SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સગ ૮ મો. ] ૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચક્રધરે કરેલો શત્રુંજયનો દશમો ઉદ્દાર. ૨૯૭ વૃષ્ટિ કરી. પૂર્વવત્ પુંડરીકગિરિના બધા શિખર ઉપરના પ્રાસાદેામાંથી કેટલાક છણ પ્રાસાદાને ઉદ્ઘાર કર્યો અને કેટલાક નવા કર્યો. પછી સમુદ્રની પાસે રહેલા ચન્દ્રપ્રભાસ ક્ષેત્રમાં આવી શ્રીચંદ્રપ્રભુના અઠ્ઠાઈઉત્સવ કર્યો. પછી રાજા સંધના ઘણા લૉકાની સાથે સર્વ સંપત્તિએનાં સ્થાનરૂપ રૈવતગિરિપર ચડ્યા. ત્યાં કામદેવનું મથન કરનાર, ભાવી તીર્થંકર શ્રીનેમિનાથની સંધના લેૉકાએ હર્ષથી નમસ્કારપૂર્વક પૂજા ભક્તિ કરી; ત્યાં પણ ચક્રધરે સર્વે શિખર ઉપર રહેલા જિનપ્રાસાદાના જીર્ણોદ્ધાર કર્યો, અને કારીગરાપાસે કેટલાક પ્રાસાદે નવીન પણ કરાવ્યા. પછી તે તીર્થને પ્રદક્ષિણા કરી ચક્રધર સંધ સાથે નંદીવર્દૂન ગિરિપર ચડ્યા. ત્યાં પણ વિધિપૂર્વક પૂજા, અન્નદાન, સંધભક્તિ અને જીર્ણોદ્વાર વિગેરે સત્કર્મો શીઘ્ર કર્યા. પછી સમેતશિખર પ્રમુખ તીર્થોની ભક્તિથી યાત્રા કરી રાજા ચક્રધર ઉત્સવ સાથે હસ્તિનાપુરમાં આવ્યા. બળવાન ચક્રધરે ત્રિખંડ ભરતના રાજ્યના સમગ્ર વ્યાપારીને ભાર પાછે સ્કંધ ઉપર ધારણ કર્યો. તે અરસામાં ઇંદ્રોએ જેમના ચરણની પૂજા કરી છે એવા ભગવાન્ શાંતિનાથ અનેક મુનિઓની સાથે સમેતશિખર ગિરિએ પધાર્યાં. એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સેાળમા તીર્થંકર શ્રી શાંતિનાથે નવસા મુનિનીસાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે વૈશાખમાસની કૃષ્ણત્રયોદશીએ અપરાહ્ કાળે તે મુનિઓનીસાથે પ્રભુ મુક્તિપદને પામ્યા. દેવતાઓએ પૂર્વની જેમ ત્યાં પ્રભુના નિર્વાણુ મહિમા કર્યો, અને એક ઘણું ઊંચું મણિમય જિનચૈત્ય કર્યું. શ્રી શાંતિનાથ પ્રભુનું નિર્વાણ સાંભળી રાજા ચક્રધરે વૈરાગ્યથી ગુરૂમહારાજપાસે ચારિત્ર ગ્રહણ કર્યું. દશ હજાર વર્ષસુધી ખડ્ગધારા જેવું વ્રત પાળી ચક્રધર સુનિ કૈવલજ્ઞાન પામ્યા. જ્ઞાનરૂપ સૂર્યનાં કિરણાથી બધાં વિશ્વને હાથમાં રહેલા પાણીની જેમ જોતા, સર્વસ્થાનકે રહેલા ભવ્ય પ્રાણીરૂપ વનને વિકસ્વર કરતા અને શુભધ્યાનથી ખાદ્ય અને અત્યંતર સર્વ અંધકારને દૂર કરતા શ્રી ચક્રધર મુનિ પ્રાંતે સમેતશિખર ઉપર આવીને માક્ષે ગયા. આપ્રમાણે શ્રી શત્રુંજયગિરિપર શ્રી શાંતિનાથના પુત્ર ચક્રધરે દશમા ઉદ્ધાર કર્યો. इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते महातीर्थ श्रीशत्रुंजयमाहात्म्ये श्री अजितस्वामि- श्री सगर - चंद्रप्रभस्वाમિ-શ્રી શાંતિનિન-ધાતિ મહાપુરુષ તીर्थोद्धारवर्णनोनामाष्टमः सर्गः । For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy