SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મે.] ૪૫ ' દુર્યોધનપાસે પાંડવાએ મોકલેલો દૂત. ઇચ્છાનુસાર મનેરથને પ્રાપ્ત કરતા પેાતાના ધરની જેમ ત્યાં સુખે રહેતા હતા; તેવામાં એક વખતે સમુદ્રવિજય વિગેરે યાદવપતિએ અને રામકૃષ્ણ પ્રમુખ એકઠા મળી પાંડવાને કહેવા લાગ્યા સત્ય પ્રતિજ્ઞાવાળા તમે શત્રુઓનું સર્વ ચેષ્ટિત સહન કર્યું. કેમકે સત્પુરુષા પ્રલયકાળમાં પણ પેાતાનાં વચનથી ચલાયમાન થતા નથી; પરંતુ હવે તમને સમય પ્રાપ્ત થયો છે, માટે કીર્તિને પંગુ કરનારા વૃદ્ધિ પામતા શત્રુરૂપ કાંટાવાળા વૃક્ષને છેદી નાખવા એજ યુક્ત છે.’તે સાંભળી ધર્મપુત્રે કહ્યું ‘દુઃખકારી એવી લવમાત્ર લક્ષ્મીના લાભને માટે પેાતાની પાંખા જેવા બંધુજનને રણમાં મારાથી કેમ મરાય ?' તે સાંભળી દ્રૌપદીએ ભીમની સામું જોયું, એટલે અતુલ ખળવાળા ભીમસેન બેલ્યા ‘તમે કઢિ શત્રુઓની વૃદ્ધિ સહન કરી, પણ હવે હું તેમના પરાભવને સહન કરવાના નથી.' આવાં તેનાં વચન સાંભળીને યુધિષ્ઠિરે યાદવાને કહ્યું જો કે શત્રુએ મારવાને યેાગ્ય છે અને આ ભીમ વિગેરે યુદ્ધ કરવાને ઉત્સુક છેતેા પણ પ્રથમ તેમને સામભેદથી સમજાવવા યોગ્ય છે.’ પછી સમુદ્રવિજય વિગેરેની આજ્ઞાથી મહા વાચાળ વિજય નામે દૂત રથમાં બેસીને હસ્તિનાપુર ગયા. આવી વિજયે ૬વિજય નામે હું દૂત સત્ય પ્રતિજ્ઞાવાળા સમય આવતાં હવે જ્યાં ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર વિગેરે બેઠા હતા, તે સભામાં ર્યોધનને કહ્યું “હે રાજા દ્વારકાધીશ અને કંસના શત્રુ કૃષ્ણને છું. તેમના જે ઇરાદે ( સંદેશા ) છે, તે મારા મુખથી સાંભળેા. પાંડુપુત્રો જે તમારા બંધુ થાયછે, તે પેાતાના કહ્યાપ્રમાણે પ્રત્યક્ષ થયા છે. જેવી રીતે તેઓ પોતાના કાળ નિર્ગમન કરી સત્ય રીતે વર્ત્યા, તેવી રીતે તેમને તેમને રાજભાગ પાછે સોંપી તમે પણ સત્ય રીતે વર્તો. હું રાજા ! એક પૃથ્વીના લવ માટે પૂર્વની જેમ તમારે રણના સભારંભ ન થવા જોઇએ અને પરપર દ્રોહ પણ ન થવા જોઇએ. ઇંદ્રપ્રસ્થ, તિલપ્રસ્થ, વારણાવત, કાશી અને હસ્તિનાપુર એ પાંચ ગામ તેમને આપે.” આવાંદૂતનાં વચન સાંભળી ક્રોધથી હાર્ડને ડસત્તા, મૂર્છાને સ્પર્શતા અને પેાતાના ખભા ઉપર નેત્રને ફેરવતા દુર્યોધન બેલ્યા “ રે દંત! એ બ્રુગઢી પાંડવોને હારી ગયેલું રાજ્ય હવે પાછું કેમ મળશે? વળી તે ભીમ વિગેરે તેા પ્રથમથીજ મારા શત્રુઓ છે, બંધુ નથી. મેં રક્ષણ કરેલી ભૂમિમાં તે સર્વે તરફ ફરે હરેછે, તેજ તેમને ભૂમિભાગ છે, ખીજું કાંઇપણ હું તેને આપવાના નથી. પાંડવા મારી સાથે મૈત્રી રાખે કે દ્વેષ કરે પણ મેં ઘુતમાં જીતીને જે મેલખ્યું છે, તેમાંથી એક ભૂમિનેા લવ પણ હું તેમને આપવાના નથી. તે સાંભળી વિજયકૃત નીતિ ભરેલું વચન ફરીથી એલ્યા ‘ હૈ "" ૫૪ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy