SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મ. ] પાંડવ કૌરવોનું યુદ્ધ, ચિત્તાકર્ષક વર્ણન. ૪૩૧ સંદ પામનારાના રોષથી, હાથીઓના પરસ્પર અથડાતા દાંતથી અને પરસ્પર નગ્ન થતા યોદ્ધાના પાદચારથી મોટું યુદ્ધ જામી ગયું. આયુધ ઉગામીને રહેલા, ક્રોધથી જાગ્રત થયેલા અને બખ્તર ધારણ કરેલા દ્ધાઓ સૂર્યની જેવા ઉજજવલ થઈ શત્રુઓને દુકપ્રેક્ષ્ય થઈ પડ્યા. કવચધારી ઘોડાઓ ભાલાના બંધસાથે ઊર્ધ્વગતિવડે ઉછળતા હતા, તેમને જોઈને ભયથી ભગ્ન થયેલા શત્રુઓ “આ પાંખવાળા અશ્વ છે કે શું ? એ તર્ક કરવા લાગ્યા. તે ઉદ્દેલ અને હુંકારાથી ગાજતા સંગ્રામસાગરમાં સર્વ શસ્ત્રો જળચર જીવો જેવા, હાથીઓ પર્વત જેવા, અશ્વો તરંગ જેવા, પેદલે જલમાનુષ જેવા, રો મગર જેવા અને વિમાને વહાણની જેવા દેખાવા લાગ્યા. એ સમયે જેને ક્રોધ વૃદ્ધિ પામેલે છે એ અભિમન્યુ રથમાં બેસીને અંધકારમાં સૂર્યની જેમ શત્રુઓની સેનામાં પેઠે, ઉત્કર્ષશાલી અભિમન્યુ કોપથી બા ના સમૂહરૂપે વર્ષતાં વીરત્વને નાશ થવાથી શત્રુઓને દુકાળ પડયે. તેને સુરણયમાન થતો જોઈ વૃહદ્બલ અને કૃપાચાર્ય રથમાં બેસી બાણોથી આકાશને વ્યાસ કરતા તેની સામે આવ્યા. એટલે અર્જુનકુમાર વૃહદ્બલની સામે થયે અને તેની સહાય કરવાને માટે આવેલ કૈકયરાજા કૃપાચાર્યની સામે થયે. પરસ્પર યુદ્ધ કરતા જગતને પણ ભય ઉત્પન્ન કરનારા તે ચારે જણાઓને દૂર રહીને સૈનિકે જોવા લાગ્યા. તેમાંથી પરપર રથવગરના થએલા અને હાથમાં પણ લઈને યુદ્ધ કરતા કૈક્યરાજા અને કૃપાચાર્ય ઊંચી ફણા કરેલા બે સર્ષની જેમ વિ ને ક્ષય કરવામાં પણ સમર્થ જણાવા લાગ્યા. બાણની મહાવૃષ્ટિ કરનારા અને ભિમન્યુના દેવજ અને સારથિને રણમાં શ્રેષ્ઠ બળવાળા વૃહદબલે છેદી નાખ્યા. તે વખતે કર નિષથી ગાજતે અને ચક્રવડે પૃથ્વીને વિદારતો ભીષ્મને રથ વેગથી યુધિષ્ઠિરનાં સૈન્યમાં આવ્યું. ભીમરથવાળા ભીમે બાણોથી આકાશમાં મંડપ કર્યો એટલે વર્ષાદ વર્ષતાં નાવિકા જેમ અસ્થિર થાય તેમ શત્રુસેના અસ્થિર થવા લાગી. તે સમયે શત્રુઓથી કોપ પામેલા અભિમન્યએ આકાશને આચ્છાદન કરીને દુખરાજાના સારથિને અને ભીષ્મની વજાને છેદી નાખ્યાં, તેથી ભીમને ક્રોધ ઉત્પન્ન થયે તે જોતાંજ અર્જુનના પુત્રની રક્ષા કરવાને માટે પાંડવોના સન્યમાંથી દશ મોટા દ્ધાઓ હથીઆર ઉગામીને ત્યાં આવ્યા. રથના ચીત્યારથી જ ગતને ભ કરતો ભીમસેન પણ રણમાં આવ્યું. તરત ભીષ્મના બાણથી તેની દવજા તુટી પડી એટલે તેને અતિ ક્રોધ ચડે. તેવામાં જેણે પિતાના બે હાથી, સારથિ, રથ અને ઘોડાઓને સમકાળે વિનાશ કર્યો છે એવા ઉત્તરકુમારની ઉપર શલ્યરાજાએ વર્ણશક્તિ છોડી. તેની સામે સર્વ પ્રકારનાં હથિયાર નાખી તેને For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy