પરિણામથી જ્વરની પીડા થઇ અને તેની સાથેજ તેના અંગ ઉપર ચાતરફ ફેાલા ઉઠી આવ્યા. તલના દાણા મૂક્યા હાય તાપણ છુટી જાય તેવા દુઃસહ ૧ ગ્રાસ-રાજપક્ષે પૃન્યાદિ અને કાકપક્ષે કવલ કોળીયો. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy