SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સર્ગ ૧૦ મા. ] માયાવી દેવતાઓનો પરાભવ કરવાને નૈમિકુમારનું ગમન. 9 ળમાં અદ્વૈતપણે અવતર્યા છે, તેથી કાંઈ પણ તમારૂં અખંડિત પરાક્રમ પ્રગટ કરી બતાવા. તમે જોતાં છતાં શત્રુઓ તમારા ભાઈઓના પરાભવ કરે છે, તેથી હમણાં તમારૂં બળ અને તીર્થંકરપણું વૃથા ન થાઆ.' આપ્રમાણે પેાતાની બ્રાજાયાએ હાસ્યમાં કહ્યું, એટલે પ્રભુ જરા યુદ્ધોત્સવ કરવાનું મનમાં ચિંતવી પર્ષદામાં આવ્યા. ત્યાં યુદ્ધ કરવાને ઉધત થઇ રહેલા સમુદ્રવિજયના ઉત્સંગમાં એગિરિપર સૂર્યની જેમ પ્રભુ આરૂઢ થયા. આ સમયે નિમિત્તીઆમાં શિરામણિ ક્રોડ્ડકિએ સમુદ્રવિજયને કહ્યું “સ્વામી! આ વખતે યુદ્ધ કરવાને તમારા પ્રયાસ નિષ્ફળ છે. કેમકે વિશ્વમાં વીર એવા રામકૃષ્ણને જેઓએ એક લીલામાત્રમાં જીતી લીધા, તેવા પુરૂષો તા તીર્થકરથીજ જીતારો; અસુરા કે સુરાથી પણ તે છતારો નહિ.” આપ્રમાણે તે કહે છે તે તેવામાં ઇંદ્રની આજ્ઞાથી એક ઉત્તમ રથ લઈને માતલિ સારથિ ત્યાં આવ્યો. તેણે નેમિનાથને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે, ‘હે સ્વામી! તમારી ઇચ્છાની સાથેજ થયેલી ઇંદ્રની આજ્ઞાથી હું રથ લઈને આવ્યો છું. માટે તેમાં આરૂઢ થઈ શત્રુએને જીતી લ્યેા.' પછી સમુદ્રવિજયનાં મુખ સામું જોઈ પ્રભુ રથપર બેઠા અને એક ધનુષ્ય શિવાય ખીાં સર્વ શસ્રો છેાડી ઢીધાં. સર્વેની રક્ષાના મંત્ર હું છું, તે। મારી રક્ષા આનાથી શામાટે ઢાય ' એવું જાણે ધારતા હેાય તેમ પ્રભુએ બખતર પણ છેાડી દીધું. એ પ્રમાણે રથ ઉપર બેસીને ભગવંત ક્ષણમાં માયાનગર પાસે આવ્યા, અને શંખના ધ્વનિવડે ચારે બાજુએથી શત્રુઓને બોલાવ્યા. નગરની આસપાસ વેગથી ફરતા એવા એ રથના આધાતથી શત્રુઓનાં મસ્તકાની જેમ ગઢના કાંગરા પડી ગયા. ४८ Acharya Shri Kailassagarsuri Gyanmandir તેના આધાતથી સર્વ દેવતાએ એકઠા થઈ ચતુરંગ સેના લઈ વિમાનામાં બેસી વેગવડે ત્યાં આવ્યા. તેએએ ઊંચે સ્વરે ભંભા, નિશાન અને કાહુલ વગાઠ્યા, તેના પ્રતિધ્વનિવડે લેાકેા પ્રલયકાળની શંકા કરવા લાગ્યા. તે માયાવી દેવતાઓએ મેાટા મેાટા પર્વતાને પણ દુઃસહુ એવા મહાન્ વંટાળી વિફ઼ો, તેથી આકાશમાં અનેક પર્વતાને વિદ્યારા ઢાય તેવા મહાનિન્નુર નાદ થયા, સ્થિર પૃથ્વી અસ્થિર ગઈ, કુળગિરિ કંપવા લાગ્યા, મેધના કડાકા જેવી પ્રચંડ ગજેના થવા લાગી, પૃથ્વીમાંથી નીકળતી ધૂમશિખા અંધકારના કણવડે વિશ્વને પૂરતી આકાશમાં ફેલાઈ ગઈ, સ્થાને સ્થાને મેાટા હસ્તિ, અતિભયંકર કેશરીસિંહા, અને વ્યાઘ્ર પ્રમુખ પ્રાણીઓ ખુંખારવ કરવા લાગ્યા, વીંછીએ અને અજગરા પ્રગટ થયા, તેમજ વિકરાળ શાકિની, ભૂત અને વેતાલ વૃદ્ધિ ૧ ભાભી. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy