SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે.] વ્યંતરેકને આઠમો ઉદ્ધાર. ૨૮૫ વર્ષ, અને કેવળપણમાં એક પૂર્વને બાર વર્ષે ઊણા એક લાખ પૂર્વ એમ સર્વ મળી બોતેર લાખ પૂર્વનું પ્રભુનું આયુષ્ય પૂર્ણ થયું. પ્રતે શ્રી અજિતનાથ સ્વામી વિહાર કરતા કરતા એક સહસ્ત્ર મુનિઓની સાથે સમેતશિખર ગિરિએ પધાર્યા, અને એક માસનું અનશન ગ્રહણ કર્યું. માસને અંતે ચિત્રમાસની શુક્લ પંચમીએ રેહિણી નક્ષત્રમાં એક હજાર મુનિઓની સાથે અજિતનાથ સ્વામી અવ્યયપદને પામ્યા. તે વખતે આસન ચલિત થવાથી ઇંદ્રાદિક દેવતાઓએ ત્યાં આવી શ્રી અજિતનાથ સ્વામીને નિર્વાણમહત્સવ કર્યો. સગર મુનિ પણ પ્રભુની જેમ ભવ્ય પ્રાણીઓને બંધ કરતા ઘાતકમને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. તેઓ પણ બોંતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી અજિત પ્રભુની જેમ સમેતશિખર ઉપર મોક્ષે ગયા. આવી રીતે ચક્રવર્તીઓમાં શિરોમણિ શ્રી સગરરાજા બીજા તીર્થકર શ્રી અજિતનાથના બોધથી અને ઈંદ્રના ઉપદેશથી ભરત રાજાની જેમ સંધની સાથે હર્ષ સહિત શત્રુંજયગિરિ ઉપર આવી, ઉદ્ધાર કરી, ઘાતી કર્મને ખપાવીને શાશ્વત પદને પ્રાપ્ત થયા. આ પ્રમાણે સગર રાજાને સાતમો ઉદ્ધાર થયે. હવે ચોથા તીર્થંકર શ્રીઅભિનંદન ભગવાન પોતાના ચરણથી પૃથ્વીને પવિત્ર કરતા અને દેવતાઓથી સ્તુતિ કરાતા શ્રી શત્રુંજયગિરિ ઉપર આવ્યા. રાજાની વૃક્ષની નીચે દેવતાઓએ અતિ ભક્તિથી તેમનું સમવસરણ રચ્યું. ત્યાં સિંહાસનપર બેસી ત્રણ છત્રોથી વિરાજિત એવા પ્રભુએ સર્વ ભાષાનુયાયી વાણીવડે આ પ્રમાણે દેશના આપી. “આ શત્રુંજયગિરિ કામક્રોધાદિ અભ્યતર શત્રુઓને નાશ કરનાર, સર્વ પાપને હરનાર અને મુક્તિનું લીલાગ્રહ છે. અહીં કલ્યાણ કુંભ જેવા સર્વ કલ્યાણનું કારણ અને કલ્યાણ જેવા વણવાળા ભગવાન શ્રી આદિદેવ “પ્રભુ રહેલા છે. જયારે આ વિશીના સર્વે પ્રભુ મોક્ષે જશે, અને કેવળધર્મ ભ્રષ્ટ થશે, તે સમયે આ તીર્થ જ સર્વ કલ્યાણને કરનારું થશે. જેઓ આ તીર્થમાં આવી ભક્તિથી ભગવંતનું ધ્યાન અને પૂજન કરે છે, તેઓ અ૯૫ કાળમાં અજ“રામર થવારૂપ પુણ્યને ઉપાર્જન કરે છે. જેઓ અહીં પ્રાસાદ, પ્રતિમા, પાત્રદાન અને દીનદાન વિગેરે કરે છે, તેઓ તત્કાળ બે ભવ (આ લેક અને પરલોક - નાં સુખને પામે છે.” પ્રભુની આવી દેશના સાંભળી વ્યંતરપતિઓએ ભક્તિથી ભરપૂર થઈ ઉત્સાહથી તે તીર્થના પ્રાસાદો નવીન કર્યા. - એવી રીતે આ શત્રુંજય તીર્થ ઉપર અમૂલ્ય સુકૃતની ખાણરૂપ એ વ્યંતરોને કરેલે આઠમો ઉદ્ધાર થયે. ૧ કામકુંભ. ૨ સુવર્ણ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy