SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૦ મે.] ભીમસેનચરિત્ર. ૩૩૩ બેસી કમિત્રોના પરિવારથી પરિવારીત થઈ, મઘાદિક વ્યસનોમાં આસક્ત રહી નિત્ય લેકોને પીડા કરવા લાગ્યું. તેના જુલમથી કાયર થઈને સર્વ સામંતોએ મંત્રીઓએ અને તેના પરિવારે મળી વિચારીને તે પાપીને ક્ષણવારમાં દેશનીકાલ કરી દીધો. પછી સર્વ શાસ્ત્રોમાં અને ન્યાયમાં ચતુર એવા જિનવલ્લભ નામના તેના અનુજ બંધનો શુભ મુહમાં રાજય ઉપર અભિષેક કર્યો. દેશનિકાલ કરેલા ભીમસેને બીજા દેશોમાં જઈને પણ ચેરી કરવા માંડી. “વ્યસન છોડવું. અશક્ય છે.' માર્ગમાં પાથેય" લેવાને માટે પથિકોને મારવા લાગે, અને વેશ્યાદિકનાં વ્યસનથી નિત્ય પિતાનાં મનને વિશેષ કલુષિત કરવા લાગે. આ પ્રમાણે નિત્ય ઘણે અન્યાય કરનારા એ ભીમસેનને લોકો પકડીને મારતા, પીડતા તથાપિ તેને મૃત્યુ પમાડતા નહિ. તેનાથી છૂટીને યથેચ્છાએ ગામેગામ ફરતે તે ભીમસેન અનુક્રમે મગધ દેશના પૃથ્વીપુર નગરમાં આવી ચડ્યો. ત્યાં કેઈ માવળીને ઘેર સેવક થઈને રહ્યો; ત્યાં પણ પત્ર, પુષ્પ અને ફળાદિક ચેરીને વેચવા લાગે. ત્યાંથી પણ તેને કાઢી મૂક્ય; એટલે તે કઈ શેઠની દુકાને વાણોતર થઈને બેઠે; તથાપિ તેણે પોતાનું વધતું જતું દુર્વ્યસન છોડ્યું નહિ. ત્યાં રહીને પણ દુકાનની સર્વ વસ્તુઓ ચેરી ચેરીને વેચવા માંડી. “માણસને સ્વભાવનો ત્યાગ કરવો ઘણો મુશ્કેલ છે. તેની ચરી જાણવામાં આવતાં તે શેઠે તેને કાઢી મૂક્યું. ત્યાંથી નીકળીને તે ઈશ્વરદત્ત નામના કોઈ વ્યાપારીને ઘેર નેકર રહ્યો. એક વખતે દ્રવ્યને લોભી ભીમસેન તે ઈશ્વરદત્તની સાથે નાવમાં બેસીને ત્વરાથી જળમાર્ગે ચાલ્યો. એક માસ સુધી સમુદ્રમાં ચાલતું નાવ એકવાર રાત્રિમાં પ્રવાળાના અંકુરની કટિ સાથે ખલિત થયું. નાવિકોએ ઘણા ઉપાય કર્યા પણ તે નાવ જરા પણ આવું કે પાછું ફર્યું નહીં, કેટલેક કાળે અોદક પણ ખૂટી ગયું. પછી ચતુઃ શરણનું ઉચ્ચારણ કરી, અઢાર પાપાનનો ત્યાગ કરી, સર્વ જીવોને મન વચન કાયાથી મિથ્યા દુષ્કૃત આપી, શુભ ભાવનાએ પંચપરમેષ્ઠી નમરકારનું સ્મરણ કરી લેવામાં ઈશ્વરદત્ત વ્યવહારી મરવાની ઇચ્છાએ સમુદ્રમાં ઝંપાપાત કરવા જતા હતા, તેવામાં કેશુડાની જેવા કાંતિયુક્ત મુખવાળો અને તમાલના જે નીલવણી કઈ શુકપક્ષી તત્કાળ ત્યાં આવી માનુષી વાણુઓ બેલ્યો “હે ઈશ્વરદત્ત વ્યવહારી! આ અપંડિત મૃત્યુનો ત્યાગ કર, અને આ સર્વેના જીવિતના ઉપાય વિષે આદરથી મારું વચન સાંભળ. હું કોમળ કાંતિવાળો પક્ષી છું, એમ જાણીશ નહીં, હું આ પર્વતનો અધિષ્ઠાતા દેવ છું અને તમને જીવિતને ઉપાય કહેવાને તેમજ મરણથી અટકાવવાને હું આવ્યો છું, માટે તે ઉપાય સાંભળ. ૧ ભાતું. ર પાપી. ૩ બાળ, અજ્ઞાનથી ઉત્પન્ન થતાં. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy