SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મો. ] સગરચક્રીએ શત્રુંજયનો સંઘ કાઢ્યો. ૨૮૧ વર્તોએ ચતુર્વિધ સંધને લઈ શુભ દિવસે યાત્રા કરવા પ્રયાણ કર્યું. ગણધરા, મુનિવર, શ્રાવકા, શ્રાવિકાઓ, મહાધરા, મંડળીક રાજાએ, ચતુરંગસેના, ગાયન કરનારા, ખીજ્ઞાવલી ખેલનારા, નૃત્ય કરનારા અને કૌતુક ઉપજાવવાવાળા પુરૂષાનીસાથે સગરરાજા ચક્રે ખતાવેલા માર્ગે આગળ ચાલ્યા. માર્ગમાં પ્રત્યેક પુરૂ અને પ્રત્યેક ગામે શ્રી જિનેશ્વરની પૂજા કરતા, મુનિજનાને વાંઢતા અને સત્પાત્રોને દાન આપતા સગરરાજા અનુક્રમે શ્રી સિદ્ધાચળપાસે આવી પહોંચ્યા. ત્યાં આનંદપુર નગરમાં ચક્રીએ તીર્થની, પ્રભુની તથા સંધની પૂજા અને સાધËવાત્સલ્ય મેટા આદરથી ધણા રાજાઓસાથે કર્યું. પછી દેવાલયને આગળ કરી સંધનીસાથે મહાસવપૂર્વક રાજાએ તીર્થને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી ચૌદ નદીઓનાં તીથૅજળને મેળવી સર્વ ઠેકાણે માર્ગ કરતા સંધ ગિરિ ઉપર ચડ્યો. પ્રથમ સગરરાજા પૂર્વ તરફથી ગિરિપર ચડ્યા અને પછી કૌતુકવાળા સર્વ પુરૂષા અનેક માર્ગે ગિરિપર ચડવા લાગ્યા. ચક્રવર્તી ગિરિઉપર આવ્યા એટલે ઇંદ્રપણ પ્રીતિથી ત્યાં આવ્યા. બંને રાજાઢનીના વૃક્ષતળે એકઠા થયા. "" હવે જન્તુના પુત્ર ભગીરથ સગરચક્રવાઁની આજ્ઞાથી સૈન્યની સાથે ચાલતાં અષ્ટાપદ્ધગિરિએ પહોંચ્યા. ત્યાં પેાતાના પિતા અને કાકાઓની દહન થએલી ભમ જોઇને ભગીરથ અત્યંત દુઃખાઙલ થઈ સૈન્યસહિત મૂર્છા પામ્યા. પછી ક્ષણવારમાં સત્ત્વધારી ભગીરથે ચૈતન્ય મેળવી શેાક છેડી દઇને પૂજાપૂર્વક ભક્તિથી જવલનપ્રભ નાગકુમારની આરાધના કરી. તેની અતિશય ભક્તિથી સંતુષ્ટ થઈ જવલનપ્રભુ કાંચનનાં કુંડળને ચળકાવતા નાગકુમારેાની સાથે ત્યાં આન્યેા. ભગીરથે ગંધમાલ્ય અને સ્તુતિથી તેનું પૂજન કર્યું, એટલે હૃદયમાં હર્ષ પામી નાગપતિએ તે રાજકુમારને કહ્યું, “ હે ભગીરથ ! મેં જન્તુકુમાર વિગેરેને ખાઈ ખાદવાનાં કાર્યથી વારવા માંડ્યા, તથાપિ તેઓ વાર્યા રહ્યા નહીં, અને તે કાર્યથી બધા નાગલે કાના નાશ થવા માંડ્યો; તેથી મેં ક્રોધથી તેમને બાળીને ભસ્મ કર્યાં છે. તેઓએ પૂર્વે તેવું કર્મ ઉપાર્જન કર્યું હશે, તે હવે મારી આજ્ઞાથી હું ભગીરથ ! તમે તેમની ઉત્તર ક્રિયા કરા, અને આ ગંગાના મુખ્ય પ્રવાહ જે પૃથ્વીને પ્લાવિત કરેછે, તેને તેના સ્થાનપર લઇ જાએ. ” આ પ્રમાણે ભગીરથને શિખામણ આપી જ્વલનપ્રભ પાતાને સ્થાનકે ગયા. પછી ભગીરથે પેાતાના વિડલાની ભસ્મ લઇને ગંગામાં નાખી, ત્યારથી જગતમાં પિતક્રિયામાં તે વ્યવહાર પ્રવત્યો છે. પિતૃઓની ઉત્તરક્રિયા કરી ભગીરથ કુમાર્ગે ચાલતી નારીને માર્ગમાં લાવે તેમ ગંગાના ઉન્મા↑ પ્રવાહને દંડરલથી મુખ્ય માર્ગમાં લાવ્યેા. ત્યાં લોકાનાં મુખથી તેના જાણવામાં આવ્યું કે સગર ૩ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy