SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માં ખાનામાં સાં સ સેવાને ચડ્યો તને વારંવાર બીગાને સર્ગ ૧૧ મો. 3 ભીમસેને કરેલો બકરાક્ષસનો વિનાશ. ૩૯ પરંતુ મનુષ્યપણું સમાન છતાં હું તમને રાક્ષસની પાસે ભક્ષણ કરાવી મારા જીવિતની રક્ષા કરું એ કે ન્યાય ! વળી આવેલ અતિથિ સર્વને ગુરૂ છે એમ વિદ્વાને કહે છે, તે તમે જે મારા ગુરૂ થયા છે તેમના પ્રાણથી હું મારા પ્રાણની રક્ષા કરું તે પણ કે ન્યાય !” આ પ્રમાણે કહેતા તે બ્રાહ્મણને બળાત્કાર ઘરમાં રાખી ભીમસેન રાજપુરૂષની સાથે તે રાક્ષસના ભુવનમાં ગે. પેલે રાક્ષસ બીજા રાક્ષસની સાથે ત્યાં આવ્યું એટલે મટી કાયાવાળા ભીમસેનને શિલા ઉપર સુતેલે જઈ હર્ષ પામીને સેવકોને કહેવા લાગે “અહા ! આજે મારા ભાગ્યથી આ મોટી કાયાવાળે માણસ આવી ચડ્યો છે, તેથી આજે તે સર્વે ક્ષધાતરની સારી રીતે તૃપ્તિ થશે.” એમ કહી કરવત જેવા દાંતને વારંવાર પીસતો, મુખમાં રસનાને હલાવત, ક્ષુધાથી આંખને ફેરવતા અને દર્શનથી બીજાઓને ભ કરતે એ રાક્ષસ હાથમાં ખડ્ઝ લઈ અટ્ટહાસ્ય કરતા તેની આગળ આવ્યું. તેવામાં તે શરીર ઉપરથી વસ્ત્રને તજી દઇને તેને બીવરાવતે ભીમસેન લોઢાની ગદા લઈ પર્વતની જેમ શય્યા ઉપરથી ઊભું થયું અને બે “હે રાક્ષસ ! ઘણા દિવસનું લેકેને હણવાનું તારું પાપ આજે ઉદય આવ્યું છે, માટે ઇષ્ટદેવને સંભાર, હમણાંજ તું નથી એમ થશે.” આવા આક્ષેપથી હૈયેને છોડી દેતો તે રાક્ષસ ક્રોધથી રાત થઈ બીજા રાક્ષસની સાથે દંડ ઉગામીને સામે દોડ્યો. ભીમસેન અને રાક્ષસના આઘાતથી પૃથવીઉપર એવો ક્ષોભ થયો કે જાણે સમુદ્રમાંથી ઉછળતું અને જળયંત્રથી છોડેલું જળ ઉછળે તેમ પૃથ્વી ઉછળવા લાગી. હસ્તલાઘવતાવાળા ભીમસેને મહા બળવડે તેની સાથે બહુવાર સુધી યુદ્ધ કરીને પછી તેના મસ્તક પર ગદાને ઘા કર્યો, એટલે તેનું મસ્તક અપવ પાત્રની જેમ છૂટી ગયું. તેના અભિઘાતવડે ભૂમિપર પડતા એ મટી કાયાવાળા રાક્ષસે પૃથ્વીને કંપાવી અને વૃક્ષને પાડી દીધા. તે સમયે ભીમનાં મરતકપર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવતાઓનાં મુખમાંથી જય જય શબ્દના ધ્વનિ નિકળ્યા. આ ખબર સાંભળીને તે ગામને રાજા અને લેકે અતિ હર્ષ પામી સર્વ જનને જીવિત આપનારા ભીમસેનને વધાવવા આવ્યા. આવા પરાક્રમથી અને જ્ઞાનીના વચનથી તે પાંડવ છે એવું જાણીને રાજા તેમને પ્રગટ કરીને સદા ભક્તિથી પૂજવા લાગે. આવું મહા મોટું ઉત્કૃષ્ટ વિધ્ર નાશ પામતાં લેકે સ્પષ્ટ ભક્તિથી પ્રત્યેક ચૈત્યમાં જિનેશ્વરની પૂજા અને સ્તુતિ કરવા લાગ્યા. પછી પાંડ પ્રગટ થવાથી શત્રુવડે ઉપદ્રવ થવાને સંભવ ધારીને રાત્રિએ તે નગર છેડી દૈતવનમાં આવી ગુપ્ત રીતે ઝુંપડી બાંધીને રહ્યા. એક્યપુરમાં પાંડ આવ્યા છે અને તેણે રાક્ષસને વધ કર્યો છે એ વાત For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy