SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ શત્રુંજય માહાત્મ્ય. [ સર્ગ ૧ લો. ધાતકીવૃક્ષ ઉપરના ચૈત્યોમાં થાયછે, દશ હજારગણું પુષ્કરવર દ્વીપના ચૈત્યામાં, રૂચકાદ્રિમાં અને અંજનગિરિમાં થાયછે; લાખગણું નંદીશ્વર, કુંડલાદ્રિ, અને માતુપેાત્તર પર્વતમાં થાયછે, દશ લાખગણું વૈભારગિરિ, સંમેતશિખર, વૈતાઢય તથા મેરૂપર્વતે થાયછે અને રૈવતાચળ (ગિરનાર) તથા અષ્ટાપદ પર્વતે ક્રોડગણું ફળ થાયછે. તેમજ તેનાથી અનંતગણું પુણ્ય શત્રુંજયના દર્શનમાત્રથી થાયછે અને હૈ ઇંદ્ર ! તેની સેવાથી જે ફળ થાયછે તે તે વચનથી કહી શકાય તેમજ નથી. આ સિદ્ધગિરિ પેહેલા આરામાં એંશી ચૈાજનમાં વિસ્તાર પામેલે હાયછે. બીજા આરામાં સિત્તેર ચેાજન, ત્રીજા આરામાં સાઠ યોજન, ચાથામાં પચાશ યેજન, પાંચમા આરામાં બાર ચેાજન અને છડા આરામાં સાત હાથ જેટલા પ્રમાવાળા રહેછે. તથાપિ એનેા પ્રભાવ તા માટેાજ રહેછે. એ ઉત્તમ તીર્થનું પ્રમાણ અવસર્પિણી કાળમાં ધટતું જાયછે. અને ઉત્સર્પિણી કાળમાં તેજપ્રમાણે પાછું વધતું જાયછે; પરંતુ તેના મહિમાની તેા કદાપિ પણ હાનિ વૃદ્ધિ થતી નથી. જ્યારે યુગાદીશ પ્રભુ તપ કરતા હતા ત્યારે ત્રીજા આરાને છેડે આ ગિરિ મૂળમાં પચાશ ચેાજન વિસ્તારવાળા, ઉપર દશ યાજન વિસ્તારવાળા અને ઉંચાઈમાં આઠ યોજન હતા. છઠ્ઠા આરાને અંતે ભરતક્ષેત્રાશ્રયી પ્રલયકાલમાં બીજા પર્વતની પેઠે આ ગિરિના ક્ષય થતા નથી, તેથી એના આશ્રય કરીને રહેલા લોકેા અક્ષયસુખ મેળવેછે. શત્રુંજય, રૈવતગિરિ, સિદ્ધિક્ષેત્ર, સુતીર્થરાજ, ટેંક, કપીઁ, લૌહિય, તાળ ધ્વજ, કદંબગિરિ, બાહુબળિ, મરૂદેવ, સહસ્રામ્ય, ભગીરથ, અષ્ટોત્તરશતકૂટ, નગેશ, શતપત્રક, સિદ્વિરાષ્ટ્ર, સહસ્રપત્ર, પુણ્યરાશિ, સુરપ્રિય, અને કામદાયી એવા નામનાં એકવીશ મુખ્ય શિખરી આ ગિરિરાજનાં કહેવાયછે. તે પ્રત્યેકના જો મહિમા કહેવા બેસીએ તેા અનેક વર્ષો ચાલ્યાં જાય, તેથી તેએમાં એ પ્રગટરૂપ છે તેઓના કાંઇ કાંઇ મહિમા કહુંછું. તે સર્વેમાં મુખ્યશિખર શત્રુંજય અને સિદ્ધિક્ષેત્ર છે. તેનીઉપર ચડનારા પ્રાણીએ યલશિવાય લેાકાત્ર ઉપરજ ચડેછે. હું ઇંદ્ર ! હું ધારૂંછું કે મેરૂ વિગેરેથી પણ આ ગિરિ ગુણાવડે મેટા છે. કારણકે તેની ઉપર ચઢેલા પુરુષા જાણે હરતગત હાય તેમ સિદ્ધિને મેળવેછે. મેરૂ, સંમેતશિખર, વૈભારગિરિ, રૂચકાદ્રિ, અને અષ્ટાપદ વિગેરે સર્વે તીર્થો આ શત્રુંજય ગિરિમાં સમાયછે. ત્રણ ભુવનમાં જેટલા ઈંદ્રાદિક દેવતા અને દેવી છે તે સર્વે સદ્ગતિની ઇચ્છાથી આ તીર્થરાજની સદા સેવા કરેછે. જે તીર્થના રમરણથી પેાતાના સ્થાનમાં રહેલા પ્રાણીઓ પણ યાત્રાના ફળને મેળવેછે, તેવા સર્વ તીર્થમય આ તીર્થરાજને નમસ્કાર થા, For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy