SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૩ મો. ] યાત્રાર્થે પાંડવાનું પ્રયાણ. ૪૮૩ નિદ્રાતંદ્રાના નાશ કરીને પ્રતિક્રમણ કરતા એવા આ પંથકે મારા મેાાંધકાર દૂર કરાવીને મને બે પ્રકારે' જાગ્રત કરેલા છે–” આવી રીતે આત્મગર્હણા કરી દાષને પરિગ્રહ છેડી દઈને શૈલકાચાર્ય પેાતાના પરિવાર સાથે પૃથ્વીપર વિહાર - રવા લાગ્યા. એ પ્રમાણે ધણા લોકોના અનુગ્રહ કરીને પ્રાંતે શૈલકાચાર્યે શત્રુંજય ગિરિપર જઇ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે કેવળ જ્ઞાનથી નિર્મલ થઈ પાંચસે મુનિએની સાથે તેમણે પણ શિવાગારને શેાભાવી દીધું. એ પ્રમાણે સ્થાપતાપુત્ર, શુકાચાર્ય અને શૈલક વિગેરે મુનિપતિએ અહીં મેાક્ષને પામ્યા છે, તેથી આ તીર્થ અતિ વંદનીય છે. અને નામગ્રહણમાત્રથી પણ પ્રબલ કુકર્મના મર્મને ભેદનારૂં છે. શ્રીનેમિનાથ પાસેથી શત્રુંજય ગિરિનું માહાત્મ્ય સાંભળીને પાંડવેએ પેાતાના જન્મને સાર્થક કરવા માટે તે તીર્થની યાત્રા કરવાને મનોરથ કર્યાં. તે વખતે તેમના પિતા પાંડુએ સ્વર્ગમાંથી આવીને પ્રીતિથી કહ્યું કે, ‘હે વત્સ ! આ તમારા મનેરથ સારા પરિણામવાળા થશે માટે તમે શુદ્ધ હૃદયથી પુંડરિક ગિરિની યાત્રા કરી, તેમાં મહાપુણ્યવાન એવા તમને હું સહાય કરીશ.' પિતાની આવી આજ્ઞા થવાથી પાંડવાએ પ્રસન્ન થઇને યાત્રાને માટે સર્વ રાજાઆને નિયંત્રણ કર્યું. એટલે તે સર્વ રાજાએ હર્ષ પામી માટી સમૃદ્ધિ અને બહુ પરિવાર સાથે લઇને હસ્તિનાપુર આવ્યા. પાંડવાએ તેમને સારો સત્કાર કર્યો. પછી શુભ દિવસે મણિમય પ્રભુના બિંભયુક્ત દેવાલય આગળ કરીને સૈન્ય અને વાહના સહિત તેમણે હસ્તિનાપુરથી પ્રયાણ કર્યું. માર્ગમાં સામૈવાત્સલ્ય, ગુરૂ, જ્ઞાન અને દેવની પૂજા તથા જીણું ચૈત્યોના ઉદ્ધૃાર કરતા કરતા ચાલ્યા. સુરાષ્ટ્રદેશના સીમાડાસુધી સામા આવીને પ્રીતિવાળા પાંડવોને યાદવાસહિત કૃષ્ણ આનંદથી મળ્યા. ત્યાંથી આગળ ચાલતાં તીર્થની સમિપે આવીને તે તીર્થપૂજા અને ગુરૂપૂજા વિધિપૂર્વક કરી હર્ષથી શત્રુંજય ગિરિઉપર ચડ્યા. મુખ્ય શિખર અને રાજાદની વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરીને સુર અસુરાએ પૂજેલી પ્રભુની પાદુકાને તેમણે પ્રણામ કર્યા. પછી કૃષ્ણ અને યુધિષ્ઠિર પરપર બાહુ મિલાવીને વરદત્ત ગુરૂની સાથે હર્ષપૂર્વક ચૈત્યમાં પેઠા, એટલે પાષાણેાની સંધિ શિથિલ થવાથી જેમાં તૃણાંકુર ઉગેલા છે એવું તે ચૈત્ય જરાક્રાંત શરીરની જેવું તેમના જોવામાં આવ્યું. ચૈત્યની મધ્યમાં ભગવંતનું બિંબ પણ તેવુંજ જીર્ણ થયેલું જોઈ તે બન્ને ધાર્મિક વીરા જાણે મર્મભેદ થયા ઢાય તેમ અતિદુઃખથી ખેદ પામ્યા. પછી કૃષ્ણે ધર્મપુત્રપ્રત્યે બેાલ્યા ‘જી ૧ દ્રવ્યથી ને ભાવથી. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy