SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મે. ] ભયંકર યુદ્ધ, કૌરવ પક્ષની થતી જતી હાર. ૪૩૫ અને નિષ્ફળ કરી નાખ્યું. “વિનયથી શું સિદ્ધ ન થાય ? ”એવી રીતે અવિચ્છિન્ન બાર પહેરસુધી યુદ્ધ પ્રવર્તતાં ઘણું વિરે ક્ષય પામી ગયા. પછી કૌરવોએ અંગદેશના રાજા કર્ણને સેનાપતિના પદ ઉપર નીમ્ય. “સર્વ પ્રાણુઓને આશા મહા બળવાનું છે.” પ્રાતઃકાલે ગાંધારીના પુત્રો પરાક્રમી કર્ણને આગળ કરી આયુધ ઉગામીને યુદ્ધ કરવાની ઇચ્છાએ રણમાં આવ્યા. બંને સૈ. ન્યમાં શસ્ત્રવડે ઉન્નત એ ઉજજવળ સંફેટ ઉત્પન્ન થયે, જે સર્વ સૈનિકોને પરસ્પર દુઃસહ અને દુક થઈ પડ્યો. કર્ણસુધી ધનુષ્યને ખેંચતો કર્ણ સમુદ્રના જે દિવનિ કરતો શત્રુઓને ત્રાસ પમાડતો રણક્ષેત્રની મધ્યમાં આવ્યું. જેમ સૂર્ય પિતાનાં કિરણે આસપાસ, ઊંચે અને નીચે પ્રસારે છે, તેમ તેને પુત્ર કર્ણ પણ શત્રુઓમાં પિતાનાં બાણેને પ્રસારવા લાગ્યો. સમાન ભુજપરાક્રમવાળા અને ન અને કર્ણ પ્રલયકાળમાં ઉદય પામેલા સૂર્યની જેમ ઉગ્ર એવા બાણોથી યુદ્ધ કરવા લાગ્યા. પૂર્વના કોપથી પ્રેરાયેલા ભીમે દુશાસનને રૂંધી લીધે, અને તેને પૃ થ્વીના પ્રષ્ટ ઉપર પછાડી તેની ભુજાઓ ઉખેડી નાખી. દુ:શાસનના રૂધિરથી રક્ત થયેલી ભૂમિને જોઈ તેને રંગ અદ્યાપિ જાણે બતાવતો હોય તેમ રક્ત થઈને સૂર્ય તેજ વખતે પશ્ચિમદિશાને આશ્રય કર્યો. પ્રાતઃકાલે અર્જુનના વધની અપેક્ષા કરતે કર્ણ શલ્યને સારથિ કરી શંખવનિના મિષથી ગર્જના કરતો રણભૂમિમાં આવ્યું. આકાશમાં, દિશાઓમાં અને પૃથ્વી ઉપર સર્વ પ્રાણીવર્ગની ઉપર વાયુથી મેઘના કણની જેમ તેમનાં બાણ - ણવા લાગ્યાં. સર્વ મંત્રાઍોને જાણનારા અને કણે મૂકેલા નાગાસ્ત્રને ગરૂડાથી નિવારી દીધું તેમજ બીજા પણ તેનાં અસ્ત્રોને પ્રત્યસ્રોવડે નિષ્ફળ કર્યા. પ્રાંતે સૂર્ય પશ્ચિમ સમુદ્ર પર આવતાં પૂર્વ ઉપકારવડે ખરીદ કરેલા પગેંદ્રની સહાયથી ધનંજયે (અર્જુને) કણને મારી નાખે. બીજે દિવસે શલ્યને સેનાપતિ કરી કૈર મંદ ઉત્સાહે રણમાં આવ્યા. શત્રુઓના મનમાં શલ્યરૂપ શલ્યરાજા શત્રુઓની ઉપર બાણ છોડતાં એક યુધિઝિરરાજાજ ખરેખરા યુધિષ્ઠિર થયા, એટલે યુદ્ધમાં રિથર થયા. સહદેવે પણ ક્રોધ પામી બાણસમૂહથી ગગનસાગરને પૂરી પિતાની સામે આવેલા ક્રોધી શક નિને રૂંધી દીધો. પછી ઉત્તરકુમારને શ મારેલ તે વૈરને સંભારીને ધર્મરાજાએ ક્રોધથી સફળ શક્તિ વડે શલ્યરાજાને મારી નાખે. “વીર પુરૂષોને ક્રોધ વૈરીને મારીનેજ શાંત થાય છે. એ પછી કર્મસાક્ષી સૂર્ય જ્યારે અસ્ત પામે, ત્યારે પે ૧ કર્ણ સૂર્યપુત્ર કહેવાતો હતો. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy