SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહા. [ ખંડ ૨ જે. રાજા જ્યદ્રથની વાહિનીને ધનુષ્યના ટંકારથી ભય ઉપજાવીને ઉન્માર્ગગામિનીર કરી દીધી. મુશળથી ધાન્યને મુંડાની જેમ ગદાના ઘાવડે ભીમસેને તેની ગજઘટાને ઉછળતા રૂધિરથી વ્યાપ્ત કરીને પીડવા માંડી. પછી અને અ ચંદ્ર બાણથી જયદ્રથની દવા અને દાઢી મૂછના કેશ છેદી નાખ્યા; માતાનાં વચનથી તેને જીવથી હર્યો નહી. પ્રાંતે તેવાં બળથી શેભતા ભીમ અને અર્જુન દ્રોપદીને રથમાં બેસારી પાછી લઈ આવ્યા અને માતાના ચરણમાં વંદના કરી. રણમાં થયેલા શ્રમથી ઝરતા વેદ બિંદુઓથી જેમનું શરીર વ્યાપી ગયું છે એવા બંને પુત્રોને માતાએ એહપૂર્વક હર્ષસાથે બે હાથે સ્પર્શ કર્યો. આપ્રમાણે સર્વે સંતોષમાં મગ્ન થઈને બેઠા હતા, તેવામાં નારદમુનિ આકાશમાંથી ઉતરી તેમના મધ્યમાં પૂજિત થઈને બેઠા. પછી પિતાનાં હૃદયની જેમ એકાંતે લઈ જઈને નારદે તેમને કહ્યું “હે પૃથાકુમાર ! દુર્યોધનને જે વિચાર છે તે સાંભળે. તમારી પાસેથી છૂટીને અધમ દુર્યોધન પિતાની નગરીમાં આવ્યું ત્યારથી તે પાપી તમને મારવાના ઉપાયે ચિંતવ્યા કરે છે. જયારે કપટથી પણ તમને મારવાને પોતે અશક્ત થયે ત્યારે તેણે રાત્રિએ નગરમાં આપ્રમાણે આપણા કરાવી છે કે જે કોઈ ઉત્તમ પુરૂષ કપટથી કે બાહુબળથી પાંડવોને હણશે, તેને હું અવશ્ય અર્થે રાજય આપીશ.” આવી આઘોષણું સાંભળી પુરોચન પુરેહિતના પુને પિતાના પિતાના વૈરથી દુર્યોધનને જણાવ્યું કે પ્રભુ ! આ કાર્યમાં તમારે પ્રયાસ કરવાની શી જરૂર છે? મારી પાસે મને વરદાન આપનારી અને સર્વ કાર્ય કરનારી કયા નામે વિદ્યા છે, તેના પ્રભાવથી હું ત્રણ લેકને પણ ક્ષોભ ઉપજાવી શકું તે છું. તે સાંભળી પાપી દુર્યોધન ખુશી થયે, અને ઈષ્ટકાર્ય કરવામાં ઉઘુક્ત એ પુરોહિત કુમારને વસ્ત્રાલંકાર તથા માળાથી પૂજીને તેની પ્રશંસા કરી. તે પાપી હાલ વિદ્યા સાધે છે, તેને સાધીને તે અહીં આવવાનું છે. અમોઘ વિદ્યાથી વિશ્વને પણ નાશ કરવાને સમર્થ તે છે, તેથી હે પાંડવો ! સનેહ અને સાધર્મીપણાને લીધે મેં અહીં આવીને તમને જણાવ્યું છે, માટે તેના નિવારણને કોઈ ઉપાય વિચારો.” તે સાંભળીને તમે જાણીને અમને કહ્યું તે બહુ સારું કર્યું, પણ તે પોતાના કાર્યમાં સમર્થ થશે નહીં એમ કહી યુધિષ્ઠિરે બહુમાનથી નારદને વિદાય કર્યા. પછી પાંડવોએ, કુંતી અને દ્રૌપદીની સાથે તે કર્મમાં પ્રમાણરૂપ તોષ, તપ અને કોત્સર્ગ હર્ષથી કરવા માંડ્યા. એક પગે ઊભા રહી, સૂર્યની સામે નેત્ર કરી આદરપૂ સેના. ૨ આરસ્તે જનારી. ૩ લાક્ષાગૃહમાં મારી નાખ્યો હતો તે વૈરથી. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy