SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુંજય માહાત્મ્ય. [ ખંડ ૨ જે. દન કર્યો. તે વખતે પુત્રના સત્વથી શાંતનુરાજા અંતરમાં કિંચિત્ ચમત્કાર પામે અને પિતાના હીનસત્વ માટે ક્ષણવાર કાંઈક લજજા પામી ગયે. પછી વિઘાધરેએ જેને મહોત્સવ કરે છે એવો શાંતનુરાજા સયત્રતવાળી સત્યવતી કન્યા સાથે પરણ્યા. ત્યારથી ગંગાવડે સમુદ્ર, ચન્દ્રલેખાવડે આકાશ અને મુદ્રાવડે રતની જેમ સત્યવતીવડે શાંતનુ શોભવા લાગે. તેના પ્રેમમાં મગ્ન થયેલે શાંતનુ રાજા રમણીય ઉદ્યાનમાં અને મંદિરોમાં સર્વ કર્મવડે યથેચ્છ રીતે સર્વ વિષયને ભોગવવા લાગે. નીતિમાંથી ન્યાય અને ધર્મ નિષ્પન્ન થાય તેમ શાંતનુરાજાને તે સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે પુત્રો થયા. પછી મૃગયાના વ્યસનમાંથી વિરામ પામેલા શાંતનુરાજાએ શત્રુંજયાદિ તીર્થોએ જઈ પુણ્યકાર્ય કરી પિતાના જન્મને સફળ કર્યો. અનુક્રમે શાંતનુ રાજા કમેગે મૃત્યુ પામે. પછી સત્યપ્રતિજ્ઞાવાળા ભીમે ચિત્રાંગદને રાજયઉપર અભિષેક કર્યો. એક વખતે દુર્મદ ચિત્રાંગદે ભીષ્મને અવગણને નીલાંગદ નામના ગંધર્વ સાથે મટું યુદ્ધ કર્યું. બળવાન નીલાંગદે ક્રોધથી ચિત્રાંગદને મારી નાખ્યું. તે વાત સાંભળી ગગે રણમાં આવી તે નિલાંગદને માર્યો. મનુષ્યમાં ઉત્તમતાને ભજનારા ભીમે પછી વિચિત્રવીર્યને પૃથ્વીને મનહર પતિ કર્યો. તે બળવાન વિચિત્રવીર્ય પિતાના મરતક પર અહંતની આજ્ઞા અને શત્રુઓનાં મસ્તક ઉપર પિતાની આજ્ઞા ધારણ કરાવી. તે સમયમાં રાજાની ત્રણ શક્તિ હોય તેવી કાશીને કાળરાજાને અંબા, અંબિકા, અને અંબાલિકા નામે ત્રણ કન્યાઓ હતી. કાશીરાજાએ તેનો સ્વયંવર કર્યો તેમાં સર્વ રાજાઓને બોલાવ્યા; પણ સામાન્ય જાતિવાન ગણીને વિચિત્રવીર્યને બેલા નહિ, તેથી ગાંગેયને ક્રોધ ચડ્યો, એટલે તેણે સ્વયંવરમાં જઈ બધા રાજાઓના દેખતાં ત્રણે કન્યાનું હરણ કર્યું. તત્કાળ સર્વ રાજાઓ ક્રોધ કરી, યુદ્ધ કરવાને એકઠા થઈ શસ્ત્રો ઊંચાં કરી અને કવચ ધારણ કરી ગાંગેય ઉપર ચડી આવ્યા. સૂર્ય જેમ નક્ષત્રોનાં તેજને હરે અને પવન જેમ ફતરાને ઉડાડે, તેમ બળવાન ગંગાપુત્રે પિતાના તેજથી જ સર્વ રિપુરાજાઓને જીતી લીધા. પછી વેગથી પિતાને નગરે આવી પિતાના નાનાભાઈ વિચિત્રવીર્યને મોટા ઉત્સવથી તે ત્રણ કન્યાઓ સાથે પરણાવ્યું. ત્રીજા પુરૂષાર્થરૂપ સાગરને તરવામાં નાવિકા જેવી તે ત્રણ સુંદર કન્યાઓને વિચિત્રવીર્ય માનવા લાગ્યો. તેમની સાથે વિષયસુખ ભોગવતાં તે નિપુણ સ્ત્રીઓને ત્રણ પુત્રો થયા. અંબિકાને ધૃતરાષ્ટ્ર નામે પુત્ર થયે, જે પોતાના કુકર્મથી જન્માંધ થયે. અંબાલાને પાંડ નામે પુત્ર થયે, ૧ તેનું બીજું નામ અમ્બાલા પણ હતું. ર માતાને હીનજાતિની સમજીને. ૩ કામ પુરૂષાર્થ. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy